News Updates
NATIONAL

સિમ કાર્ડમાં નેટવર્ક નથી આવતું? સિમ પોર્ટ કરવાની આ છે સરળ રીત

Spread the love

જો સિમ કાર્ડમાં નેટવર્કની સમસ્યા છે, તો તે તમારે મુશ્કેલી થઈ શકે છે. ઘણી વખત ઇમરજન્સીની સ્થિતિમાં જો તમારે કોઈને કોલ અથવા મેસેજ કરવો હોય, તો સિમમાં નેટવર્કનો અભાવ સમસ્યાને વધારી દે છે. આજે તમને જણાવીશું કે તમે સિમના પોર્ટને બીજી ટેલિકોમ કંપનીમાં કેવી રીતે બદલી શકો છો.

ઘણા લોકો સિમ કાર્ડમાં (Sim Card) નેટવર્ક ન મળવાની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. પરંતુ તેઓ આ સમસ્યાને કેવી રીતે ઠીક કરવી તે જાણતા નથી. જો સિમ કાર્ડમાં નેટવર્કની સમસ્યા છે, તો તે તમારે મુશ્કેલી થઈ શકે છે. ઘણી વખત ઇમરજન્સીની સ્થિતિમાં જો તમારે કોઈને કોલ અથવા મેસેજ કરવો હોય, તો સિમમાં નેટવર્કનો અભાવ સમસ્યાને વધારી દે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીશું કે તમે તમારા કોઈપણ સિમના પોર્ટને બીજી ટેલિકોમ કંપનીના સિમમાં કેવી રીતે બદલી શકો છો.

એરટેલ, Jio, વોડાફોન કે BSNL માં કેવી રીતે પોર્ટ કરવું

1. તમે જે નંબરને પોર્ટ કરવા માંગો છો તેના પરથી UPC એટલે કે યુનિક પોર્ટિંગ કોડ મેળવવા માટે, મેસેજમાં PORT લખો અને એક સ્પેસ છોડીને તમારો મોબાઈલ નંબર લખીને 1900 નંબર પર મોકલો.

2. ત્યારબાદ કસ્ટમર કેર સર્વિસ, અધિકૃત ફ્રેન્ચાઇઝી રિટેલરની મુલાકાત લો. પછી MNP પ્રક્રિયા શરૂ કરવા માટે કસ્ટમર કેર એપ્લિકેશન ફોર્મ (CAF) ભરો. માન્ય એડ્રેસ પ્રૂફ સાથે રાખવાનું ભૂલશો નહીં.

3. ડિજિટલ KYC પૂર્ણ થયા પછી, તમને એક નવું સિમ કાર્ડ આપવામાં આવશે. જ્યારે તમારું વર્તમાન નેટવર્ક ડિસ્કનેક્ટ થઈ જાય ત્યારે નિર્દિષ્ટ સમયે તમારું નવું સિમ કાર્ડ બદલી નાખો.

4. MNP વિનંતીની મંજૂરી મળ્યા બાદ સિમ એક્ટિવેશન માટે ઓછામાં ઓછા 3 કામકાજના દિવસો અથવા વધુમાં વધુ 5 કામકાજના દિવસો લાગે છે.

5. TRAI ના જણાવ્યા અનુસાર, સિમ પોર્ટ કરાવવા માટે વધારે પૈસા ખર્ચવા પડતા નથી, પરંતુ જો હજુ ચાર્જ લાગે તો 6 રૂપિયાનો ખર્ચ થઈ શકે છે.

આ વાતનું રાખો ધ્યાન

જો તમે તમારો નંબર બદલવા માંગતા નથી, તો તમે તમારો નંબર બદલ્યા વગર તમારો નંબર પોર્ટ કરી શકો છો. નંબર પોર્ટ કરવા માટે તમારે તમારો હાલનો નંબર બદલવાની જરૂર રહેશે નહીં.


Spread the love

Related posts

જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે:અલાહાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી; 31 જાન્યુઆરીએ પૂજા શરૂ થઈ હતી

Team News Updates

મહારાષ્ટ્રમાં ચાલુ ટ્રેનમાં ગોળીબાર:જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં RPFના જવાને કર્યું ફાયરિંગ, ASI સહિત 4નાં મોત; પાલઘર રેલવે સ્ટેશન નજીક બની ઘટના

Team News Updates

કુસ્તીબાજોએ કહ્યું – મેડલ પાછા આપી દઈશું:પોલીસે સ્વાતિ માલીવાલની પણ ધરપકડ કરી, મોડી રાત્રે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું; બોક્સર વિજેન્દરે કહ્યું- લડાઈ લાંબી ચાલશે

Team News Updates