વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણામાં તિરુમાલા મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ભગવાન વેંકટેશ્વરની વિશેષ પૂજામાં ભાગ લીધો હતો. PMએ તિરુપતિ મંદિરની પોતાની તસવીરો પોસ્ટ કરી અને લખ્યું – ‘તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.’
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-27-at-12.23.27-PM.jpeg)
પીએમ 3 દિવસના તેલંગાણા પ્રવાસ પર છે. આ દરમિયાન તે ગઈકાલે રાત્રે (26 નવેમ્બર) તિરુપતિ પહોંચી ગયા હતા. PMની મુલાકાતને ધ્યાનમાં રાખીને, તિરુપતિ દેવસ્થાને જાહેરાત કરી છે કે VIP દર્શન 27 નવેમ્બરે રદ રહેશે.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-27-at-12.23.22-PM.jpeg)
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-27-at-12.23.34-PM.jpeg)
તિરુમાલાથી રવાના થયા બાદ પીએમ મોદી 12:45 વાગ્યે મહબૂબાબાદ અને 2:45 વાગ્યે કરીમનગરમાં જનસભાને સંબોધિત કરશે. આ પછી હૈદરાબાદમાં સાંજે 5 વાગે મેગા રોડ શો થશે, ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થશે.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-27-at-12.23.44-PM.jpeg)
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-27-at-12.23.50-PM.jpeg)
તિરુમાલાના માર્ગ પર કડક સુરક્ષા વ્યવસ્થા
વડાપ્રધાન મોદી અને સીએમ જગન મોહનની મુલાકાતને ધ્યાનમાં રાખીને તિરુમાલામાં કડક સુરક્ષા રાખવામાં આવી રહી છે. રેનિગુંટા એરપોર્ટથી તિરુમાલા હિલ તરફ જતા રસ્તાઓ પર ચેકપોઇન્ટ બનાવીને સુરક્ષા કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને વાહનોની અવરજવર પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.