અમદાવાદની આનંદ નિકેતન ઇન્ટરનેશનલ શાળાના 16 વર્ષીય ગ્રેડ 11 ના વિદ્યાર્થી આર્યન રાજવંશી એ ખેડૂતો માટે મહત્વનુ આવિષ્કાર કર્યું છે. જેણે MechaCrop, એક ક્રાંતિકારી પ્રોજેક્ટ બનાવ્યો છે જે ખેડૂતોને પાકના રોગોનું નિદાન કરવા અને અટકાવવા ખાસ ઉપયોગી બનશે.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-04-at-5.48.57-PM-1024x576.jpeg)
અમદાવાદના વિદ્યાર્થીએ ખેડૂતો માટે એક આવિષ્કાર કર્યું છે. આ પદ્ધતિમાં પાકની વૃદ્ધિ પર દેખરેખ રાખવા માટે ડ્રોન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ તકનિક દ્વારા ઉપજ અને ગુણવત્તા, અને સમયસર અને સચોટ માહિતી મળી રહે છે.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-04-at-5.49.11-PM-1024x576.jpeg)
આર્યને જૂન 2020માં ઉદયપુરની સફર દરમિયાન 1 લાખનું દેવું ચૂકવવામાં અસમર્થ રહેલા બે ખેડૂતોની દુ:ખદ આત્મહત્યાને જોયા બાદ MechaCrop બનાવવાની પ્રેરણા મળી હતી.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-04-at-5.50.39-PM-1024x576.jpeg)
આ ઘટના બાદ ખેડૂતોની દુર્દશાથી તે ખૂબ જ પ્રભાવિત થયો હતો. ભારતીય અર્થતંત્ર હજુ પણ ગરીબી અને અસંખ્ય પડકારો સાથે સંઘર્ષ કરી રહ્યું છે. તેમણે તેમના કૌશલ્યો અને જ્ઞાનનો ઉપયોગ એવા ઉકેલ માટે કરવાનું નક્કી કર્યું જે ગરીબીનું ચક્ર તોડી શકે અને ભારતમાં ખેડૂતોની આજીવિકા સુધારી શકે.
![](https://ekkhabar.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-04-at-5.50.55-PM-1024x576.jpeg)
આર્યનના આ પ્રોજેક્ટ MechaCropને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી છે અને તે UN સમિટ 2023નો ભાગ બનવા માટે પસંદ કરાયેલા ભારતના માત્ર બે પ્રોજેક્ટમાંના એક હતા, જે એક વૈશ્વિક પહેલ છે જે વિશ્વની સમસ્યાઓનું નિરાકરણ કરી રહેલા યુવા સંશોધકોને સમર્થન આપે છે.
આ કાર્યક્રમના ભાગ રૂપે, આર્યનના પ્રોજેક્ટ પર આધારિત પ્રેરણાત્મક દસ્તાવેજી સમિટમાં પ્રદર્શિત કરવામાં આવી હતી, જ્યાં તેને પ્રેક્ષકો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.