News Updates
AHMEDABAD

ઠગોના ટાર્ગેટ પર સૌથી વધુ અમદાવાદી અને સુરતીઓ:ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 3800 કરોડની છેતરપિંડી, અમદાવાદમાં 1559, સુરતમાં 1223, વડોદરામાં 326 અને રાજકોટમાં 204 ગુના નોંધાયા

Spread the love

છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતીઓ સાથે થયેલી ઠગાઈની રકમ સાંભળશો તો ખ્યાલ આવશે કે, ગુજરાતીઓ ધંધા અને રોજગારમાં આર્થિક વ્યવહાર કે, લોભામણી નાણાંકીય સ્કીમમાં પૈસા રોકતા પહેલાં સાવચેત રહેવું જરૂરી થવું પડશે. વર્ષ 2021માં ગુજરાતીઓ સાથે 884 કરોડ 36 લાખ 79 હજાર 033 રકમની છેતરપિંડી થઈ હતી. વર્ષ 2022માં 1583 કરડો 64 લાખ 58 હજાર 695 અને વર્ષ 2023માં 1571 કરોડ 86 લાખ 85 હજાર 601 રકમની છેતરપિંડી અને ઠગાઈ ગુજરાતીઓ સાથે થઈ છે. રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરાના લોકો સાથે સૌથી વધુ ઠગાઈ અને છેતરપિંડી થઈ છે.

40 શહેરોમાં ઠગાઈની વિગતો જાહેર કરાઈ
ગુજરાત વિક્સિત રાજ્ય છે. ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરો ઝડપી વિકાસ પામનારા શહેરો છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં પણ મોખરે છે. ગુજરાતમાં દરરોજ અબજો રૂપિયાનો આર્થિક વ્યવહાર થયા છે. આ સ્થિતિ સામે ગુજરાતમાં નાણાંકીય છેતરપિંડી અને ઠગાઈના ગુનાઓ પણ વધતા જાય છે. જાણીને નવાઈ લાગશે કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 3800 કરોડની ઠગાઈ ગુજરાતીઓ સાથે થઈ છે. 31 માર્ચ 2023ની સ્થિતિએ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 40 શહેરોમાં થયેલી ઠગાઈ અને છેતરપિંડીની વિગતો વિધાનસભામાં જાહેર કરવામાં આવી હતી.

ઠગાઈના 2322 આરોપીઓ પોલીસ પકડથી દૂર
ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારે વર્ષ પ્રમાણે 40 શહેરમાં ઠગાઈની ફરિયાદોની માહિતી જાહેર કરી છે. જેમાં વર્ષ 2021માં 1832, વર્ષ 2022માં 2244 અને વર્ષ 2023માં 2269 ગુના નોંધાયા છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાં 1559, સુરતમાં 1223, વડોદરામાં 326 અને રાજકોટમાં 204 ગુના નોંધાયા હતા. લોકો સાથે નાણાંકીય ઠગાઈના ગુનાઓના આધારે પોલીસ દ્વારા 9845 આરોપીઓને પકડવામાં આવ્યા હતા. જ્યારે ઠગાઈ કરીને 2322 આરોપીઓને હજી પણ પોલીસ પકડી શકી નથી.


Spread the love

Related posts

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોલેરો વકર્યો, ઝાડા ઉલટી અને ડેન્ગ્યુના રોજના 50થી વધુ કેસ

Team News Updates

દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા:અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે 5 દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય, સૌરાષ્ટ્ર, અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી

Team News Updates

100 વર્ષથી રથયાત્રામાં સવા લાખ ભાવિકોને જમાડે છે, 1 મહિનાથી કરે છે તૈયારી, કહ્યું- આજે અમારી ચોથી પેઢી સેવામાં,ક્યારેય કોઈ જમ્યા વિના ગયું હોય એવું બન્યું નથી!:સરસપુરની 15થી વધુ પોળ

Team News Updates