News Updates
NATIONAL

અરવલ્લી જિલ્લામાં વિરામ બાદ વરસાદ, અંબાજી જતા પદયાત્રીઓને સર્જાઈ હાલાકી

Spread the love

અરવલ્લી જિલ્લામાં વિરામ બાદ ફરીથી વરસાદ વરસસ્યો છે. છેલ્લા બે દિવસથી ભારે બફારો વર્તાઈ રહ્યો હતો, જ્યાં આજે બપોરના અરસા દરમિયાન વાતાવરણ ફરી એકવાર પલટાયુ હતુ અને વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા અને બાયડ તેમજ માલપુર પંથકમાં વરસાદ નોંધાયો હતો. મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. મોડાસાના મોટી ઈસરોલ, ઉમેદપુર અને મરડિયા સહિકના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

અરવલ્લી જિલ્લામાં વિરામ બાદ ફરીથી વરસાદ વરસસ્યો છે. છેલ્લા બે દિવસથી ભારે બફારો વર્તાઈ રહ્યો હતો, જ્યાં આજે બપોરના અરસા દરમિયાન વાતાવરણ ફરી એકવાર પલટાયુ હતુ અને વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા અને બાયડ તેમજ માલપુર પંથકમાં વરસાદ નોંધાયો હતો. મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. મોડાસાના મોટી ઈસરોલ, ઉમેદપુર અને મરડિયા સહિકના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

હાલમાં અરવલ્લી જિલ્લાના માર્ગો પરથી અંબાજી જતા પદયાત્રીઓ મોટી સંખ્યામાં પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન વરસાદી માહોલ સર્જાતા પદયાત્રીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પદયાત્રીઓને વરસાદને લઈ હાલાકી સર્જાતા ભીંજાવાથી બચવા માટે પ્રયાસ કરતા પદયાત્રીઓ રસ્તા પર નજર આવતા દ્રશ્યો સર્જાયા હતા. જોકે હાલતો વરસાદને લઈ વિસ્તારમાં બફારા બાદ રાહત સર્જાઈ છે.


Spread the love

Related posts

બીજા દેશની નાગરિકતા પ્રાપ્ત કરતા ભારતીય નાગરિકત્વનું આપોઆપ સમાપ્ત થવુ ગેરબંધારણીય: LSE પ્રોફેસરની સુપ્રીમ કોર્ટમાં અરજી

Team News Updates

મોદી સરકારની મોટી જાહેરાત, હવે 600 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર

Team News Updates

વિદેશમાં બેઠાં-બેઠાં ગુજરાત યુનિવર્સિટીમાં ભણો:પશ્ચિમ ભારતની પહેલી યુનિવર્સિટી, જે ઓનલાઇન કોર્સ ભણાવશે, 1 જૂન પહેલાં એડમિશન પ્રક્રિયા શરૂ

Team News Updates