News Updates
NATIONAL

કાવેરી વિવાદ મામલે ખેડૂતોનું બેંગલુરુ બંધ:તમિલનાડુથી આવતી બસો બંધ, શાળા-કોલેજોમાં પણ રજા; સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે

Spread the love

કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી (CWMA) એ 13 સપ્ટેમ્બરે તામિલનાડુને કાવેરી નદીમાંથી 15 દિવસ માટે 5000 ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો હતો. આ આદેશના વિરોધમાં ખેડૂત સંગઠનો, કન્નડ સંગઠનો અને વિરોધ પક્ષોએ મંગળવારે (26 સપ્ટેમ્બર) બેંગલુરુમાં બંધ પાળ્યો છે.

બંધ દરમિયાન તમિલનાડુ કર્ણાટક બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. શહેરની શાળા-કોલેજો, દુકાનો અને હોટેલો બંધ છે. કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.

બીજી તરફ બંધના સમર્થનમાં તમિલનાડુથી કર્ણાટક આવતી બસોને પણ અટકાવી દેવામાં આવી છે. કાવેરી વિવાદમાં બંધમાં સામાન્ય જનતા પણ જોડાઈ છે

આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થવાની છે. છેલ્લી સુનાવણીમાં કોર્ટે ઓથોરિટીને દર 15 દિવસે બેઠક યોજવાનો નિર્દેશ આપ્યો હતો.

બેંગલુરુ બંધ સંબંધિત અપડેટ્સ

  • તમિલનાડુથી કર્ણાટક તરફ જતી બસોને કૃષ્ણાગિરી જિલ્લાના ઝુઝુવાડી ખાતે રોકવામાં આવી રહી છે.
  • પૂર્વ સીએમ કુમારસ્વામીએ બંધ દરમિયાન અટકાયતમાં લેવાયેલા દેખાવકારોને મુક્ત કરવાની માંગ કરી છે.
  • બેંગલુરુ પોલીસે કર્ણાટક જળ સંરક્ષણ સમિતિના પ્રમુખની અટકાયત કરી છે. તેઓએ ફ્રીડમ પાર્ક સુધી કૂચ કરવાની મંજુરી લીધી ન હતી.
  • બીજેપી નેતા સીટી રવિ- સ્ટેટ પાર્ટી ચીફ બીએસ યેદિયુરપ્પાએ બંધને સમર્થન આપવાની જાહેરાત કરી છે. અમે ગાંધી પ્રતિમા સામે વિરોધ પણ કરીશું.
  • જેડીએસ સાંસદ એચડી દેવગૌડા- મેં વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને નિષ્ણાત ટીમને કર્ણાટકમાં પાણી અને ઉભા પાકનો અભ્યાસ કરવા અપીલ કરી છે.

શુક્રવારે સમગ્ર કર્ણાટકમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું
વિરોધ કરી રહેલા કન્નડ તરફી સંગઠનોએ પણ શુક્રવાર, 29 સપ્ટેમ્બરે રાજ્યભરમાં બંધનું એલાન આપ્યું છે. દરમિયાન, બેંગલુરુના ઉદ્યોગપતિઓએ એક સપ્તાહમાં બે બંધ દરમિયાન આશરે રૂ. 4,000 કરોડના નુકસાનનો અંદાજ લગાવ્યો છે. તેઓ કહે છે કે આ રોગચાળામાંથી હમણાં જ પાટે ચઢેલી અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે. તેથી બંધને બદલે વિરોધ પ્રદર્શનની મંજૂરી આપવી જોઈએ.

કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે કાવેરી વિવાદ શું છે?
800 કિમી લાંબી કાવેરી નદી કર્ણાટકના પશ્ચિમ ઘાટના કોડાગુ જિલ્લામાં બ્રહ્મગિરી પર્વતોમાંથી નીકળે છે. તે તમિલનાડુમાંથી વહે છે અને બંગાળની ખાડીમાં મળે છે. કાવેરી બેસિન કર્ણાટકના 32 હજાર ચોરસ કિલોમીટર અને તમિલનાડુના 44 હજાર ચોરસ કિલોમીટરને આવરી લે છે. કાવેરી પાણીની સિંચાઈની જરૂરિયાતોને લઈને બંને રાજ્યો વચ્ચે 140 વર્ષથી વધુ સમયથી વિવાદ ચાલી રહ્યો છે.


Spread the love

Related posts

RBI બ્રિટનમાંથી 100 ટન સોનું પાછું લાવ્યું ,સરકારે વિદેશમાં રાખેલું સોનું લીધું પરત પહેલી વાર

Team News Updates

KL Rahul Ruled Out: ઈજાને લઈ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ WTC Final થી બહાર, જાતે જ કર્યુ એલાન

Team News Updates

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6

Team News Updates