News Updates
INTERNATIONAL

માલદીવમાં સૈનિકોની જગ્યા ટેકનિકલ સ્ટાફ લેશે:વિદેશ મંત્રાલયે કહ્યું- ત્રીજા રાઉન્ડની વાતચીત ટૂંક સમયમાં, માલદીવને આવતી મદદમાં ઘટાડાની વાતને નકારી

Spread the love

માલદીવમાં હાજર ભારતીય સૈનિકોની જગ્યાએ હવે ભારતીય ટેકનિકલ સ્ટાફ લેવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી.

જયસ્વાલે ભારત તરફથી માલદીવને આપવામાં આવતી મદદમાં ઘટાડો કરવાની વાતને પણ ખોટી ગણાવી હતી. કહ્યું- આમાં કોઈ ઘટાડો થયો નથી. બંને દેશો વચ્ચે ત્રીજો રાઉન્ડ ટૂંક સમયમાં યોજાશે.

માલદીવ માટે બજેટમાં વધારો

  • માલદીવ અને ભારત વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી તણાવ અને ત્યાં હાજર લગભગ 80 સૈનિકોને પાછા ખેંચવાના મુદ્દા પર જયસ્વાલે કહ્યું- હાલમાં ત્યાં હાજર જવાનો (સૈનિક શબ્દનો ઉપયોગ કર્યો નથી)ની જગ્યાએ ભારતના ટેકનિકલ સ્ટાફને તહેનાત કરવામાં આવશે. .
  • તેમણે આ મુદ્દે વિગતવાર કંઈ કહ્યું ન હતું. ભારત દ્વારા માલદીવને આપવામાં આવેલી મદદના પ્રશ્ન પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું- આ વખતના બજેટમાં માલદીવ માટે 770.9 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. અમે માલદીવ માટે બજેટ વધાર્યું છે. ભવિષ્યમાં થનારી બાબતોના આધારે આ બજેટ ફાળવણીને પણ સુધારી શકાય છે. આ માટે રાહ જોવી પડશે. માલદીવના વિકાસમાં ભારત હજુ પણ મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે.
  • માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ તેમના દેશમાં હાજર ભારતીય સૈનિકોની પરત ફરવાની તારીખ 15 માર્ચ નક્કી કરી હતી. 2 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં બંને દેશો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર વાતચીતનો બીજો રાઉન્ડ યોજાયો હતો. નક્કી કરવામાં આવ્યું હતું કે ભારતીય સૈનિકો હવે 15 માર્ચ 2024ના બદલે 10 મે 2024 સુધીમાં પરત ફરી શકશે.
  • આ મામલામાં નવી વાત એ છે કે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ‘ટેકનિકલ સ્ટાફ’ સૈનિકોની જગ્યા લેશે. તેમણે આ મુદ્દે ક્યાંય સૈન્ય કે સૈનિક શબ્દનો ઉપયોગ કર્યો નથી.

ભારતીય વિદ્યાર્થીની હત્યાના આરોપીની ધરપકડ
જયસ્વાલને અમેરિકામાં ભારતીયો અને ભારતીય મૂળના વિદ્યાર્થીઓ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના પર તેમણે કહ્યું- ત્યાં 5 ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયા છે. જેમાંથી 2 ભારતીય હતા જ્યારે 3 ભારતીય મૂળના વિદ્યાર્થીઓ હતા. વિદ્યાર્થી વિવેક સૈનીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તમામ કેસની તપાસ ચાલી રહી છે. અમે આ બાબત પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ.

કેનેડાના આરોપો ખોટા છે

  • તાજેતરમાં, કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિદેશી દળો કેનેડાની ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ત્યાંની સરકારે આ મામલાની તપાસ માટે એક કમિશનની રચના કરી છે.
  • જ્યારે જયસ્વાલને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું- અમે આવા અહેવાલો પણ જોયા છે. કેનેડાની ચૂંટણીમાં ભારત હસ્તક્ષેપ કરી રહ્યું હોવાના આક્ષેપો પાયાવિહોણા છે. અન્ય દેશોની લોકતાંત્રિક પ્રક્રિયામાં દખલગીરી કરવી એ ભારત સરકારની નીતિ નથી. સત્ય તેનાથી વિરુદ્ધ છે. કેનેડા અમારી આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
  • આ મામલે અન્ય એક પ્રશ્નનો જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું – અમે કેનેડા સમક્ષ આ મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો છે કે તેમની ધરતી પરથી ભારતના મામલામાં દખલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમે હજુ પણ કહેવા માંગીએ છીએ કે કેનેડા સરકારે અમારી ચિંતાઓને ઉકેલવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.

Spread the love

Related posts

બેનઝીરની નાની પુત્રી આસિફા રાજકારણમાં ઝંપલાવશે:ભાઈ બિલાવલની સીટ પરથી ચૂંટણી લડશે; 3 વર્ષ પહેલાં ઈમરાનને પડકાર કર્યો હતો

Team News Updates

ધમકીભર્યો મળ્યો ઈ-મેઈલ, 7 એરપોર્ટ ખાલી કરાવાયા

Team News Updates

પાકિસ્તાનના શાસક ગઠબંધનમાં વિભાજન:ઝરદારીની પાર્ટીએ કહ્યું- આ ચૂંટણી બજેટથી લોકો પરેશાન છે; સરકારે કહ્યું- રાજકારણ પછીથી પણ કરી શકાય છે

Team News Updates