News Updates
BUSINESS

GoFirstની તમામ ફ્લાઇટ્સ 30 જુલાઈ સુધી સ્થગિત:કંપનીની તમામ ફ્લાઇટ્સ 3 મેથી બંધ, એરલાઇન રોકડની તંગી સાથે સંઘર્ષ કરી રહી છે

Spread the love

રોકડની તંગી ધરાવતી GoFirst એરલાઈનની તમામ ફ્લાઈટ્સ 30 જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કંપનીની ફ્લાઈટ્સ 3 મેથી ઉડાન ભરી શકી નથી. એરલાઇન એક સમયે દરરોજ 200 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરતી હતી.

એન્જિન સપ્લાયના અભાવે કામગીરી બંધ કરવી પડી હતી
એરલાઈન્સનો દાવો છે કે એન્જિનની સપ્લાય ન થવાને કારણે તેણે તેનું સંચાલન બંધ કરવું પડ્યું છે. યુએસ એરક્રાફ્ટ એન્જિન ઉત્પાદક પ્રેટ એન્ડ વ્હિટની (PW) GoFirstને એન્જિન સપ્લાય કરવાના હતા, પરંતુ સમયસર ડિલિવરી ન કરી. આવી સ્થિતિમાં GoFirstને તેના અડધાથી વધુ ફ્લીટ એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કરવું પડ્યું હતું. જેના કારણે તેને ભારે નુકસાન થયું હતું.

ફ્લાઈંગ ન થવાને કારણે તેની પાસે રોકડની તંગી હતી અને ઈંધણ ભરવા માટે પૈસા બચ્યા ન હતા. આ એન્જિનનો ઉપયોગ એરલાઈન્સના A20 Neo એરક્રાફ્ટમાં થાય છે. એરલાઇનના CEO કૌશિક ખોનાએ દાવો કર્યો છે કે એન્જિન ખરાબ થવાને કારણે કંપનીને છેલ્લા ત્રણ વર્ષમાં $1.1 બિલિયન એટલે કે લગભગ 8.9 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આખો મામલો 5 મુદ્દામાં સમજો..

  • GoFirst એરલાઈને 2 મેના રોજ જણાવ્યું હતું કે તે 3, 4 અને 5 મે માટે તેની તમામ ફ્લાઈટ્સ રદ કરી રહી છે.
  • 3 મેના રોજ, એરલાઇન સ્વૈચ્છિક નાદારીની અરજી માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પાસે પહોંચી હતી.
  • 4 મેના રોજ, NCLTએ ગો ફર્સ્ટ એરલાઇનની અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો.
  • ફ્લાઇટ સસ્પેન્શન 4 મેથી 9 મે સુધી લંબાવવામાં આવ્યું છે. ત્યારબાદ તેને 23મી જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી.
  • 10 મેના રોજ, NCLTએ એરલાઇનને રાહત આપી અને મોરેટોરિયમની માગણી સ્વીકારી અને IRPની નિમણૂક કરી.
  • લેસર્સે એનસીએલટીના આ આદેશ સામે એનસીએલએટી એટલે કે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલમાં પણ અપીલ કરી હતી.
  • એપેલેટ ટ્રિબ્યુનલે NCLATના આદેશને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ ગો ફર્સ્ટથી ડીજીસીએને રિવાઇવલ પ્લાન આપવામાં આવ્યો હતો.

Spread the love

Related posts

The Great Khali Love Story : 7 ફૂટ 1 ઇંચ ઉંચા ‘ધ ગ્રેટ ખલી’ પર કેવી રીતે આવ્યું હરમિંદર કૌરનું દિલ, લવ સ્ટોરી છે રસપ્રદ

Team News Updates

બર્થ સર્ટિફિકેટથી ડ્રાઇવિંગ લાઇસન્સ-આધાર બનાવવા જેવા કામ થશે:1 ઓક્ટોબરથી લાગુ થશે નવો નિયમ, ચોમાસુ સત્રમાં બિલ પાસ થયું

Team News Updates

આ દંપતીએ તિરૂપતિ બાલાજી મંદિરમાં કર્યુ 1.25 કરોડ રૂપિયાના 2 કિલો સોનાનું દાન

Team News Updates