News Updates
RAJKOT

“મેરી મિટ્ટી, મેરા દેશ” અભિયાન:રાષ્ટ્ર કાજે પ્રાણ ન્યોછાવર કરનાર સ્વાતંત્ર વીરો, શહીદો અને વર્તમાન દેશ સેવામાં કાર્યરત જવાનોનું સન્માન

Spread the love

હાલ સમગ્ર રાષ્ટ્રમાં “મેરી મિટ્ટી, મેરા દેશ” અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે રાષ્ટ્ર કાજે સેવામાં પ્રાણ ન્યોછાવર કરનાર સ્વાતંત્ર્ય વીરો, શહીદો અને વર્તમાનમાં દેશ સેવામાં કાર્યરત જવાનોને આ પ્રસંગે સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્ર લક્ષી કાર્યક્રમમાં સૌ નાગરિકોનો અલગ ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે હાલ “મેરી મિટ્ટી, મેરા દેશ” આ અભિયાન થકી દેશપ્રેમનો જુવાળ સૌ નાગરિકોમાં જોવા મળી રહ્યો છે.

જવાનો માટે આ અભિયાન ખુશીનો
મૂળ રાણપુરના વતની અને હાલ રાજકોટ સ્થાયી થયેલા રિટાયર્ડ કર્નલ પી.પી.વ્યાસ “મારી માટી,મારો દેશ” અભિયાનની સરાહના કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ અભિયાનનો વિચાર એ અમ સૌ જવાનો માટે અત્યંત હર્ષરૂપ છે. ભારતની આઝાદીમાં યોગદાન આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરોને યાદ કરવાનો, ભારતના સમૃદ્ધ વારસા અને આઝાદીના ગૌરવનું સન્માન કરવાનો આ અવસર છે.

નવ યુવાનો દેશ માટે પરિશ્રમનો અનુરોધ
કર્નલ વ્યાસે યુવાનોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, ભારતના આઝાદીના અમૃત મહોત્સવના પર્વ પર “મારી માટી, મારો દેશ” અભિયાન દ્વારા પોતાના દેહની આહુતિ દઇ પરિવારને ન્યોછાવર કરનાર દેશના વીરો તથા વીરાંગનાઓના સમર્પણને સૌ હંમેશાં યાદ રાખે તેમજ યુવાન દીકરા-દીકરીઓ મહેનત કરી, સત્યના માર્ગે ચાલી આપણા દેશને લૂંટનારા તત્વોથી દૂર રહે. યુવાધન સારા તત્વોનો સંગ કરી દેશના વિકાસના વાહકો બને, દેશની અખંડિતતાના સંરક્ષકો બને અને દેશને ફરીથી સોનાની ચિડીયા બનાવવા માટે પરિશ્રમ કરે. સાથે જ પોતાના દેહની આહુતિ આપનાર શહીદોના પરિવારો, તેના બાળકોને હંમેશા સન્માન આપી શકય મદદ કરીને પણ દેશ સેવકોનું ઋણ ઉતારવા, દેશપ્રેમને જાગૃત કરવા પ્રયત્નશીલ બનવા કર્નલ વ્યાસે અપીલ કરી હતી.

સ્પર્ધાત્મક પરીક્ષા નિ:શુલ્ક તૈયારી
નિવૃત કર્નલ પી.પી.વ્યાસે પોતાના કાર્યકાળ દરમિયાન નાગાલેન્ડ, જમ્મુ-કાશ્મીર વગેરે સ્થળો પર પ્રશંસનીય ફરજ બજાવી છે, જે બદલ તેમને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. દેશસેવા બાદ તેઓ હાલ સમાજ સેવાની અનેક પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને ઇન્ટરવ્યૂની તૈયારી નિ:શુલ્ક કરાવે છે, ત્યારે નિવૃત્તિ પછી પણ સમાજ માટે અત્યંત પ્રવૃત્ત રહેલા આ વીર યોદ્ધાની આજના યુવાનોને કરવામાં આવેલી અપીલને વધાવીએ. ચાલો સૌ દેશસેવા માટે હંમેશ અગ્રસર રહીશું તેવું પ્રણ લઇએ. ‘આપણી માટી આપણા દેશને નમન. વીરોના વંદન’ કરીએ.


Spread the love

Related posts

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો:રાજકોટમાં દોઢ વર્ષનું બાળક એક મહિનાથી બીમાર હતું, તપાસ કરી તો ખબર પડી કે શ્વાસનળીમાં સીંગનો દાણો ફસાયેલો હતો; દૂરબીનથી કઢાયો

Team News Updates

અમદાવાદ પહોંચવા માટે સમય-ખર્ચ બચશે:રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેક 116 કિલોમીટર એરિયાની કામગીરી પુર્ણ, PM મોદીના હસ્તે લોકાર્પણ થશે

Team News Updates

78 કલાક પછી TRP ગેમ ઝોનમાંથી એક ઘડિયાળ, એક બ્રેસલેટ, એક કડું અને બે મોબાઈલ મળ્યાં,માનવ શરીર સાથે રાખ બાકી બધું

Team News Updates