News Updates
NATIONAL

J&Kનું ગુરેઝ સેક્ટર પહેલીવાર લાઇટથી ઝગમગી ઉઠ્યું:પાવર ગ્રીડ સાથે જોડાયું, આઝાદી બાદથી અત્યાર સુધી ડીઝલ જનરેટર પર આધાર હતો; શિયાળામાં વીજળી ડુલ થઈ જતી હતી

Spread the love

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરને આઝાદી બાદ પહેલીવાર રવિવારે પાવર ગ્રીડ સાથે જોડવામાં આવ્યું હતું. અત્યાર સુધી પાકિસ્તાન સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં ડીઝલ જનરેટર દ્વારા વીજળી પૂરી પાડવામાં આવતી હતી.

કાશ્મીર ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિમિટેડ (KPDCL) એ ગઈકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આની જાહેરાત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં ગુરેઝ સેક્ટર એકમાત્ર એવો વિસ્તાર હતો જે વીજળી માટે જનરેટર સેટ પર નિર્ભર હતો.

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે કહ્યું- શિયાળાની મોસમમાં હિમવર્ષા દરમિયાન, ગુરેઝ સેક્ટરમાં મહિનાઓ સુધી વીજળી મળતી નહોતી. 33/11kV રીસીવિંગ સ્ટેશનથી 1,500 ગ્રાહકોને ફાયદો થયો છે.

લોકોએ ડાન્સ કરીને ઉજવણી કરી
ગુરેઝને બાંદીપોરા-ગુરેઝ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ હેઠળ પાવર ગ્રીડ સાથે જોડવામાં આવ્યું છે. વીજળીની સેવા મળ્યા પછી, 75 વર્ષમાં પ્રથમ વખત સમગ્ર વિસ્તાર બલ્બ લાઇટથી ઝગમગી ઉઠ્યો હતો. સ્થાનિક લોકોએ ડાન્સ કરતા ઝુમીને વીજ વિભાગના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુરેઝ એક સમયે આતંકવાદીઓની ઘૂસણખોરીનો માર્ગ હતો
શ્રીનગરથી ગુરેઝનું અંતર 123 કિલોમીટર અને બાંદીપોરાથી 85 કિલોમીટર છે. ગુરેઝમાં છ મહિના સુધી હિમવર્ષા થાય છે. જેના કારણે મોટાભાગના લોકો શિયાળામાં બાંદીપુર અથવા શ્રીનગર જાય છે.

ગુરેઝ વેલી અગાઉ આતંકવાદીઓની ઘૂસણખોરી માટેનો માર્ગ હતો. સરકારે અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે, જેના કારણે તે હવે કાશ્મીરની ખૂબ જ લોકપ્રિય ખીણ બની ગઈ છે. દર વર્ષે ભારત અને વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે. 2021માં અહીં રેકોર્ડ 4 લાખ પ્રવાસીઓ આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં શરૂ થઈ ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’: યાત્રા 78 શહેરોમાંથી પણ પસાર થશે

જમ્મુ-કાશ્મીરમાં 15 નવેમ્બરથી ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’નો પ્રથમ તબક્કો શરૂ થયો છે. આ યાત્રા રાજોરી જિલ્લાના આદિવાસી વિસ્તારોમાંથી શરૂ થઈ હતી. બાકીના જિલ્લાઓમાં 20 નવેમ્બરથી યાત્રા શરૂ થઈ હતી. આ પ્રવાસનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં વિકસિત ભારત માટે સંવેદનશીલ વસ્તી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાનો છે.

જમ્મુના શારદા મંદિરમાં 75 વર્ષ બાદ દિવાળીની ઉજવણી, આઝાદી બાદ પહેલીવાર કરવામાં આવી પૂજા

જમ્મુ-કાશ્મીરના એક મંદિરમાં 75 વર્ષ બાદ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના ટીટવાલ ગામમાં આવેલ શારદા મંદિરમાં આઝાદી પછી પહેલીવાર દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં મોટી સંખ્યામાં લોકો પૂજા માટે પહોંચ્યા હતા. પૂજા બાદ લોકો મંદિરની બહાર એકઠા થયા હતા અને ફટાકડા ફોડ્યા હતા.


Spread the love

Related posts

ટ્રેનના એન્જિન સાથે માથું અથડાતા છોકરાનું મોત, જુઓ વીડિયો:પ્લેટફોર્મ પર ટ્રેકની બાજુમાં હાથ ધોતો હતો અને ટ્રેનની અડફેટે આવી ગયો

Team News Updates

અનુજ પટેલનું તબીબો દ્વારા સતત ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યુ છે. નિષ્ણાંત તબીબોના સતત ઓબ્ઝર્વેશનમાં રહેવાને કારણે અનુજ પટેલના સ્વાસ્થયમાં ઝડપથી સુધારો જોવા મળી રહ્યો છે.

Team News Updates

પ્રભાત ઝા બીજેપી નેતાનું નિધન: અંતિમ શ્વાસ લીધા ગુરુગ્રામ હોસ્પિટલમાં,બિહારના સીતામઢીના કોરિયાહી ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે

Team News Updates