કોંગ્રેસમાં મોટો ફેરફાર, ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલનું કદ ઘટ્યું શકિતસિંહ ગોહીલ દિલ્હી અને બિહારના ઇન્ચાર્જ

0
328

કોંગ્રેસમાંમોટો ફેરફાર કરતા ૨૩ નેતાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. ગુલામ નબી આઝાદને હરિયાણાના પ્રભારી મહાસચિવ પદથી હટાવી દેવામાં આવ્યા છે. સોનિયા ગાંધી માટે બનાવેલી સલાહકાર સમિતિમાં પણ ગુલામ નબીનો સમાવેશ કરાયો નથી. ગુલાબ નબી આઝાદ અને આનદં શર્મા ફકત વકિગ કમિટીના સભ્ય રહેશે. જિતીન પ્રસાદને બંગાળના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ફેરફારમાં કપિલ સિબ્બલનું પણ કદ ઘટ્યું છે.


શકિતસિંહ ગોહીલને દિલ્હી અને બિહારના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. રાજીવ સાતવને ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દિવના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.
આશા કુમારીની પંજાબમાંથી છુટ્ટી કરી દેવામાં આવી છે. હરીશ રાવત હવે પંજાબ કોંગ્રેસના પ્રભારી મહાસચિવનું પદ સંભાળશે. પાર્ટીમાં રણદીપસિંહ સુરજેવાલાનું કદ વધ્યું છે. તે મહાસચિવ પદ પર યથાવત્ રહેશે. આ સિવાય સોનિયા ગાંધીને પરામર્શ આપનાર કમિટીમાં પણ સમાવેશ થયો છે. . સુરજેવાલાને કર્ણાટકના પ્રભારી પણ બનાવ્યા છે. કોંગ્રેસ કાર્યસમિતિમાં રાહત્પલ ગાંધીનું કદ હજુ પણ ઉપર છે. સોનિયા ગાંધી અને મનમોહન સિંહ પછી રાહત્પલનું ત્રીજું સ્થાન છે. રાહત્પલના ખાસ મધુસુદન મિક્રીનું કદ પણ વધ્યું છે. અરવિંદર સિંહ લવલીનું પણ કદ વધ્યું છે.


સોનિયા ગાંધીએ પાર્ટી મામલામાં પોતાની મદદ માટે વિશેષ સમિતિ ગઠિત કરી છે. જેમાં એકે એન્ટોની, અહમદ પટેલ, અંબિકા સોની, કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક અને રણદીપ સુરજેવાલાનો સમાવેશ કર્યેા છે. સોનિયા ગાંધીએ પી ચિદમ્બરમ, જિતેન્દ્ર સિંહ, તારિક અનવર અને રણદીપ સુરજેવાલાને સીડબલ્યુસીના નિયમિત સભ્ય બનાવ્યા છે.