News Updates
GUJARAT

છેલ્લા 14 દિવસમાં 4 હજારથી વધુ તાવના કેસ નોંધાયા,વરસાદ બાદ રોગચાળાએ ઉંચક્યું માથું

Spread the love

ગુજરાતમાં બેવડી ઋતુઓના પગલે રોગચાળાએ માથું ઉચક્યું છે. ત્યારે ખેડામાં છેલ્લા 14 દિવસમાં તાવના 4 હજાર 361 કેસ નોંધાયા છે. શરદી, ખાંસીના કુલ 3 હજાર 251 કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં બેવડી ઋતુઓના પગલે રોગચાળાએ માથું ઉચક્યું છે. ત્યારે ખેડામાં છેલ્લા 14 દિવસમાં તાવના 4 હજાર 361 કેસ નોંધાયા છે. શરદી, ખાંસીના કુલ 3 હજાર 251 કેસ સામે આવ્યા છે. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે. અનેક વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધી 12 હજાર 305 ક્લોરી ટેબ્લેટનું વિતરણ કરાયું છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા પાઈપલાઈનમાં 7 લીકેજ રિપેર કરવવામાં આવ્યા છે.

બીજી તરફ જામનગરના પણ રોગચાળો વકર્યો છે. જામનગરના જી.જી હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં ખાસ તો તાવ, શરદી અને વાયરલ ઈન્ફેક્શનની ફરિયાદ વધુ જોવા મળે છે. ઓક્ટોબર માસની વાત કરીએ તો અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કુલ 250 કેસ સામે આવ્યા છે. રોજ ડેન્ગ્યુના 25 થી 30 કેસ નોંધાય છે. તો 200 જેટલાં તાવના કેસ સામે આવે છે. ઓપીડી માટે આવનારા લોકોમાંથી 20 ટકાને દાખલ કરવા પડે તેવી સ્થિતિ છે.


Spread the love

Related posts

કચ્છ-સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો:ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં દાંતીવાડા ડેમ 70 ટકા ભરાયો, બનાસકાંઠા-પાટણ જિલ્લાનાં અનેક ગામડાઓને એલર્ટ

Team News Updates

બોટાદ નગરપાલીકાના પૂર્વ પ્રમુખ અલ્પા સાબવા અને તેમના પતિ પાસના નેતા દિલીપ સાબવા ફરી ભાજપમાં જોડાશે

Team News Updates

ધો. 1ની વિદ્યાર્થિનીનો શાળામાંથી મૃતદેહ મળ્યો:શિક્ષકો તાળાં મારી ઘરે ચાલ્યા ગયા, પરિવારને લાશ મળી, પીએમ રિપોર્ટ બાદ SPએ કહ્યું- હત્યાનો ગુનો નોંધાશે

Team News Updates