News Updates
NATIONAL

આવી છે ભારતના રાષ્ટ્રપતિની લક્ઝરી લાઈફ:15-એકરનો બગીચો, સુરક્ષા માટે 252 વર્ષ જૂનું આર્મી યુનિટ; સાંચીના બૌદ્ધ સ્તૂપ જેવો દેખાતો સેન્ટ્રલ ડોમ

Spread the love

ભારતના પ્રથમ નાગરિક તરીકે ઓળખાતા રાષ્ટ્રપતિને આપવામાં આવતી સુવિધાઓ કોઈ લક્ઝરીથી ઓછી નથી. ભારતના રાષ્ટ્રપતિ વિશ્વના સૌથી મોટા રાષ્ટ્રપતિ ભવનમાં તેમના રહેવા દરમિયાન ભારતીય સેનાના સર્વોચ્ચ એકમ દ્વારા સ્કોર્ટ કરવામાં આવે છે. નવી દિલ્હીમાં રાયસીના હિલ પર રાજપથની પશ્ચિમ બાજુએ આવેલ રાષ્ટ્રપતિ ભવન 330 એકરમાં ફેલાયેલું છે. તે કેટલું મોટું છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે બિલ્ડિંગના કોરિડોરની કુલ લંબાઈ 2.5 કિલોમીટર છે. રાષ્ટ્રપતિ ભવનમાં 9 ટેનિસ કોર્ટ, પોલો ગ્રાઉન્ડ, ગોલ્ફ ગ્રાઉન્ડ અને સુંદર મુગલ ગાર્ડન છે.

252 વર્ષ જૂનું યુનિટ સુરક્ષા કરે છે, છ ફૂટ ઊંચાઈવાળા લોકોને જ પસંદ કરવામાં આવે છે

રાષ્ટ્રપતિના અંગરક્ષક એટલે કે પીબીજી ભારતીય સેનાનું સર્વોચ્ચ એકમ છે. તેની પ્રાથમિક ભૂમિકા રાષ્ટ્રપતિનું રક્ષણ કરવાની અને દરેક સમયે તેમની સાથે રહેવાની છે. આ યુનિટ રાષ્ટ્રપતિ ભવનમાં જ રહે છે.

સેનાનું શ્રેષ્ઠ યુનિટ ભારતના રાષ્ટ્રપતિની સુરક્ષામાં લાગેલું રહે છે. રાષ્ટ્રપતિ ત્રણેય સેનાના વડા પણ હોવાથી પ્રેસીડેન્ટ બોડીગાર્ડ એટલે કે PBG દરેક ક્ષણે તેમની સાથે રહે છે. જેમાં સિલેક્ટ થવા માટે છ ફૂટની લંબાઈ જરૂરી છે, સાથે જ સેનામાંથી જાટ, શીખ અને રાજપૂતોને પ્રાથમિકતા આપવામાં આવી છે.

અલગ યુનિટ બનાવવાની પરંપરા 252 વર્ષ જૂની છે. 1773માં પ્રથમ વખત આ પ્રકારનું યુનિટ રચાયું હતું જે વાઈસરોય માટે હતું. અંગ્રેજોના ગયા પછી આ પ્રક્રિયા રાષ્ટ્રપતિને સોંપવામાં આવી. આ યુનિટમાં જોડાવા માટે બે વર્ષની સખત તાલીમનો ભાગ બનવું પડે છે. પેરા ટ્રુપિંગથી લઈને અન્ય વિસ્તારોમાં તેમની કાર્યક્ષમતા પણ ચકાસવામાં આવે છે. તેમાં જોડાવાની પ્રથા પણ જૂની છે.

તેમાં જોડાનાર જવાન તેની તલવાર તેના કમાન્ડન્ટને આપે છે અને તેને સ્પર્શ કરીને તેને પીબીજીમાં સામેલ કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે મારું શસ્ત્ર અને મારું જીવન તમારા હાથમાં છે. આ યુનિટના ઘોડા તેની વિશેષતા છે. ઘોડાઓની આ પ્રથા અંગ્રેજોના સમયથી ચાલુ છે. સૈનિકોના દિવસની શરૂઆત આ ઘોડાઓ સાથે જ થાય છે.

ટોસમાં ભારતને ગોલ્ડ પ્લેટેડ બગી મળી હતી

ભારતના રાષ્ટ્રપતિ પાસે ગોલ્ડ પ્લેટેડ બગી છે જે ટોસમાં મળી હતી. ખરેખરમાં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે સોનાની બગી કોની પાસે રહેશે તે મુદ્દે વિવાદ થયો હતો. ટોસ ઉછાળાશે તે નક્કી થયું. ટોસ ઉછાળવામાં આવ્યો અને ભારતે ટોસ જીત્યો. આ ગોલ્ડ પ્લેટેડ બગી, ઘોડાથી ખેંચવામાંઆવતી બગી મૂળ ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન વાઈસરોયની હતી.

શરૂઆતમાં, રાષ્ટ્રપતિએ તેનો ઉપયોગ 330 એકરમાં ફેલાયેલા રાષ્ટ્રપતિ ભવનની આસપાસ ફરવા માટે કર્યો હતો. સુરક્ષાના કારણોસર ધીમે ધીમે તેનો ઉપયોગ ઘટતો ગયો.

1984 પછી, રાષ્ટ્રપતિની બગીનો ઉપયોગ લગભગ સમાપ્ત થઈ ગયો હતો અને તેનું સ્થાન વધારાની સુરક્ષા કવચવાળી કારે લઈ લીધું. લગભગ બે દાયકા પછી, 2014માં પ્રણવ મુખર્જીએ બગ્ગીનો ઉપયોગ કરવાની પરંપરા ફરી શરૂ કરી અને તેઓ આ બગીમાં બીટિંગ રીટ્રીટ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

મર્સિડીઝ કાર જે મિસાઈલ હુમલાનો સામનો કરી શકે છે

ભારતના રાષ્ટ્રપતિ પાસે હાલમાં મર્સિડીઝ-બેન્ઝ એસ ક્લાસ (S 600) પુલમેન ગાર્ડ છે. આ કાર પર મિલિટરી રાઈફલ શોટ, બોમ્બ અને એકે-47 સહિત મિસાઈલથી પણ હુમલો કરવામાં આવે છે, તો પણ તેમાં પાછળ બેઠેલા મુસાફરને કંઈ થશે નહીં. આ કારનું ટાયર પંચર થયા પછી પણ તે કેટલાય કિમીની ઝડપે દોડી શકે છે.

આ કારમાં સેટેલાઇટ સિસ્ટમ અને જામર પણ લગાવવામાં આવ્યા છે. આની મદદથી રાષ્ટ્રપતિ કારમાં ચાલતી વખતે કોઈપણ સાથે સીધી વાત કરી શકે છે. તેમાં ઇમરજન્સી ફ્રેશ એર સિસ્ટમ છે. જો ક્યારેય ગેસ બોમ્બનો હુમલો થાય તો તેના દ્વારા ઓક્સિજનની સપ્લાય કરી શકાય છે. આ કારની કિંમત 11 કરોડ રૂપિયા છે.

18 સીડીઓ, 74 વરંડા અને 37 ફુવારા, 14 લિફ્ટ્સ સાથેનું ‘ઘર’

રાષ્ટ્રપતિ ભવનમાં 18 સીડીઓ અને 74 વરંડા છે. ઉપરાંત, આ ઇમારતમાં 227 થાંભલા, 37 ફુવારા અને 14 લિફ્ટ છે. રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટ અનુસાર આ ઈમારતને બનાવવામાં 70 કરોડ ઈંટો અને 30 લાખ ઘનફૂટ પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ ભવન 330 એકરમાં ફેલાયેલું છે, જેમાં H આકારમાં બનેલ રાષ્ટ્રપતિ ભવન 5 એકરમાં ફેલાયેલું છે.

રાષ્ટ્રપતિ ભવન ઉપરાંત, તેમાં રાષ્ટ્રપતિ ગાર્ડન, ખુલ્લી જગ્યાઓ, અંગરક્ષકો અને કર્મચારીઓના રહેઠાણ, તબેલા અને અન્ય ઓફિસનો સમાવેશ થાય છે.

આ સંકુલના થાંભલા પણ ખૂબ જ સમજી વિચારીને બનાવવામાં આવ્યા છે. અહીંના થાંભલાઓ પર વિવિધ પ્રકારની ઈંટ લગાવવામાં આવી છે. અંગ્રેજો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ઈંટ જેટલી સ્થિર રહેશે તેટલી સત્તા વધુ મજબૂત રહેશે.

2.5 કિલોમીટર ગેલેરી અને 15 એકર બગીચો

ભારતનું રાષ્ટ્રપતિ ભવન એ વિશ્વનું સૌથી મોટું રાષ્ટ્રાધ્યક્ષ નિવાસસ્થાન છે. 350 રૂમ અને 2.5 કિલોમીટરના કોરિડોરવાળા રાષ્ટ્રપતિ ભવનમાં 15 એકરનો બગીચો છે. તે પહેલા મુગલ ગાર્ડન તરીકે ઓળખાતું હતું, જેનું નામ બદલીને હવે અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે.

અમૃત ઉદ્યાનમાં હાલમાં ગુલાબની 138 જાતો, 10,000 થી વધુ ટ્યૂલિપ્સ (કંદ-પુષ્પ) અને 70 પ્રજાતિઓના લગભગ 5,000 મોસમી ફૂલો છે. બધા ફૂલોમાં એક અનન્ય QR કોડ હોય છે જે તમામ માહિતી મેળવવા માટે સ્કેન કરી શકાય છે.

આ બગીચામાં સામાન્ય માણસ પણ જઈ શકે છે, જેનો શ્રેય ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને આપવામાં આવે છે.

રાષ્ટ્રપતિ ભવનના તમામ રૂમ અને ભાગોનો પોતાનો ઇતિહાસ છે. તમામ રૂમની હેરિટેજ પ્રકૃતિ જાળવવા માટે, ડઝનેક લોકોની ટીમ માત્ર રૂમની જાળવણીમાં રોકાયેલ છે.

ફર્નિચર, ગ્રાફિક્સ, આર્ટ વગેરેને સમયાંતરે રિસ્ટોર કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિના કાર્યક્રમો અનુસાર ગોઠવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ દેશના રાજ્યના વડા ડિનર માટે આવે છે, તો તે દેશમાંથી મળેલી જૂની ભેટો ત્યાં બતાવવાના પ્રયાસો કરવામાં આવે છે.

સાંચીના બૌદ્ધ સ્તૂપ જેવો સેન્ટ્રલ ડોમ, તાંબાની પ્લેટોથી સુરક્ષિત

રાષ્ટ્રપતિ ભવનની તસવીરમાં દૂરથી દેખાતો ગુંબજ, જેના પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે, તે આખી ઈમારત કરતાં બમણી ઊંચાઈ ધરાવે છે. તેને સેન્ટ્રલ ડોમ પણ કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ ઉલ્લેખ છે કે આ ગુંબજ સાંચીના બૌદ્ધ સ્તૂપથી પ્રેરિત છે.

જો કે, ઘણી જગ્યાએ તેને રોમની પેન્થિઓન શૈલીમાં બાંધવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુંબજની આસપાસ તાંબાની પ્લેટ છે, જેના કારણે તે ઘટ્ટ રંગનો દેખાય છે. આ ગુંબજની વિશેષતા એ છે કે તે વિજય ચોકથી દેખાય છે.

શણગાર માટે બે ટોનનો ઝુમ્મર અને 5મી સદીની પ્રતિમા

મધ્ય ગુંબજની નીચે આવેલ હોલને દરબાર હોલ કહેવામાં આવે છે. અહીં પ્રવેશતા જ કોઈને કોઈ રાજવી પરિવારના મુખ્ય પ્રવેશદ્વાર જેવું લાગે છે. 33 મીટર ઊંચા ગોળાકાર દરબાર હોલમાં 2 ટનનો ઝુમ્મર લાગેલો છે. આ હોલ સેન્ટ્રલ ડોમની બરાબર નીચે છે. ભારતની પ્રથમ સરકારે અહીં શપથ લીધા હતા.

હવે અહીં રાષ્ટ્રપતિ દ્વારા સૈન્ય સન્માન, પદ્મ પુરસ્કાર અને અન્ય પુરસ્કારો આપવામાં આવે છે. નવી સરકારનો શપથ સમારોહ પણ સામાન્ય રીતે અહીં જ યોજાય છે. હોલની 42 ફૂટ ઊંચી દીવાલો સફેદ આરસપહાણથી શણગારેલી છે. અંગ્રેજોના સમયમાં અહીં વાઈસરોય અને વાઈસરીન માટે બેસવાની જગ્યા હતી, જ્યાં હવે રાષ્ટ્રપતિ માટે ખુરશી છે. તેની સામેની બાજુએ પાંચમી સદીના ગુપ્તકાળની બુદ્ધ પ્રતિમા છે.

કાર્પેટનો રંગ પણ થીમ આધારિત છે, સ્ટડી રૂમનો રોયલ લુક

રાષ્ટ્રપતિ ભવનનો સ્ટડી રૂમ રોયલ લુકનો છે. અહીં લગભગ 30 શાહી ખુરશીઓ છે. અહીં કાર્પેટનો રંગ ખૂબ જ સમજી વિચારીને રાખવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવનના સચિવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે કાર્પેટનો રંગ અને કોતરણી તે બતાવે છે કે ઉપરની તરફ વિચારીને કામ કરવું. આ રૂમનો એક ભાગ મોર્નિંગ રૂમ તરફ ખુલે છે જ્યાં રાષ્ટ્રપતિ તેમના પ્રતિનિધિઓને મળે છે.

અશોક હોલની છત પર વિવિધ પ્રકારના લેધર પેઇન્ટિંગ

રાષ્ટ્રપતિ ભવનના અશોકા હોલનો ઉપયોગ વિદેશી મહેમાનોનો પરિચય કરાવવા અને રાજ્ય ભોજન સમારંભની શરૂઆત પહેલા મુલાકાતી ભારતીય પ્રતિનિધિમંડળનો પરિચય કરાવવા માટે થાય છે. રોયલ લુક ધરાવતા આ હોલમાં લાકડાનું માળખું છે અને છતની મધ્યમાં લેધર પેઈન્ટિંગ બનાવવામાં આવ્યું છે.

જેમાં ફારસના શાસક ફત અલી શાહ ઘોડા પર સવારી કરી રહ્યા છે. આ પેઇન્ટિંગમાં તે પોતાના 22 બાળકો સાથે શિકાર કરી રહ્યા છે. આ પેઇન્ટિંગની વિશેષતા એ છે કે જો તે રૂમની અંદર ક્યાંયથી પણ રાજાની આંખોમાં દેખાય છે, તો લાગે છે કે તે આંખનો સંપર્ક કરી રહ્યા છે.

આ પેઇન્ટિંગ, જેની લંબાઈ 5.20 મીટર અને પહોળાઈ 3.56 મીટર છે.

એકસાથે 104 લોકોને ખવડાવવાની વ્યવસ્થા, દીવો પ્રગટાવીને કમાન્ડ અપાય છે

રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત આ ડાઇનિંગ હોલમાં 104 લોકો માટે બેઠક વ્યવસ્થા છે. તેને બેન્ક્વેટ હોલ પણ કહેવામાં આવે છે અને આ રૂમમાં ભારતના તમામ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓની તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. આ રૂમ 104 ફૂટ લાંબો અને 34 ફૂટ ઊંચો છે. તેની સિલિંગ 35 ફૂટની છે.

અહીંથી મુગલ ગાર્ડન દેખાય છે. બેન્ક્વેટ હોલની દિવાલો બર્મીઝ સાગના પાટિયાથી શણગારેલી છે. રૂમમાં ચાર ઝુમ્મર છે જે ડાઇનિંગ ટેબલની ઉપર જ મૂકવામાં આવ્યા છે.

અહીં રાષ્ટ્રપતિ તેમના સમકક્ષોને ભોજન સમારંભમાં આમંત્રણ આપે છે. આ હોલમાં એક તરફ બેન્ડ ગેલેરી છે. આ ગેલેરી અગાઉ સંગીતકારની ગેલેરી તરીકે ઓળખાતી હતી અને તેનો ઉપયોગ શાહી ભોજન સમારંભ દરમિયાન લાઈવ સંગીત માટે થાય છે.

નિવૃત્તિ પછી પણ સ્ટાફ રાખવા માટે દર મહિને 60 હજાર મળે છે

દેશના રાષ્ટ્રપતિને વર્ષ 2018 સુધી 1.5 લાખ પગાર મળતો હતો જે હવે વધારીને 5 લાખ રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યો છે. ઉપરાંત તેઓને ટ્રેન, રહેઠાણ, હવાઈ અને રેલ મુસાફરી, ટેલિફોન, સુરક્ષા, તબીબી, ભારતીય વાયુસેનાના પાઇલોટ્સ સાથે બોઇંગ 777-300ERs એરક્રાફ્ટ, વીમો જેવી ઘણી સુવિધાઓ મળે છે. રાષ્ટ્રપતિને કર ચૂકવવો પડતો ન હતો. નિવૃત્તિ પછી, ભારતના રાષ્ટ્રપતિને 1.5 લાખ મહિનાનું પેન્શન અને આજીવન એક બંગલો આપવામાં આવે છે. આ સાથે તેમને સ્ટાફ રાખવા માટે 60 હજારનો ખર્ચ આપવામાં આવે છે. કોમ્યુનિકેશન માટે બે ફ્રી લેન્ડલાઈન અને એક મોબાઈલ આપવાની પણ જોગવાઈ છે.


Spread the love

Related posts

આજે OLA ની ‘એન્ડ આઇસ એજ’ ઇવેન્ટ યોજાશે:₹1 લાખ કરતાં સસ્તું ઈ-બાઈક અને ઈ-સ્કૂટર લોન્ચ થઈ શકે છે, Ather 450S સાથે સ્પર્ધા કરશે

Team News Updates

વિદેશથી આવતા મુસ્લિમો CAA થી નહીં, આ 4 રીતે મેળવી શકે છે ભારતીય નાગરિકતા

Team News Updates

80 કરોડ ગરીબોને આગામી 5 વર્ષ સુધી મફત કરિયાણું:PM મોદીએ છત્તીસગઢમાં કરી જાહેરાત, કહ્યું- EDએ 5 કરોડ પકડ્યા તો CM ગભરાઈ ગયા

Team News Updates