News Updates
NATIONAL

વિટામિન A,B12,C,D,E જ નહીં Vitamin P પણ સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક

Spread the love

સ્વસ્થ રહેવા માટે ખોરાકમાં વિટામિન્સ (Vitamin P) હોવું ખૂબ જ જરૂરી છે. તમે અત્યાર સુધી ઘણા વિટામિન્સના નામ તો સાંભળ્યા જ હશે, પરંતુ શું તમે વિટામિન P વિશે જાણો છો?

સ્વસ્થ રહેવામાં વિટામિન્સ મહત્વની ભૂમિકા ભજવે છે. વિટામિનની ઉણપને સંતુલિત આહાર દ્વારા દૂર કરી શકાય છે. જો શરીરમાં કોઈ વિટામીનની ઉણપ છે, તો તે તમારા સ્વાસ્થ્ય પર ઘણી અસર કરી શકે છે. તમે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે ‘વિટામિન પી’ (Vitamin P)વિશે સાંભળ્યું છે અને આ વિટામિનની ઉણપથી શું સમસ્યાઓ થાય છે અને તેના શું ફાયદા છે.

આ સાથે એ જાણવું પણ જરૂરી છે કે તમારા આહારમાં કયા ખોરાકનો સમાવેશ કરીને તમે આ વિટામિનની ઉણપને પૂરી કરી શકો છો. વિટામિન પી એક પ્રકારના ફ્લેવોનોઈડ તરીકે ઓળખાય છે. તેમાં ફાયટોન્યુટ્રિઅન્ટ્સ અને એન્ટીઑકિસડન્ટો મળી આવે છે. તેની ઉણપને કારણે અનેક પ્રકારની બીમારીઓ તમારા શરીરમાં ઘર કરી શકે છે. તેથી, તમારા આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરીને, તમે તેની ઉણપને પૂરી કરી શકો છો.

ખાટ્ટા ફળો

વિટામિન પીની ઉણપને પૂરી કરવા માટે ખાટાં ફળોને તમારા આહારનો ભાગ બનાવો. નારંગી, દ્રાક્ષ અને લીંબુ જેવા ફળોમાં ફ્લેવોનોઈડ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

ગ્રીન ટી

ગ્રીન ટીમાં કેટેચિન જોવા મળે છે, જે એક પ્રકારનો ફ્લેવોનોઈડ છે, જે વજન ઘટાડવાથી લઈને ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે, તેથી વિટામિન પીની ઉણપને પૂરી કરવા માટે ગ્રીન ટીને દિનચર્યામાં સામેલ કરો.

શાકભાજી

પાલક, બ્રોકોલી જેવી શાકભાજીમાં પણ ફ્લેવોનોઈડ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ શાકભાજીને રોજિંદા આહારમાં સામેલ કરવાના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો છે.

બેરી

જો તમે વિટામીન P ની ઉણપને પૂરી કરવા માંગો છો તો બ્લુબેરી, રાસ્પબેરી, બ્લેક બેરી અને સ્ટ્રોબેરી વગેરેને તમારા આહારનો ભાગ બનાવો. આ સિવાય સફરજન પણ એક ઉત્તમ વિકલ્પ છે.

ડાર્ક ચોકલેટ

ચોકલેટ તો મોટાભાગના લોકોને પસંદ હોય છે પરંતુ ડાર્ક ચોકલેટ તમામ લોકો ખાતા નથી. ડાર્ક ચોકલેટમાં કેટેચિન હોય છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા  નિષ્ણાતની સલાહ લો.)


Spread the love

Related posts

વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં બનશે –આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ બનાવવામાં આવી રહેલું આ હેરિટેજ કોમ્પલેક્ષ પ્રદર્શિત કરશે લોથલનો ૫ હજાર વર્ષ કરતાં વધારે જૂનો ઇતિહાસ

Team News Updates

ઉત્તર ભારતમાં આગામી 2 દિવસ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ:હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા ચાલુ રહેશે, 10 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે

Team News Updates

મોદીએ સાગરમાં સંત રવિદાસ મંદિર-સ્મારકનો પાયો નાખ્યો:100 કરોડમાં બનશે; PMએ કહ્યું- રવિદાસે કહ્યું હતું કે પરાધીનતા એ સૌથી મોટું પાપ છે

Team News Updates