News Updates
INTERNATIONAL

PAKISTAN WORLD BANK:વધુ એક કરોડ લોકો ગરીબી રેખા નીચે જવાનો ભય,પાકિસ્તાનમાં ગરીબી સર્જાશે

Spread the love

વિશ્વ બેંકે ચેતવણી આપી હતી કે, વધતા જતા પરિવહન ખર્ચ તેમજ જીવનનિર્વાહના વધતા ખર્ચને કારણે શાળા બહાર બાળકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત આનાથી જે પરિવારો ગમે તે રીતે કરીને જીવી રહ્યા છે, તેમની બીમારીના કિસ્સામાં સારવારમાં વિલંબ થઈ શકે છે.

વિશ્વ બેંકે કહ્યું છે કે, આગામી નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ જબરદસ્ત રહેશે. તે જ સમયે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક સ્થિતિએ તેની ચિંતા વધારી દીધી છે. વર્લ્ડ બેંકને આશંકા છે કે પાકિસ્તાનમાં ગરીબી આગામી દિવસોમાં બળવો સર્જી શકે છે. અહીં એક કરોડથી વધુ વસ્તી ગરીબી રેખા નીચે જઈ શકે છે.

વર્લ્ડ બેંકે કહ્યું છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. તેમણે દેશના રોકડ સંકટ અંગે ચેતવણી આપી છે. તેમજ પહેલાથી જ મોંઘવારી સામે ઝઝૂમી રહેલા દેશમાં એક કરોડથી વધુ લોકો ગરીબી રેખા નીચે જવાની દહેશત વ્યક્ત કરી છે.

વિશ્વ બેંકના અનુમાન મુજબ પાકિસ્તાન 1.8 ટકાના ધીમા આર્થિક વિકાસ દરે વૃદ્ધિ કરી રહ્યું છે, જ્યારે મોંઘવારીનું સ્તર આના કરતા ઘણું વધારે છે. વર્તમાન નાણાકીય વર્ષમાં પાકિસ્તાનમાં મોંઘવારી દર 26 ટકા પર પહોંચી ગયો છે. વિશ્વ બેંકે પાકિસ્તાનના વિકાસના અંદાજ પર તેનો અર્ધવાર્ષિક અહેવાલ જાહેર કર્યો છે.

વર્લ્ડ બેંકનું કહેવું છે કે, પાકિસ્તાન તેના પ્રાથમિક બજેટના લક્ષ્યાંકથી ઓછું પડી શકે છે. તે સતત ત્રણ વર્ષ સુધી ખોટમાં રહી શકે છે. આ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની શરતોની વિરુદ્ધ છે. પાકિસ્તાનને ભંડોળ પૂરું પાડવાના બદલામાં IMFએ તેની આવક વધારવા અને સરપ્લસ બજેટનું લક્ષ્ય હાંસલ કરવાની ફરજિયાત શરત મૂકી છે.

વિશ્વ બેંકનો આ અહેવાલ મુખ્યત્વે સૈયદ મુર્તઝા મુઝફ્ફરીએ લખ્યો છે. તેમના મતે પાકિસ્તાનનું પુનરુત્થાન થઈ રહ્યું છે, પરંતુ તે ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છે. ગરીબી નાબૂદી માટે જે પ્રયાસો થઈ રહ્યા છે તે પૂરતા નથી. એવું કહેવામાં આવ્યું છે કે આર્થિક વૃદ્ધિ સામાન્ય રહેવાની અપેક્ષા છે. તે જ સમયે લગભગ 9.8 કરોડ પાકિસ્તાની પહેલાથી જ ગરીબી રેખા નીચે છે. આ સાથે ગરીબીનો દર 40 ટકાની આસપાસ રહે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગરીબી રેખાની ઉપર રહેતા લોકો તેના નીચે આવવાનું જોખમ ધરાવે છે. આ અંતર્ગત એક કરોડ લોકોના ગરીબી રેખા નીચે આવવાનું જોખમ છે. વિશ્વ બેંકે જણાવ્યું હતું કે, કૃષિ ઉત્પાદનમાં અપ્રત્યાશિત લાભોથી ગરીબ લોકોને ફાયદો થવાની સંભાવના છે. પરંતુ બાંધકામ, વેપાર અને પરિવહન જેવા ઉચ્ચ રોજગાર ક્ષેત્રોમાં સતત ઊંચા ફુગાવા અને મર્યાદિત વેતન વૃદ્ધિ દ્વારા આ લાભને તટસ્થ કરવામાં આવશે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દૈનિક વેતન મજૂરોના વેતનમાં માત્ર પાંચ ટકાનો વધારો થયો છે જ્યારે ફુગાવો 30 ટકાથી ઉપર હતો. વિશ્વ બેંકે ચેતવણી આપી હતી કે, વધતા જતા પરિવહન ખર્ચ તેમજ જીવનનિર્વાહના વધતા ખર્ચને કારણે શાળામાં ન જતા બાળકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.


Spread the love

Related posts

હવે જર્મનીમાં ખાલિસ્તાનનાં નારા લાગ્યા:ગુરુદ્વારા શીખ સેન્ટરમાં KCF ચીફ પંજવડની તસવીર લગાવી, પાકિસ્તાનમાં માર્યો ગયો હતો

Team News Updates

7નાં મોત:લોકોને ઊંઘમાં ગોળી ધરબી દીધી,પીએમ શાહબાઝે કહ્યું- અમે આતંકવાદને ખતમ કરીશું,પાકિસ્તાનમાં આતંકી હુમલો

Team News Updates

10 કરોડ લોકો પ્રભાવિત થયા ભારે પવનને કારણે :18નાં મોત, 42 ઘાયલ,બોલના કદના કરા પડ્યા,અમેરિકામાં ટોર્નેડોના કારણે

Team News Updates