News Updates
BUSINESS

બર્થ સર્ટિફિકેટથી ડ્રાઇવિંગ લાઇસન્સ-આધાર બનાવવા જેવા કામ થશે:1 ઓક્ટોબરથી લાગુ થશે નવો નિયમ, ચોમાસુ સત્રમાં બિલ પાસ થયું

Spread the love

1 ઓક્ટોબરથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બર્થ સર્ટિફિકેટનું મહત્વ વધવા જઈ રહ્યું છે. નવા નિયમ હેઠળ, બર્થ સર્ટિફિકેટ દ્વારા સ્કૂલમાં એડમિશન, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ID, મેરેજ રજીસ્ટ્રેશન, સરકારી નોકરી, પાસપોર્ટ અને આધાર સહિત ઘણી જગ્યાએ સિંગલ ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ કરી શકાશે.

ચોમાસુ સત્ર દરમિયાન સંસદના બંને ગૃહોમાં જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારા) બિલ 2023 પસાર કરવામાં આવ્યું હતું. તેને રાષ્ટ્રપતિની સંમતિ પણ મળી હતી. તેનો અમલ 1લી ઓક્ટોબરથી કરવામાં આવી રહ્યો છે.

નવો કાયદાથી નોંધાયેલ જન્મ અને મૃત્યુનો રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરનો ડેટા બેઝ બનાવવામાં પણ મદદ કરશે. આનાથી, જાહેર સેવાઓ વધુ સારી રીતે પહોંચાડી શકાય છે. આ નવો નિયમ 1 ઑક્ટોબરના રોજ અથવા તે પછી બનેલા બર્થ સર્ટિફિકેટ પર લાગુ થશે.

જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રનું ડિજિટલ સર્ટિફિકેટ મળી શકશે
કાયદાના અમલ પછી સૌથી મોટો ફેરફાર એ થશે કે જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રો પણ ડિજિટલી ઉપલબ્ધ થશે. હાલમાં માત્ર તેની હાર્ડ કોપી ઉપલબ્ધ છે. આ માટે ઘણા દિવસો સુધી ઓફિસના ધક્કા ખાવા પડે છે.

શું જન્મ-મરણ પ્રમાણપત્રનો ઉપયોગ આધાર કાર્ડની જેમ જ થશે?
અત્યાર સુધી આધારનો ઉપયોગ દરેક જગ્યાએ ઓળખ કાર્ડ તરીકે થાય છે. તેને તમારા અન્ય દસ્તાવેજો અને એકાઉન્ટ્સ સાથે લિંક કરવાની જરૂર પડે છે. તેવી જ રીતે, આ એક જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર હશે, જે જન્મ અને મૃત્યુના પુરાવા માટે સર્વત્ર સર્વત્ર સ્વીકૃત ઓળખ કાર્ડની જેમ કામ કરશે.


Spread the love

Related posts

વોરેન બફેના રાઇટ હેન્ડ ચાર્લી મંગરનું નિધન:સફળતાની ફોર્મ્યુલા સમજાવતી વખતે તેઓ કહેતા- મોટી કંપનીઓમાં હિસ્સો લો, પછી રાહ જુઓ

Team News Updates

₹1000 કરોડનું કેશ બેલેન્સ છે,OYOનો નાણાકીય વર્ષ 2024માં રૂ. 100 કરોડનો નફો,કંપનીએ પ્રથમ વખત નફો કર્યો, રિતેશ અગ્રવાલે કહ્યું

Team News Updates

રિલાયન્સ ફાઉન્ડેશને 3000 એકરમાં વનતારા પ્રોગ્રામની શરૂઆતની જાહેરાત કરી છે, પ્રાણીઓની બચાવ અને પુનર્વસનની અનંત લેશે સંભાળ

Team News Updates