News Updates
NATIONAL

 પેટીએમના શેરને પાંખો લાગી સેમસંગ હાથ મિલાવતા ,ઉછળ્યો સ્ટોક 9 ટકા સુધી

Spread the love

Paytm ની પેરન્ટ કંપની One97 Communications ના શેર આજે 439 પર પહોંચ્યો ત્યારે રોકાણકારો માટે ખુશીનો સમય હતો. કંપનીનો શેર આજના કારોબારમાં 29.70 રૂપિયા અથવા 7.38% વધીની 432 રૂપિયાની ઊંચી સપાટીએ સવારે 11 વાગે પહોંચ્યો હતો.

શેર ફેબ્રુઆરીના સ્તરથી સારો રિકવર થયો છે. ભારતમાં સેમસંગ સાથે ભાગીદારીના અહેવાલ પછી આજે Paytmની પેરેન્ટ કંપની One97 કમ્યુનિકેશન્સનો સ્ટોક નવ ટકા વધ્યો હતો. સવારે 11 :08 વાગે 432.20 ની સપાટીએ શેર ટ્રેડ થઇ રહ્યો હતો.

NSE પર સવારના સોદામાં શેરે નવ ટકાનો ઉછાળો હાંસલ કરી 439 ની દિવસની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જેણે સતત ત્રીજા સત્રમાં લાભ લંબાવ્યો હતો. શેરે 5 દિવસમાં 22.98% રિટર્ન આપ્યું છે જયારે 1 મહિનામાં વળતર 25%કરતા વધુ રહ્યું છે.

કંપનીએ જાહેરાત કરી કે તે ફ્લાઇટ, બસ, મૂવીઝ અને ઇવેન્ટ ટિકિટ બુકિંગ માટે Samsung Wallet સાથે ભાગીદારી કરી રહી છે. આના પગલે Galaxy સ્માર્ટફોન વપરાશકર્તાઓને હવે Paytm ની સેવાઓની ઍક્સેસ હશે જેમાં ફ્લાઇટ અને બસ બુકિંગ, મૂવી ટિકિટ ખરીદી અને ઇવેન્ટ બુકિંગનો સમાવેશ થાય છે.

સેમસંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ગેલેક્સી સ્માર્ટફોન યુઝર્સ ફ્લાઇટ, બસ અને મૂવી બુકિંગ માટે Paytm Appનો ઉપયોગ કરે છે અને ઇવેન્ટ બુકિંગ માટે Paytm Insider App નો ઉપયોગ કરે છે જેથી તેઓની ટિકિટ સીધી સેમસંગ વોલેટમાં એડ ટુ સેમસંગ વોલેટમાં ઉમેરાય છે. આનાથી તેઓ એરપોર્ટ, બસ ટર્મિનલ, સિનેમા હોલ, ઈવેન્ટ વેન્યુ વગેરેમાં પ્રવેશવા માટે આને સરળતાથી એક્સેસ કરી શકશે.”

વર્ષ 2024 માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ક્લેમ્પડાઉનને કારણે તેના વ્યવસાયને અસર થયા પછી Paytm શેર દબાણ હેઠળ છે. BSE પર 9 મેના રોજ રૂપિયા 310ના 52-સપ્તાહની નીચી સપાટીને સ્પર્શ્યા બાદ સ્ટોક રિકવર થતો જોવા મળે છે. ૫ દિવસમાં સ્ટોક લગભગ 22% ઉપર છે.


Spread the love

Related posts

ભારત ઘુસણખોરી કરીને આપણાં નાગરિકોને મારી રહ્યું છે- PAK:આર્મી ચીફે કહ્યું- આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરવો તેમની આદત, દરેક હુમલાનો જવાબ આપીશું

Team News Updates

ચિત્રકૂટના ધોધમાં 90 ફૂટની ઊંચાઈએથી છોકરીએ કૂદકો માર્યો:માતા-પિતાએ મોબાઈલ આપવાની ના પાડી તો આપઘાતનો પ્રયાસ કર્યો, તરીને બહાર આવી ગઈ

Team News Updates

ચતુર્મહાયોગ સાથે ગણેશ ચોથ કાલે:ગણપતિની સ્થાપના માટે માત્ર 2 શુભ મુહૂર્ત, મંગળવારે એ જ દુર્લભ સંયોગ જે ગણેશજીના જન્મ સમયે હતો

Team News Updates