News Updates
NATIONAL

હવે જોધપુર-અમદાવાદ વચ્ચે દોડશે વંદે ભારત:2 કલાકનો સમય બચશે, પાંચ સ્ટેશન પર ઊભી રહેશે; 7 ટ્રેનનો સમય બદલાશે

Spread the love

ત્રણ મહિના બાદ રાજસ્થાનને બીજી વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આ સેમી-હાઇ સ્પીડ ટ્રેન જોધપુરથી સાબરમતી (ગુજરાત) વચ્ચે દોડશે. આ અંગે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. એ 7 જુલાઈથી શરૂ થશે, પરંતુ એ પહેલાં 4 જુલાઈએ એની ટ્રાયલ થશે. આ ટ્રેન જોધપુરથી સાબરમતી વચ્ચે 5 સ્ટેશન પર ઊભી રહેશે તેમજ એની કામગીરી પહેલાં રેલવે દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. આ ટ્રેનના સફળ સંચાલન માટે અમદાવાદથી જોધપુર જતી 7 ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ખરેખર ત્રણ મહિના પહેલાં અજમેરથી દિલ્હી દોડતી વંદે ભારત ટ્રેનના સમય દરમિયાન અન્ય એક્સપ્રેસ અને ઇન્ટરસિટી ટ્રેનોનાં શેડ્યૂલ ક્રોસ થઈ રહ્યાં હતાં. આવી સ્થિતિમાં એની અસર વંદે ભારતના મુસાફરોના ભારણ પર પણ જોવા મળી.

એને ધ્યાનમાં રાખતાં આ વખતે જોધપુરથી ગુજરાત વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનનું શેડ્યૂલ જાહેર કરતાં પહેલાં કેટલીક ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

ટ્રાયલની તૈયારીઓ પૂર્ણ

4 જુલાઈ સુધી જોધપુરની ભગત કી કોઠી અને સાબરમતી વચ્ચે ટ્રાયલ રન થશે. આ પછી 7 જુલાઈથી જોધપુરથી સાબરમતી સુધી વંદે ભારતનું સંચાલન કરવામાં આવશે. આ માટે જોધપુરના રેલવે સ્ટાફને મદાર કોચિંગ ડેપોમાં ટ્રેનિંગ આપવામાં આવશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી 7 જુલાઈએ એનું ઉદઘાટન પણ કરશે. જોકે હજુ એ નક્કી નથી થયું કે આ ઉદઘાટન વર્ચ્યુઅલ હશે કે પીએમ મોદી જોધપુર આવશે. સ્ટાફને તાલીમ આપવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નોર્થ વેસ્ટર્ન રેલવે હેડ ક્વાર્ટર દ્વારા ડિવિઝનલ રેલવે મેનેજર જોધપુરને પત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં 7મીએ વંદે ભારતના ઉદઘાટનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અઠવાડિયામાં છ દિવસ ચાલશે, રવિવારે મેઇન્ટેનન્સ થશે

આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ જોધપુરના ભગત કી કોઠી સ્ટેશનથી ચલાવવામાં આવશે. આ ટ્રેન સોમવારથી શનિવાર સુધી ચાલશે. મેઇન્ટેનન્સને કારણે આ ટ્રેન રવિવારે રદ રહેશે.

નિયત સમયપત્રક મુજબ, એ જોધપુરથી સાબરમતી વચ્ચે 6 સ્ટેશન પર થોભશે. આ ટ્રેન દરરોજ સવારે 6 વાગ્યે ભગત કી કોઠીથી ઊપડશે અને બપોરે 12:05 વાગ્યે સાબરમતી પહોંચશે. જ્યારે સાબરમતીથી 16:45 વાગ્યે નીકળીને 22:45 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. આ ટ્રેન પાલી, ફાલના, આબુ રોડ (સિરોહી), પાલનપુર (ગુજરાત), મહેસાણા સ્ટેશન પર ઊભી રહેશે.

8 કલાકને બદલે 6 કલાકની યાત્રા થશે

ભગત કી કોઠીથી સાબરમતીનું અંતર 446 કિલોમીટર છે. હાલમાં જોધપુરથી ચાલતી મોટા ભાગની ટ્રેનો 7.30થી 8.30 કલાકનો સમય લઈ રહી છે. વંદે ભારત આ અંતર 6 કલાક 5 મિનિટમાં કાપશે, એટલે કે જોધપુરથી સાબરમતી જવા માટે લગભગ 2 કલાકનો સમય બચશે. પાલી વિશે વાત કરીએ તો ટ્રેનમાં લગભગ 1 કલાક લાગે છે. વંદે ભારત માત્ર 30 મિનિટમાં પાલી સ્ટેશન પહોંચી જશે.

ડીઆઈએમ પંકજ કુમાર સિંહે જણાવ્યું હતું કે વંદે ભારત ટ્રેન જુલાઈમાં શરૂ થશે. બાકીના રેક્સ આવે ત્યારે જ એ ફાઇનલ થશે. અમે અમારા સ્તરે તમામ તૈયારીઓ કરી લીધી છે. એના ઓપરેશનને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

મેડિકલ અને પ્રવાસન બંનેને ફાયદો થાય છે

ખરેખરમાં આ ટ્રેન શરૂ થવાથી મેડિકલ અને ટૂરિઝમને સૌથી વધુ ફાયદો થવાનો છે, કારણ કે જોધપુર સહિત પાલી, ફાલના સ્ટેશનની આસપાસના વિસ્તારોમાંથી ઘણા લોકો અમદાવાદ અને પાલનપુર સારવાર માટે જાય છે. આવી સ્થિતિમાં આ લોકો માટે આ ટ્રેન ખૂબ જ અનુકૂળ રહેશે, કારણ કે આમાં સમયની બચત થશે અને લોકો સવારે નીકળીને બપોરે ગુજરાત પહોંચી જશે.

એ જ રીતે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો માઉન્ટ આબુ અને જોધપુર આવે છે. આ ટ્રેન વીકએન્ડ પર આવતા મુસાફરો માટે ફાયદાકારક સોદો સાબિત થશે.

ભાડું નક્કી નથી, પરંતુ ટિકિટ 800થી 1600 સુધીની હોઈ શકે છે

જાણકારોના મતે માત્ર રૂટ નક્કી કરવામાં આવ્યો છે. ભાડાં અંગે હજુ સુધી કોઈ દર નક્કી કરવામાં આવ્યો નથી, પરંતુ જો જયપુરથી દિલ્હી સુધી ચાલતી વંદે ભારત સાથે સરખામણી કરવામાં આવે તો એનું ભાડું પણ 800થી 1600 રૂપિયા હોઈ શકે છે.

આમાં બે કેટેગરી છે. પ્રથમ ચેર કાર અને બીજી એક્ઝિક્યુટિવ. ચેર કારમાં 800 રૂપિયા અને એક્ઝિક્યુટિવ કેટેગરીમાં 1600 રૂપિયા ભાડું નક્કી કરી શકાય છે, જેમાં રિઝર્વેશન, સુપરફાસ્ટ, GST અને કેટરિંગ ચાર્જનો સમાવેશ થાય છે.

અમદાવાદથી આ ટ્રેનોનું ટાઈમ ટેબલ બદલાયું

વંદે ભારતની કામગીરી પહેલાં અમદાવાદ પહોંચતી 7 ટ્રેનનાં ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અજમેરથી દિલ્હી સુધી વંદે ભારત રૂટ પર જયપુર દિલ્હી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ આ વખતે અમદાવાદ પહોંચતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

1. ટ્રેન નંબર 12489બિકાનેર-દાદર

તારીખ – 8મી જુલાઈથી અમદાવાદ સ્ટેશન પર

નિર્ધારિત સમય- 04.25 વાગ્યે આગમન અને 04.45 વાગ્યે પ્રસ્થાન

બદલાયેલો સમય- 04.20 વાગ્યે આગમન અને 04.30 વાગ્યે પ્રસ્થાન

2. ટ્રેન નંબર 20484 , ભગત કી કોઠી-દાદર

તારીખ- 07 જુલાઈ અમદાવાદ સ્ટેશન પર

નિર્ધારિત સમય- 04.25 વાગ્યે આગમન અને 04.45 વાગ્યે પ્રસ્થાન

બદલાયેલો સમય – 04.20 વાગ્યે આગમન અને 04.30 વાગ્યે પ્રસ્થાન

3. ટ્રેન નંબર 22738 , હિસાર-સિકંદરાબાદ

તારીખ- 07.જુલાઈ અમદાવાદ સ્ટેશન પર

નિર્ધારિત સમય- 07.55 વાગ્યે આગમન અને 08.10 વાગ્યે પ્રસ્થાન.

બદલાયેલો સમય- 07.50 વાગ્યે આગમન અને 08.00 વાગ્યે પ્રસ્થાન.

4. ટ્રેન નંબર 22916, હિસાર-બાંદ્રા ટર્મિનસ ટ્રેન

તારીખ- 11.જુલાઈ અમદાવાદ સ્ટેશન પર

નિર્ધારિત સમય – 07.55 વાગ્યે આગમન અને 08.10 વાગ્યે પ્રસ્થાન

બદલાયેલો સમય- 07.50 વાગ્યે આગમન અને 08.00 વાગ્યે પ્રસ્થાન

5. ટ્રેન નંબર 17624, શ્રીગંગાનગર-નાંદેડ ટર્મિનસ

તારીખ- 8 જુલાઈથી અમદાવાદ સ્ટેશન પર

નિર્ધારિત સમય- 07.55 વાગ્યે આગમન અને 08.10 વાગ્યે પ્રસ્થાન

બદલાયેલો સમય – 07.50 વાગ્યે આગમન અને 08.00 વાગ્યે પ્રસ્થાન

6. ટ્રેન નંબર 14707, બિકાનેર-દાદર

તારીખ- 6 જુલાઈથી અમદાવાદ સ્ટેશન પર

નિર્ધારિત સમય- 22.50 વાગ્યે આગમન અને 23.10 વાગ્યે પ્રસ્થાન

બદલાયેલો સમય – 22.50 કલાકે આગમન અને 23.05 કલાકે પ્રસ્થાન.

7. ટ્રેન નંબર 20944, ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ

તારીખ – 7 જુલાઈથી અમદાવાદ સ્ટેશન પર

નિર્ધારિત સમય- 00.35 વાગ્યે આગમન અને 00.45 વાગ્યે પ્રસ્થાન

બદલાયેલો સમય- 00.30 વાગ્યે આગમન અને 00.40 વાગ્યે પ્રસ્થાન.

ઓટોમેટિક સ્લાઈડ દરવાજા: આ સેમી-હાઇ સ્પીડ ટ્રેનમાં લોકોની સુરક્ષા માટે ખાસ કાળજી રાખવામાં આવી છે. એના તમામ દરવાજા ઓટોમેટિક છે, જ્યારે ટ્રેન સંપૂર્ણ સ્ટોપ પર આવશે ત્યારે જ ફાટક આપોઆપ ખૂલશે. ટ્રેનની સહેજ હિલચાલ પર દરવાજા ખૂલશે નહીં.

જે દિશામાં ટ્રેન, એ જ દિશામાં સીટોઃ આ કોચની સીટો વિસ્ટા ડોમ કોચ જેવી હશે. આ આરામદાયક સીટ પર, તમે તમારી બેઠક વ્યવસ્થા અનુસાર, એડજસ્ટ કરી શકશો. ટ્રેન જે દિશામાં દોડશે એ દિશામાં તમે સીટને પણ ફેરવી શકશો.

તમારો મેસેજ એક સ્વિચ દ્વારા પહોંચશેઃ મુસાફરોની સુવિધા માટે એમાં સ્વિચ અને સ્પીકર લગાવવામાં આવ્યાં છે. જો કોઈ મુસાફરે પોતાનો સંદેશ પાઇલટ સુધી પહોંચાડવો હોય તો સ્વિચ ઓન કરતાંની સાથે જ એનો અવાજ પાઇલટ રૂમ સુધી પહોંચી જશે.

CCTVથી સજ્જ કોચઃ આ લક્ઝરી ટ્રેનમાં રેલવે દ્વારા સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ કોચમાં સીસીટીવી તેમજ ફાયરનાં સાધનો, પ્રાથમિક સારવાર કિટ અને ઈમર્જન્સી બટન આપવામાં આવ્યા છે. જો ઈમર્જન્સીમાં ટ્રેનને રોકવી હોય તો એના માટે બટન દબાવવું પડશે.

ડિસ્પ્લે બોર્ડઃ દરેક કોચમાં ડિસ્પ્લે બોર્ડ હશે. આગળનું સ્ટેશન આવતાંની સાથે જ એની જાહેરાત કરવામાં આવશે. ડિસ્પ્લે બોર્ડ પર ઇમર્જન્સી નંબર અને જરૂરી માહિતી પણ દર્શાવવામાં આવશે.

ટેમ્પ્રેચર કન્ટ્રોલર: દરેક કોચમાં ટેમ્પ્રેચરને કન્ટ્રોલ કરવા માટે એક કન્ટ્રોલ બટન હશે. આ સાથે પેસેન્જર સીટની નજીક કૂલિંગને કન્ટ્રોલ કરવા માટે એક સ્વિચ હશે.

લક્ઝરી કારના ડેશ બોર્ડ જેવો પાઇલટ રૂમ

વંદે ભારત ટ્રેનમાં પાઇલટ રૂમની ખાસ કાળજી રાખવામાં આવી છે. એમાં બેસવાથી લક્ઝરી કારનો અહેસાસ થાય છે. એમાં એર કન્ડિશનિંગ છે. પાઇલટ રૂમમાં ડેશ બોર્ડ પર અલગ સ્વિચ આપવામાં આવે છે. ટ્રેન સ્વિચ દબાવવાથી શરૂ થશે અને સ્પીડ વધારવા અથવા ઘટાડવા માટે ઓટોમેટિક સ્વિચ સિસ્ટમ પણ આપવામાં આવી છે. જ્યારે ટ્રેન દોડતી હોય ત્યારે મુસાફરોને કંપન અને અવાજનો અનુભવ પણ થતો નથી.


Spread the love

Related posts

વૈશાખી પૂનમ:યાત્રાધામ ડાકોર અને વડતાલમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, ડાકોરના ઠાકોરને કેરીનો રસ અને દૂધભાત ધરાવાયા

Team News Updates

શિવજીનું વાહન નહીં પરંતુ અવતાર છે નંદી:નંદી પૂજા વગર શિવ અભિષેક રહે છે અધૂરો, નંદીના કાનમાં મનોકામના કહેવાની છે પરંપરા

Team News Updates

મણિપુરમાં આદિવાસીઓના પ્રદર્શન દરમિયાન હિંસા:8 જિલ્લામાં કર્ફ્યુ, 7500 લોકોને રાહત કેમ્પમાં ખસેડાયા; સેના તૈનાત

Team News Updates