News Updates
RAJKOT

રાજકોટમાં દુકાનોની હરાજી:જીજાબાઈ ટાઉનશીપમાંથી મનપાને 3.08 કરોડની આવક, એક દુકાનની 11.70 લાખ અપસેટ પ્રાઈઝ સામે 33.60 લાખ મળ્યા

Spread the love

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દુકાનોની હરાજી શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત બનેલી જીજાબાઈ ટાઉનશીપની કુલ 14 દુકાનોની હરાજી કરવામાં આવી હતી. આ હરાજી દ્વારા મનપાને 3.08 કરોડની આવક થઈ છે. આ પૈકી એક દુકાનની અપસેટ પ્રાઈઝ 11.70 લાખ સામે તેના સૌથી વધુ 33.60 લાખ મળ્યા હતા. હવે આગામી 1 નવેમ્બરે શિવ ટાઉનશીપ, મવડી ખાતેની 22 દુકાનોની હરાજી કરવામાં આવનાર છે.

એક દુકાનની હાઈએસ્ટ કિંમત 33.60 લાખ
મળતી માહિતી અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી એરિયામાં બનાવવામાં આવેલા જીજાબાઈ ટાઉનશીપની 14 દુકાનોની હરાજી આજરોજ કરવામાં આવી હતી. જેમાં તમામ દુકાનોનું હરાજી દરમિયાન વેચાણ થયું છે. આ દુકાનોની હરરાજીથી મહાનગરપાલિકાને કુલ 3.08 કરોડની આવક થઈ છે. આ હરાજીમાં એક દુકાનની હાઈએસ્ટ કિંમત 33.60 લાખ મળી છે. તેની અપસેટ પ્રાઈઝ 11.70 લાખ રાખવામાં આવી હતી.

જાહેર હરાજીમાં 72 અરજદારોએ ભાગ લીધો
ઉલ્લેખનીય છે કે, જાહેર હરાજીમાં 72 અરજદારોએ ભાગ લીધો હતો અને વિવિધ દુકાનોની બોલી લગાવી હતી. જેના દ્વારા તમામ દુકાનો કુલ 3.08 કરોડમાં વહેચાઈ હતી. જેમાં એક દુકાનનું લોકેશન અરજદારોને ખૂબ સારું લાગવાને કારણે તેના સૌથી વધુ 33.60 લાખ રૂપિયા ઉપજ્યા હતા. બાકીની મોટા ભાગની દુકાનોમાં પણ અપસેટ પ્રાઈઝ કરતા વધુ કિંમત મળી હતી. હવે આગામી તારીખ 1લી નવેમ્બર 2023ને બુધવારે શિવ ટાઉનશીપ, મવડી ખાતેની 22 દુકાનોની હરાજી કરવામાં આવનાર છે. જેમાંથી પણ સારી આવક થવાની શક્યતા છે.


Spread the love

Related posts

3 વર્ષ પૂર્વે કરેલા કોર્ટ મેરેજનો કરૂણ અંજામ:રાજકોટની પરિણીતાએ શંકાશીલ પતિને વીડિયો કોલ કરી ઝેર પી આપઘાત કર્યો હતો, મરવા મજબૂર કરનાર સાસરિયા સામે ફરિયાદ

Team News Updates

મનપાનું બુલડોઝર ફરી વળ્યું:વોર્ડ નંબર 11ના નાનામૌવા સહિતનાં વિસ્તારોમાંથી 27 ગેરકાયદે ઝૂંપડા હટાવી રૂ. 79.55 કરોડની જમીન ખુલ્લી કરાઇ

Team News Updates

60 કરોડના ખર્ચે બનતાં ઓવરબ્રિજનો ડ્રોન નજારો, સપ્ટેમ્બરમાં લોકાર્પણ, 50 હજાર વાહનચાલકો માટે ટ્રાફિક સમસ્યા હળવી બનશે:રાજકોટની બદલાતી ‘સૂરત’

Team News Updates