News Updates
NATIONAL

સ્વામી વિવેકાનંદની શીખ:જ્યારે કોઈ કામમાં ભૂલ થાય અને લોકો ટીકા કરવા લાગે ત્યારે ક્રોધ ન કરો, શાંતિથી જવાબ આપો.

Spread the love

સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલો એક કિસ્સો છે. સ્વામીજી અમેરિકામાં પ્રવચનો આપતા હતા. પ્રવચનો સાંભળનારા મોટા ભાગના લોકો ભારતીય હતા.

સ્વામીજીએ સ્વદેશી વસ્ત્રો પહેર્યા હતા અને તેઓ માત્ર સ્વદેશી વસ્તુઓ અપનાવવાની વાત કરતા હતા. ત્યાં હાજર તમામ લોકો તેમની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ત્યારે સ્વામીજીના ચરણોમાં કોઈનું ધ્યાન નહોતું. વાસ્તવ તેમને સ્વદેશી કપડાં પહેર્યા હતા, પરંતુ તેમના શૂઝ વિદેશી હતા.

પ્રવચન પૂરું થયા પછી એક અંગ્રેજ મહિલા તેમની પાસે આવી. મહિલાએ કહ્યું કે સ્વામીજી, તમે સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા માટે સારું પ્રવચન આપ્યું છે, હું તમારી વાતથી ખૂબ પ્રભાવિત થઈ છું, પરંતુ જ્યારે મેં તમારા પગ તરફ જોયું તો તમે વિદેશી પગરખાં પહેરેલા હતા. શા માટે?

સ્વામીજીએ કોઈ મજબૂરીને કારણે તે ચંપલ પહેર્યા હતા.તેમને પોતાની મજબૂરી ના કહી. તેમણે કહ્યું હતું કે આપણા દેશમાં અંગ્રેજોનું સ્થાન શું હોવું જોઈએ તે બતાવવા માટે ક્યારેક વિદેશી જૂતા પહેરું છું.

ઘણા લોકો પેલી સ્ત્રી અને સ્વામીજીના શબ્દો સાંભળી રહ્યા હતા. સ્વામીજીનો જવાબ સાંભળીને બધા તાળીઓ પાડવા લાગ્યા. આનાથી અંગ્રેજ મહિલાના ચહેરા પર પણ સ્મિત આવી ગયું. વિવેકાનંદે આ જવાબ આપીને અંગ્રેજી વ્યવસ્થા સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો, પણ હાસ્ય અને મજાક સાથે.

સ્વામીજીનો બોધપાઠ
ઘણી વખત આપણે જાણતાં-અજાણતાં ભૂલો કરીએ છીએ અને લોકો તક મળતાં જ આપણી ટીકા કરે છે. આવી સ્થિતિમાં ગુસ્સો આવે તે સ્વાભાવિક છે, પરંતુ આપણે આપણા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ અને ધીરજ જાળવી રાખવી જોઈએ. જો તમે ટીકાકારોને શાંતિથી જવાબ આપો, તો વિવાદો ટાળી શકાય છે અને પરિસ્થિતિઓને સામાન્ય બનાવી શકાય છે.


Spread the love

Related posts

કોંગ્રેસ અને AAPને લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક ઝટકો, 300થી વધારે કાર્યકરો જોડાયા ભાજપમાં

Team News Updates

PM મોદી આજે દક્ષિણ ભારતના પ્રવાસે, તામિલનાડુ, કેરળ અને તેલંગાણામાં જનસભાને સંબોધિત કરશે

Team News Updates

પાઇલટની જનસંઘર્ષ યાત્રા શરૂ:પોસ્ટરમાં રાહુલ-પ્રિયંકાના ફોટા નહીં, સચિને કહ્યું- પેપરલીક કેસના આરોપી કટારાના ઘર પર બુલડોઝર કેમ ન ચાલ્યું?

Team News Updates