News Updates
NATIONAL

વૈશાખી પૂનમ:યાત્રાધામ ડાકોર અને વડતાલમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, ડાકોરના ઠાકોરને કેરીનો રસ અને દૂધભાત ધરાવાયા

Spread the love

આજે શુક્રવારે વૈશાખી પૂનમ નિમિત્તે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર અને વડતાલમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ખાસ દર પૂનમ ભરવા દુર દુરથી આવતાં ભક્તોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડાકોરમાં તો ભગવાન ભક્તો માટે વહેલા ઉઠ્યા હતા અને ભક્તોને દર્શન આપ્યા હતા.

વૈશાખ સુદ પૂનમ નિમિત્તે ભક્તો ભગવાનના દ્વારે દર્શન કરવા પહોંચ્ય છે. જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજે વહેલી સવારની મંગળા આરતીથી જ ભક્તોની‌ ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે 5:15 વાગ્યે મંગળાઆરતી, જે બાદ 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહ્યા હતા. આ બાદ 8:30 ભગવાનને 3 ભોગ ધરાવવામાં આવ્યા હતા. આ પછી 12:30 સુધી ઠાકોરજીના રાજભોગ દર્શન પછી 4 વાગ્યે મંદિર ખુલશે. આ દરમિયાન ઠાકોરજીને કેરીનો રસ અને દૂધભાત ધરાવાયા હતા.

દુર દુર પગપાળા દર્શન કરવા આવેલા ભક્તોમાં દર્શન કરી રાજીપો વ્યક્ત કર્યો હતો. દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓ માટે ભંડારાની પણ સુવિધા ભક્તો દ્વારા કરાઈ છે. આ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય રાજધાની વડતાલ ખાતે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભગવાન શ્રી હરીના દર્શન કરવા ભક્તો સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાંથી લોકો ઉમટ્યા છે. આમ વૈશાખી પૂનમ ભરવા ઠેકઠેકાણેથી ડાકોર અને વડતાલમાં આવતાં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે.


Spread the love

Related posts

હવાનું પ્રદૂષણ અટકાવવા માટે BMCએ જાહેર કરી ગાઈડલાઈન્સ, પાલન નહીં કરો તો થશે કડક કાર્યવાહી

Team News Updates

કર્ણાટકને સાર્વભૌમ કહેવા પર સોનિયા સામે ફરિયાદ:ભાજપે ચૂંટણી પંચને કહ્યું- કોંગ્રેસની નજરમાં કર્ણાટક દેશથી અલગ, FIR નોંધવી જોઈએ

Team News Updates

આ છે બાસમતી ચોખાની શ્રેષ્ઠ જાતો, કોઈપણ વિસ્તારમાં વાવણી કરવાથી મળશે બમ્પર ઉપજ

Team News Updates