News Updates
INTERNATIONAL

બેનઝીરની નાની પુત્રી આસિફા રાજકારણમાં ઝંપલાવશે:ભાઈ બિલાવલની સીટ પરથી ચૂંટણી લડશે; 3 વર્ષ પહેલાં ઈમરાનને પડકાર કર્યો હતો

Spread the love

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની નાની પુત્રી આસિફા ભુટ્ટો હવે રાજકારણમાં પૂર્ણ રીતે મેદાનમાં ઉતરવા જઈ રહી છે. ‘જિયો લાઈવ’ના રિપોર્ટ પ્રમાણે – નેશનલ એસેમ્બલીની પેટાચૂંટણીમાં આસિફા ભાઈ બિલાવલની શહદકોટ સીટથી ચૂંટણી લડવાની તૈયારીમાં છે.

બિલાવલે શહદકોટ સિવાય લરકાનાથી પણ ચૂંટણી લડી હતી. તેમણે બંને બેઠકો જીતી હતી. તેઓએ સીટ ખાલી કરવી પડશે. એવું માનવામાં આવે છે કે તેઓ લરકાના બેઠક જાળવી રાખશે અને શહદકોટથી બહેન આસિફાને ચૂંટણી લડાવીને રાજકારણમાં પ્રવેશ કરશે. આની જાહેરાત કોઈપણ સમયે થઈ શકે છે.

એક કાંકરે બે પક્ષીનો શિકાર

  • રિપોર્ટ અનુસાર- આસિફ અલી ઝરદારી અને બિલાવલે આસિફાને રાજકારણમાં પ્રવેશ કરાવવાનું મન બનાવી લીધું છે. જો કે, તે ત્રણ વર્ષ પહેલા પણ રાજકીય રીતે સક્રિય થઈ ગઈ હતી, પરંતુ તે પછી તે લંડન પરત આવી ગઈ હતી. આ વખતે બિલાવલ અને આસિફ અલીના નજીકના સૂત્રો એ વાતની પુષ્ટિ કરી રહ્યા છે કે આસિફાના ચૂંટણી રાજકારણમાં પ્રવેશ કરવાની જાહેરાત ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવશે.
  • ખરેખરમાં ઝરદારી અને બિલાવલ એક કાંકરે બે પક્ષી મારવા માંગે છે. ઘણા લોકોને આસિફામાં તેની માતા અને પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની ઝલક જોવા મળે છે. તેમની સ્પીચ પણ ઘણી પસંદ કરવામાં આવે છે. આ સિવાય તે લંડનમાં રહીને પણ પાકિસ્તાનની રાજનીતિમાં સક્રિય રહે છે. એવું પણ કહેવાય છે કે બિલાવલ નવાઝ શરીફની પાર્ટીને સમર્થન આપવાના મૂડમાં નથી. આસિફાએ તેને આ માટે તૈયાર કર્યા.
  • હવે આસિફા માત્ર શહદકોટ સીટ જીતીને સંસદમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને મજબૂત કરવા માંગતી નથી, પરંતુ તેના પિતા આસિફ અલી ઝરદારીના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભાઈ બિલાવલને પણ સમર્થન આપવા માંગે છે. આ માટેની યોજના બિલાવલ અને પિતા આસિફ અલી ઝરદારીએ પણ તૈયાર કરી છે.
  • આસિફા પાસે બે વિકલ્પ છે
  • રિપોર્ટ અનુસાર આસિફા પાસે સાંસદ બનવા માટે બે વિકલ્પ છે. ખરેખરમાં આસિફ અલી ઝરદારી રાષ્ટ્રપતિ બનશે તે નિશ્ચિત છે. જો આમ થાય તો શહદકોટ સિવાય આસિફા પાસે વિકલ્પ તરીકે નવાબશાહની બેઠક પણ છે. અત્યાર સુધી ઝરદારીએ અહીંથી ચૂંટણી જીતી છે.
  • જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી 8 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણી પહેલા પ્રચાર કરી રહી હતી ત્યારે પાર્ટીએ નિર્ણય લીધો હતો કે જો કોઈ પાર્ટીને પૂર્ણ બહુમતી એટલે કે 134 સીટો નહીં મળે તો આવી સ્થિતિમાં પાર્ટી બિલાવલના પરિવારની મદદ લેશે.શું કોઈ ચહેરો લાવશે? ?
  • ઝરદારીની મોટી દીકરી એટલે કે આસિફાની મોટી બહેન બખ્તાવર લગ્ન પછી દુબઈમાં સ્થાયી થઈ ગઈ છે. તેને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. તેથી એવું માનવામાં આવે છે કે આસિફ અલીની વધતી ઉંમરને કારણે અને રાજકારણમાં તેની છેલ્લી ઈનિંગ પહેલા આસિફાને પણ રાજકીય પ્લેટફોર્મ આપવામાં આવે.
  • ભવિષ્યમાં મરિયમ વિ. આસિફા
  • પાકિસ્તાની રાજનીતિમાં નવા ચહેરાઓ માટે આવનારા કેટલાક વર્ષો ખાસ હોઈ શકે છે. જો ઝરદારી પરિવાર તરફથી બિલાવલ બાદ આસિફાને મેદાનમાં ઉતારવાની તૈયારી છે તો બીજી તરફ નવાઝ શરીફના પરિવાર તરફથી મરિયમ પંજાબની મુખ્યમંત્રી બનવા જઈ રહી છે. આ સિવાય નવાઝના પુત્ર હમઝાએ પણ રાજકારણમાં પ્રવેશ કર્યો છે.
  • આ બે રાજકીય જૂથો સિવાય, ત્રીજો પક્ષ છે ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ એટલે કે પીટીઆઈ. ઈમરાન સિવાય તેમાં સ્પષ્ટપણે સેકન્ડ લાઈન લીડરશિપનો અભાવ છે. તેનું કારણ એ છે કે ઈમરાન જ પીટીઆઈ છે અને ઈમરાન પીટીઆઈની કરોડરજ્જુ છે. જો તેઓ ત્યાં નહીં હોય તો પક્ષનું અસ્તિત્વ જોખમમાં હોવાનું જણાય છે.
  • ઈમરાન સામે કડક વલણ
  • ત્રણ વર્ષ પહેલા એટલે કે 2021માં આસિફાએ ભાઈ બિલાવલ સાથે ઘણી રેલીઓ કરી હતી. ત્યારે ઈમરાન ખાન વડાપ્રધાન હતા. આસિફાએ એક રેલીમાં કહ્યું હતું – હવે સમય આવી ગયો છે જ્યારે દેશમાં સત્તામાં રહેલી પસંદ કરેલી સરકારને ઘરે મોકલી દેવી જોઈએ. અમે બધા ઈમરાનને ઈલેક્ટેડ નહીં, પણ સિલેક્ટેડ વડાપ્રધાન માનીએ છીએ.
  • આસિફાએ વધુમાં કહ્યું- ઈસ્લામાબાદમાં બેઠેલી સરકાર ખોટા વહેમમાં છે કે તે વિપક્ષને દબાવી દેશે. અમે દરેક જુલમ સામે અવાજ ઉઠાવીશું. ઈમરાનને એક જ સંદેશ છે – તમારો સમય પૂરો થઈ ગયો છે. હવે તમારા બિસ્ત્રા- પોટલા બાંધી લો અને રવાના થઈ જાઓ. મારી માતાએ દેશ માટે બલિદાન આપ્યું છે. પિતા આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે. ઈમરાન વિચારે છે કે અને લોકો જુલમથી ડરી જઈશું. જો તેઓ અમારા ભાઈઓની ધરપકડ કરશે તો અમે બહેનો તેમની સામે સખત લડાઈ લડશે.
  • ઝરદારી પરિવાર પર નજર
  • આસિફ ઝરદારી અને બેનઝીરને ત્રણ બાળકો છે. 30 વર્ષની આસિફા સૌથી નાની છે. તેનું સમગ્ર શિક્ષણ બ્રિટનમાં મેળવ્યું હતું. આસિફાની મોટી બહેન બખ્તાવરના લગ્ન લંડનના બિઝનેસમેન સાથે થયા છે. ભાઈ બિલાવલ પીપીપીના અધ્યક્ષ છે. પિતા બીજી વખત રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. 27 ડિસેમ્બર 2007ના રોજ એક આત્મઘાતી હુમલામાં માતા બેનઝીરનું મોત થયું હતું.

Spread the love

Related posts

કેનેડાની સંસદમાં નાઝી સૈનિકનું સન્માન, પછી માફી માંગી:ટ્રુડો હાજર હતા; હિટલરની સેનાએ 11 લાખ હત્યા કરી, જેમાં મોટાભાગના યહૂદી હતા

Team News Updates

ભારત અને રશિયા વચ્ચે બની શકે છે નવો દરિયાઈ માર્ગ, આ નવો રૂટ ગેમ ચેન્જર સાબિત થશે

Team News Updates

ચીને પાકિસ્તાનને લગાવ્યો ચુનો, મિત્ર દેશે પાવર પ્લાન્ટમાં કરી અબજો રૂપિયાની છેતરપિંડી, હવે હંગામો

Team News Updates