News Updates
BUSINESS

ગૌતમ અદાણીને લાગી લોટરી ! 21,580 કરોડ આવશે ખાતામાં ! મોટા સ્તરે ચાલી રહી છે ચર્ચા

Spread the love

દેશના સૌથી અમીર લોકોમાંના એક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે મોટા સ્તરે વાતચીત ચાલી રહી છે. જેના કારણે આગામી દિવસોમાં અદાણી ગ્રુપના ખાતામાં કુલ 2.6 બિલિયન ડોલર (આશરે રૂ. 21,580 કરોડ) આવી શકે છે. અહીં જાણો વિગત

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ખાતામાં ટૂંક સમયમાં રૂ. 21,580 કરોડ આવી શકે છે. આ અંગે મોટા સ્તરે વાતચીત ચાલી રહી છે. ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ પશ્ચિમ એશિયાના દેશોમાં કેટલીક સોવરિન ફંડ સંસ્થાઓમાંથી $2.6 બિલિયન એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો આમ થશે તો હિંડનબર્ગ કેસ પછી તેના બિઝનેસ ગ્રુપ માટે તે મોટું ફંડિંગ હશે અને આમ અદાણીને મોટી લોટરી લાગવાની સંભાવના છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અદાણી ગ્રુપ તેના એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન હાઈડ્રોજન અને અન્ય બિઝનેસને વિસ્તારવા માંગે છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, અદાણી જૂથ આ માટે મોટા પાયે ભંડોળ એકત્ર કરવા માટે એડવાન્સ્ડમાં જ વાટાઘાટો શરુ કરી દીધી છે.

હિન્ડેનબર્ગ પછી ભંડોળ ઉપલબ્ધ નહોતું

અદાણી ગ્રુપ માટે પણ આ મોટી રાહતની વાત છે. ગયા વર્ષે હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા બાદ તેને ઘણા સ્તરે નવી મૂડી ઊભી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેના દેવાના બોજને ઘટાડવા માટે, જૂથે ઘણી બાકી ચૂકવણીઓ પર એડવાન્સ લોન ચૂકવણી કરી હતી. આવી સ્થિતિમાં, 21,580 કરોડના આ ભંડોળ સાથે, જૂથ તેના ઘણા પ્રોજેક્ટ્સને આગળ ધપાવી શકશે.

હિંડનબર્ગના અહેવાલ પછી, અદાણી જૂથે ભંડોળ એકત્ર કરવા માટે લંડન, દુબઈ અને સિંગાપોર જેવા દેશોના નાણાકીય કેન્દ્રોમાં રોડ શો પણ કર્યા હતા. જેના કારણે તેમને આર્થિક સંકટમાંથી બહાર આવવામાં ઘણી હદ સુધી મદદ મળી.

જો કે, ભંડોળ એકત્ર કરવાની સમયમર્યાદા હજુ નક્કી કરવામાં આવી નથી. નિષ્ણાતોનું માનવું છે કે ગ્રૂપ 2024ના મધ્ય સુધીમાં આ ફંડ એકત્ર કરી શકે છે અને તેની અસર બજારમાં જોવા મળી શકે છે. જોકે, આ માટે અદાણી ગ્રુપ તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના કેટલાક શેર વેચી શકે છે.

એરપોર્ટ ગ્રીન હાઇડ્રોજન બિઝનેસમાં હિસ્સો ઘટાડી શકે છે

અહેવાલ મુજબ, અદાણી જૂથ પશ્ચિમ એશિયાના દેશોના સોવરેન ફંડમાંથી ભંડોળ એકત્ર કરવા માટે તેના એરપોર્ટ અને ગ્રીન હાઇડ્રોજન બિઝનેસમાં તેનો હિસ્સો ઘટાડી શકે છે. પશ્ચિમ એશિયાના દેશો કોઈપણ રીતે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં રોકાણ કરવા આતુર છે. દેશના સૌથી અમીર લોકોમાંના એક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે મોટા સ્તરે વાતચીત ચાલી રહી છે.


Spread the love

Related posts

SBI Report: ₹2000ની નોટ બંધ થતા અર્થતંત્ર થશે ‘સુપરચાર્જ’, SBI રિપોર્ટમાં ખુલાસો

Team News Updates

સેન્સેક્સ 440 પોઈન્ટ ઘટીને 66,266 પર બંધ:નિફ્ટી પણ 118 પોઈન્ટ તૂટ્યો, સિપ્લાનો શેર 10% વધ્યો

Team News Updates

જો તમે પણ Google પર કસ્ટમર કેર નંબર સર્ચ કરો છો તો સાવધાન રહો, તમે બની શકો છો છેતરપિંડીનો શિકાર

Team News Updates