News Updates
NATIONAL

 પરસેવો થતો નથી પ્રાણીઓને,3.5 કરોડ ઘરેલું પાલતુ પ્રાણી ભારતમાં 

Spread the love

દેશનાં અનેક રાજ્યો હાલ આકરી ગરમી અને હીટ વેવનો સામનો કરી રહ્યાં છે. વધતું તાપમાન માત્ર મનુષ્યો માટે જ નહીં પરંતુ પ્રાણીઓ માટે પણ ઘણી ગંભીર સમસ્યાઓ અને રોગોનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, તમારી જાતને તેમજ તમારા પાલતુ પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે વિશેષ કાળજી લેવી જરૂરી છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને પશુપાલન વિભાગ પ્રાણીઓને ગરમી અને સનસ્ટ્રોકથી બચાવવા માટે સમયાંતરે સલાહ આપે છે. જાળવણી ઉપરાંત ખાદ્ય ચીજોમાં થોડો ફેરફાર કરવાની સલાહ આપવામાં આવે છે. આના પર ધ્યાન આપવું જરૂરી છે કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં ઘરેલુ પાલતુ પ્રાણીઓની સંખ્યા અને તેના બિઝનેસ માર્કેટમાં નોંધપાત્ર વધારો થયો છે. વધતા શહેરીકરણ અને એકલતાના કારણે લોકો ભાવનાત્મક આધાર માટે પ્રાણીઓ રાખવા લાગ્યા છે.

આંકડાકીય માહિતી અનુસાર, ભારતમાં કુલ 3.1 કરોડ પાલતુ શ્વાન છે. પાલતુ બિલાડીઓની સંખ્યા અંદાજે 25 લાખ છે. એવો અંદાજ છે કે 2026 સુધીમાં પાલતુ બિલાડીઓની સંખ્યા વધીને લગભગ 50 લાખ થઈ જશે. ભારતમાં પાલતુ ખોરાક અને ઉત્પાદનોનું બજાર વર્ષ 2024માં $389.9 મિલિયનનું છે, જે 2029 સુધીમાં વધીને $707.1 મિલિયન થવાની ધારણા છે. 


Spread the love

Related posts

ગર્લફ્રેન્ડને કોકપિટમાં લઈ ગયેલાં પાયલોટનું લાઇસન્સ સસ્પેન્ડ:DGCAએ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, 27 ફેબ્રુઆરીની ઘટના

Team News Updates

ચૂંટણી પહેલા ભાજપને પડી શકે છે મોટો ફટકો, યશોધરા રાજે સિંધિયાએ કરી આ મોટી જાહેરાત

Team News Updates

હિમાચલમાં કુલ્લુ દશેરામાં અડધી રાતે ભીષણ આગ:દેવી-દેવતાઓનાં 8 ટેન્ટ સહિત 13 તંબુ બળીને ખાખ; પાંચ દુકાનો પણ બળી, 2 લોકો આગમાં ભડથું

Team News Updates