News Updates
NATIONAL

તિરુપતિ મંદિરમાં  VIP ક્વોટા પણ થશે બંધ,લાઇનનું ટેન્શન પુરું, નિયમો બદલાયા… હવે 2 કલાકમાં થશે દર્શન

Spread the love

હવે તિરુપતિ મંદિરમાં લાઈનમાં ઉભા રહેવાનું ટેન્શન સમાપ્ત થઈ ગયું છે. ભક્તોના હિતમાં નિર્ણય લેતા દેવસ્થાનમ બોર્ડે નવા નિયમો બનાવ્યા છે. જે અંતર્ગત હવે તમામ શ્રદ્ધાળુઓ 2 કલાકમાં દર્શન કરી શકશે.

આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત તિરુપતિ મંદિરમાં દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે નિર્ણય લીધો છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી નવી દર્શન વ્યવસ્થા બનાવવામાં આવશે. આવી સ્થિતિમાં નવી વ્યવસ્થા હેઠળ ભક્તોને માત્ર 2 કલાકમાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કરાવવામાં આવશે.

હાલમાં, તિરુપતિ મંદિરની મુલાકાત લેવા માટે 20 થી 30 કલાકનો સમય લાગે છે, કારણ કે દરરોજ 1 લાખ જેટલા ભક્તો પહોંચે છે. સપ્ટેમ્બરમાં તિરુપતિના લાડુ પ્રસાદમમાં ભેળસેળયુક્ત ઘીનો મામલો સામે આવ્યો ત્યારે ઘણો વિવાદ થયો હતો. આ પછી ટીટીડીએ પ્રસાદની વ્યવસ્થા બદલી નાખી. જે બાદ બોર્ડની પ્રથમ બેઠક મળી હતી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

બોર્ડના સભ્ય જે શ્યામલા રાવે જણાવ્યું હતું કે વિશેષ પ્રવેશ દર્શન માટેનો ક્વોટા નાબૂદ કરવામાં આવશે. વીઆઈપી દર્શનને લઈને વિવાદ યથાવત્ છે, બોર્ડ ઇચ્છતું નથી કે આના પર વધુ પ્રશ્નો ઉભા થાય. દર મહિનાના પહેલા મંગળવારે તિરુપતિના સ્થાનિક નાગરિકો માટે દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય હવે નેતાઓ મંદિર પરિસરમાં રાજકીય નિવેદનો આપી શકશે નહીં. આમ કરવાથી બોર્ડ તેમને કાનૂની નોટિસ ઈશ્યુ કરશે.

હાલમાં જ આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા લાડુને લઈને વિવાદ ઉભો થયો હતો. પ્રસાદમાં વપરાતા ઘીના સેમ્પલ 9 જુલાઈ, 2024ના રોજ લેવામાં આવ્યા હતા અને 16 જુલાઈના રોજ લેબોરેટરીનો રિપોર્ટ આવ્યો હતો. ટીડીપીએ તેના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ઘીના સેમ્પલમાં ‘એનિમલ ફેટ’ જોવા મળ્યું હતું.

પ્રસાદ પરનો વિવાદ રાજકીય ચર્ચામાં ફેરવાઈ ગયો હતો. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ રાજ્યની અગાઉની સરકાર પર ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું ‘મહાન પાપ’ કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે YSRCP એ વળતો પ્રહાર કર્યો હતો અને રાજકીય લાભ લેવા માટે સીએમ પર ‘જઘન્ય આક્ષેપો’ કર્યા હતા.


Spread the love

Related posts

સુગરથી બચવા તમે પણ કરો છો સુગર ફ્રી પ્રોડક્ટનો ઉપયોગ? તો જાણી લો શરીર માટે મીઠા ઝેર બરાબર છે આ સ્વીટનર

Team News Updates

ઉત્તર ભારતમાં આગામી 2 દિવસ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ:હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા ચાલુ રહેશે, 10 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે

Team News Updates

Football Match In Jamaica: લોકોના મોત,Live મેચમાં ગોળીનો વરસાદ થતા,ઘાયલ  અનેક ચાહકો

Team News Updates