News Updates
NATIONAL

યુવકે ફ્લાઇટમાં રેલવે મંત્રીને આઈડિયા આપ્યો:પેપર નેપકીન પર પ્રપોઝલ લખી આપી; ઉતર્યાની 6 મિનિટમાં જ કોલ આવ્યો

Spread the love

દિલ્હીથી કોલકાતાની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા એક યુવા ઉદ્યોગ સાહસિકે જ્યારે જોયું કે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ તે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છે, ત્યારે તેમણે તેમને બિઝનેસ આઈડિયા આપવાનું વિચાર્યું.

જોકે, સુરક્ષા પ્રોટોકોલના કારણે તે તેને મળી શક્યો નહોતો. આવી સ્થિતિમાં તેણે પોતાનો આઈડિયા પેપર નેપકીન પર લખીને કોઈક રીતે અશ્વિની વૈષ્ણવ સુધી પહોંચાડ્યો.

તેણે વિચાર્યું ન હતું કે આ પ્રસ્તાવ પર ચર્ચા આગળ વધશે, પરંતુ ફ્લાઈટ કોલકાતામાં ઉતર્યાના 6 મિનિટ પછી જ તેને આ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે ફોન આવ્યો.

આવો વિચાર આવ્યો…
મામલો 2 ફેબ્રુઆરીનો છે, જ્યારે અક્ષય સતનાલીવાલા નામના એક યંગ ઉદ્યોગ સાહસિકે પોતાનો બિઝનેસ આઈડિયા પેપર નેપકીન પર લખીને રેલવે મંત્રીને આપ્યો હતો. આ પેપર પર તેણે લખ્યું – પ્રિય સર, હું ઈસ્ટર્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પ્રાઈવેટ લિમિટેડનું પ્રતિનિધિત્વ કરું છું, જે પશ્ચિમ બંગાળની સૌથી મોટી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કંપનીઓમાંની એક છે. જો તમે મને તક આપો, તો હું તમને બતાવવા માંગુ છું કે કેવી રીતે રેલવે આ સપ્લાય ચેઇનનો અભિન્ન ભાગ બની શકે છે અને વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનમાં પણ યોગદાન આપી શકે છે.

ફ્લાઈટ લેન્ડ થયાની 6 મિનિટ પછી ઈસ્ટર્ન રેલવે હેડક્વાર્ટરમાંથી કોલ આવ્યો
ફ્લાઇટ લેન્ડ થયાની છ મિનિટ પછી, અક્ષય સતનાલીવાલાને ઇસ્ટર્ન રેલવે હેડક્વાર્ટરના જનરલ મેનેજર મિલિંદ કે દેઉસ્કરની ઑફિસમાંથી ફોન આવ્યો. 6ઠ્ઠી ફેબ્રુઆરીએ બંને પૂર્વ રેલવેના હેડક્વાર્ટરમાં મળ્યા હતા. આ બેઠકમાં સતનાલીવાલાએ વિગતવાર સમજાવ્યું કે કેવી રીતે વિવિધ ઉદ્યોગોમાંથી સોલિડ વેસ્ટ દેશના વિવિધ ભાગોમાં તે ઘન કચરાના ખરીદદારો સુધી પહોંચાડી શકાય. જેમ કે છત્તીસગઢના રાયપુરથી ઓડિશાના રાજગંગાપુર સુધી.

પૂર્વ રેલવેના ચીફ રિલેશનશિપ ઑફિસરે જણાવ્યું હતું કે સતનાલીવાલાની કંપનીએ ખુશી વ્યક્ત કરી હતી કે પૂર્વ રેલવેએ રેલવે પ્રધાનને આપેલા વિચારનો જવાબ ટિશ્યુ પેપર પર લખીને આપ્યો હતો, જે નાના વેપારી માટે અકલ્પ્ય છે. ઈસ્ટર્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પ્રાઈવેટ લિમિટેડે આ સકારાત્મક પ્રતિસાદ બદલ રેલવે મંત્રી અને ઈસ્ટર્ન રેલવે અધિકારીઓનો આભાર માન્યો હતો.


Spread the love

Related posts

સાબરમતી જેલમાં બેઠાં-બેઠાં લોરેન્સે કેનેડામાં હત્યા કરાવી!:બિશ્નોઈ તિહાર જેલમાંથી શાર્પશૂટરના કોન્ટેક્ટમાં હતો; અતીક અહેમદે પણ સાબરમતી જેલમાંથી ISI એજન્ટને ફોન કર્યો હતો

Team News Updates

2000ની નોટ બદલવા માટે IDની જરૂર નથી:SBIએ કહ્યું- કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં, એક વખતમાં 10 નોટ બદલી શકાશે

Team News Updates

અનુજ પટેલનું તબીબો દ્વારા સતત ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યુ છે. નિષ્ણાંત તબીબોના સતત ઓબ્ઝર્વેશનમાં રહેવાને કારણે અનુજ પટેલના સ્વાસ્થયમાં ઝડપથી સુધારો જોવા મળી રહ્યો છે.

Team News Updates