News Updates
GUJARAT

 સંચાલકની અટકાયત કરવામાં આવી;શ્રમ વિભાગ અને પોલીસનો દરોડો દરેડ GIDCમાં આવેલા કારખાનામાં બ્રાસની ભઠ્ઠીમાંથી બે બાળમજૂરોને મુક્ત કરાવાયા 

Spread the love

જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી મહાકાળી ફોર્જિંગ નામની બ્રાસની ભઠ્ઠીમાં સગીરવયના બાળકો કામ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો, અને બાળમજૂરી કરી રહેલા બે બાળકોને મુક્ત કરાવ્યા છે, અને બાળ સંરક્ષણ ગ્રહમાં મોકલી આપ્યા છે. જ્યારે બ્રાસની ભઠ્ઠીના સંચાલકની સામે ગુનો નોંધી તેની અટકાયત કરી લેવામાં આવી છે.

જામનગર પોલીસના એ.એચ.ટી.યુ. વિભાગના પોલીસ ઈન્સ્પેકટર એન.ડી. સોલંકી અને તેમના સ્ટાફને ચોક્કસ માહિતી મળી હતી, કે જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલી મહાકાળી ફોર્જિંગ નામની બ્રાસની ભઠ્ઠીમાં નાના બાળકોને કામે રાખીને બાળમજૂરી કરાવી બાળકોનું શારીરિક તેમજ આર્થિક શોષણ કરવામાં આવે છે. જે માહિતીના આધારે દરોડો પાડયો હતો. જે દરમિયાન 13 વર્ષ તેમજ 17 વર્ષથી નાની વયના બે સગીર બાળકો કામ કરી રહેલા મળી આવ્યા હતા. જેથી શ્રમઆયુક્ત અધિકારી ડી.ડી. રામીએ બંને બાળકોનો કબ્જો ઈન્સ્પેકટર એન.ડી. સોલંકીએ સોંપી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યા છે.

ઉપરાંત બ્રાસની ભઠ્ઠીના સંચાલક મિલન મનસુખભાઈ અમરોલીયા સામે ધી ચાઈલ્ડ લેબર (પ્રોહીબિશનન એન્ડ રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ 1986ની કલમ 14 (એ) 1 મુજબ કાર્યવાહી કરી તેની અટકાયત કરી લેવામાં આવી છે. આ કામગીરી પોલીસ શ્રમ આયુક્ત અધિકારી ડી.ડી. રામી, તેમજ એ. એચ. યુ. ટી. ની ટિમના એએસઆઈ રણમલભાઈ ગઢવી, રાજદિપસિંહ ઝાલા, કિરણબેન મેરાણી વગેરેએ કરી હતી.


Spread the love

Related posts

વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત:જામનગરમાં ગરબાની પેક્ટિસ કરતાં કરતાં 19 વર્ષીય યુવક ઢળી પડ્યો, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત

Team News Updates

JETPUR:શ્રી મોટી હવેલી જેતપુર દ્વારા શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીના ૫૪૭માં પ્રાકટ્ય મહોત્સવનું ભવ્ય આયોજન

શરદ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ/ ગ્રહણને લઈ SHREE KHODALDHAM MANDIRમાં સાંજની આરતી બંધ રહેશે, ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે

Team News Updates