News Updates
AHMEDABAD

નર્મદા ડેમના 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલાયા:પાણીની આવક 9.38 લાખ ક્યૂસેક, સપાટી 136.11 મીટર પહોંચી, વડોદરાના 25 ગામને એલર્ટ આપવામાં આવ્યું

Spread the love

પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પૂરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ. કરવામાં આવી રહ્યા છે. ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પૂરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બપોરે 12 વાગ્યે 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 1,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં પાણીની સપાટી 136.11 મીટર છે. પાણીની આવક 9,38,060 ક્યૂસેક, 3 કલાકમાં સરેરાશ આવક 6,82,791 ક્યૂસેક છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 41,919 ક્યૂસેકની જાવક છે. વડોદરા જિલ્લાના 25 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે.

કરજણ તાલુકાના 22 ગામ એલર્ટ
નર્મદા ડેમમાંથી પાણી છોડાવાની શક્યતાઓને પગલે વડોદરા જિલ્લાના નદી કાંઠાના ગામોને અલર્ટ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે. વડોદરાના ડભોઇ તાલુકાના 3, શિનોર અને કરજણ તાલુકાના કુલ 22 ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ છે. શરૂઆતમાં 1.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ હતી. ત્યારબાદ દર કલાકે વધુ ગેટ ખોલી પાણી છોડવાની શક્યતાઓના પગલે જિલ્લા કલેક્ટર અતુલ ગોરે વડોદરા જિલ્લાના નર્મદા નદી કાંઠા શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના ગામડાઓને સાવધ કરવા તાલુકા તંત્ર વાહકોને જણાવ્યું છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી
ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત 25 ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ઈન્દિરાસાગર ડેમના 12 દરવાજા 10 મીટર ખોલાયા
ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, એટલે કે સંપૂર્ણ ડેમ ભરાવામાં 3.26 મીટરનું છેટું છે. પાણીની ધરખમ આવકથી ડેમ છલોછલ થાય તોપણ નવાઈ નહીં. બીજી તરફ, ઈન્દિરાસાગર ડેમના 12 દરવાજા 10 મીટર ખોલવામાં આવ્યા છે તેમજ પાવરહાઉસના 8 યુનિટમાંથી કુલ 9.89 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં નર્મદા ડેમમાં આવક વધી રહી છે.

ગુજરાતમાં આથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 16થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMDએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે પશ્ચિમ મધ્યપ્રદેશ રેડ એલર્ટ પર છે, કારણ કે 17 સપ્ટેમ્બર સુધી અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

આજે દક્ષિણ ગુજરાતને ધમરોળશે
હવામાન વિભાગ મુજબ આજે શનિવારે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આજથી એટલે કે 16થી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મધ્યમ, ભારે તેમજ અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે નર્મદા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

મધ્ય-ઉત્તર ગુજરાતમાં પણ આગાહી
બીજી તરફ, દક્ષિણ ગુજરાતની જેમ અમદાવાદ, વડોદરા, આણંદ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બરે અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા અને પાટણમાં સારો વરસાદ પડી શકે છે. આ તરફ, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી સહિત કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.


Spread the love

Related posts

ગુજરાતની ત્રીજી વંદે ભારત ટ્રેન:જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે, સાબરમતીથી વિરમગામ સુધી 120ની સ્પીડે દોડાવી ટ્રાયલ રન કરાયું, 24મીએ PM લીલી ઝંડી આપશે

Team News Updates

ગીર અભ્યારણ્ય જીપ્સી કેસ:જીપ્સી એસોસિએશને પક્ષકાર તરીકે જોડાવા માંગ કરી, કોર્ટે જિપ્સી એલોટમેન્ટ લેટર માંગ્યો

Team News Updates

Dharm: શ્રી સ્વામિનારાયણ પાલ્લી સુવર્ણ પ્રતિષ્ઠા અંતર્ગત યાત્રા યોજાઈ

Team News Updates