News Updates
NATIONAL

7.50 લાખ સ્કેવર ફૂટમાં ફેલાયેલો મુકેશ અંબાણીનો આ લક્ઝુરિયસ મોલ કેવો છે

Spread the love

દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આજે એટલે કે 1 નવેમ્બરે જિયો વર્લ્ડ પ્લાઝા ઓપન કરવા જઈ રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં અંબાણી પરિવાર સહિત બોલીવુડની ઘણી મોટી મોટી હસ્તીઓ સામેલ થશે.

આ મોલને ભારતનો સૌથી લગ્ઝરી મોલ કહેવામાં આવી રહ્યો છે. જે મુંબઈના બીકેસીમાં 7.50 લાખ સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે. આ મોલમાં દુનિયાની મોટી મોટી બ્રાન્ડના સ્ટોર હશે.

આ જિયો વર્લ્ડ પ્લાઝામાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર અને જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર અને જિયો વર્લ્ડ ગાર્ડન પણ છે. આ મોલને રિટેલની સાથે લીઝર અને ડાઈનિંગનું હબ બનાવવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

આ મોલમાં દુનિયાભરની તમામ બ્રાન્ડના સ્ટોર હશે, મળતી માહિતી મુજબ મોલમાં 66 બ્રાન્ડના મોટા સ્ટોર્સ હશે.

ઈશા અંબાણીના જણાવ્યા મુજબ જિયો વર્લ્ડ પ્લાઝાનો ઉદ્દેશ્ય તમામ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને ભારતમાં એક જ જગ્યા પર લાવવાનો છે સાથે જ તેમને કહ્યું કે માત્ર વિદેશી બ્રાન્ડ જ નહીં પણ દેશની લોકલ બ્રાન્ડના પણ સ્ટોર મોલમાં હશે.

મોલમાં લુઈ વિન્તા, ગૂચી, કાર્ટિયર, બેલી, અરમાની, ડિયોર જેવી મોટી મોટી બ્રાન્ડના સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, અબૂ જાની-સંદીપ ખોસલા, રાહુલ મિશ્રા, ફાલ્ગૂની, રિતુ કુમારના પણ સ્ટોર હશે.


Spread the love

Related posts

કર્ણાટકમાં બે કલાકમાં 8.26% વોટિંગ:સીતારમણે કોંગ્રેસને મૂર્ખ ગણાવી, ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ પત્ની સુધા સાથે લાઇનમાં ઉભા રહીને વોટિંગ કર્યું

Team News Updates

વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં બનશે –આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ બનાવવામાં આવી રહેલું આ હેરિટેજ કોમ્પલેક્ષ પ્રદર્શિત કરશે લોથલનો ૫ હજાર વર્ષ કરતાં વધારે જૂનો ઇતિહાસ

Team News Updates

Kota Factory: 8 મહિના 23 આત્મહત્યા ! દરવાજો તોડ્યો તો છોકરીની લાશ લટકતી મળી, 5 મહિના પહેલા પહોંચી હતી કોટા

Team News Updates