News Updates
NATIONAL

7.50 લાખ સ્કેવર ફૂટમાં ફેલાયેલો મુકેશ અંબાણીનો આ લક્ઝુરિયસ મોલ કેવો છે

Spread the love

દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આજે એટલે કે 1 નવેમ્બરે જિયો વર્લ્ડ પ્લાઝા ઓપન કરવા જઈ રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં અંબાણી પરિવાર સહિત બોલીવુડની ઘણી મોટી મોટી હસ્તીઓ સામેલ થશે.

આ મોલને ભારતનો સૌથી લગ્ઝરી મોલ કહેવામાં આવી રહ્યો છે. જે મુંબઈના બીકેસીમાં 7.50 લાખ સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે. આ મોલમાં દુનિયાની મોટી મોટી બ્રાન્ડના સ્ટોર હશે.

આ જિયો વર્લ્ડ પ્લાઝામાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર અને જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર અને જિયો વર્લ્ડ ગાર્ડન પણ છે. આ મોલને રિટેલની સાથે લીઝર અને ડાઈનિંગનું હબ બનાવવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

આ મોલમાં દુનિયાભરની તમામ બ્રાન્ડના સ્ટોર હશે, મળતી માહિતી મુજબ મોલમાં 66 બ્રાન્ડના મોટા સ્ટોર્સ હશે.

ઈશા અંબાણીના જણાવ્યા મુજબ જિયો વર્લ્ડ પ્લાઝાનો ઉદ્દેશ્ય તમામ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને ભારતમાં એક જ જગ્યા પર લાવવાનો છે સાથે જ તેમને કહ્યું કે માત્ર વિદેશી બ્રાન્ડ જ નહીં પણ દેશની લોકલ બ્રાન્ડના પણ સ્ટોર મોલમાં હશે.

મોલમાં લુઈ વિન્તા, ગૂચી, કાર્ટિયર, બેલી, અરમાની, ડિયોર જેવી મોટી મોટી બ્રાન્ડના સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, અબૂ જાની-સંદીપ ખોસલા, રાહુલ મિશ્રા, ફાલ્ગૂની, રિતુ કુમારના પણ સ્ટોર હશે.


Spread the love

Related posts

સંવેદનશીલ કામગીરી શાંતિ’પૂર્ણ’:દાહોદમાં પરોઢિયે વિવાદિત નગીના મસ્જીદનું દબાણ દૂર કરાયા બાદ અન્ય 7 ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવાયું, નિર્વિઘ્ને કામગીરી પૂર્ણ થતા હાશકારો

Team News Updates

આસામના ચાના બગીચામાં પહોંચ્યા PM મોદી, દેશવાસીઓને કરી આ અપીલ

Team News Updates

પત્તાંના મહેલની જેમ ટાંકી ધરાશાયી:મહેમદાવાદમાં પાણીની ટાંકી જર્જરિત બનતાં તંત્રએ તોડી પાડી, વિશાળ ટાંકી ત્રણ સેકન્ડમાં જ જમીનદોસ્ત થઈ

Team News Updates