News Updates
GUJARAT

10 હજાર કિલો કેરીનો અન્નકૂટ,વડતાલના આંગણે આમ્રોત્સવ

Spread the love

લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે રવિવારના રોજ વડતાલ મંદિરમાં બીરાજતા દેવોને અમદાવાદ એસ.જી.વી.પી. ગુરૂકુળ પરિવારના સ્વામી માધવપ્રિયદાસજી અને પુરાણીસ્વામી બાલકૃષ્ણદાસજી દ્વારા 10 ટન કેરીનો અન્નકૂટ આમ્રોત્સવ ધરાવવામાં આવ્યો હતો.

આમ્રોત્સવના આયોજક વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે નીજ મંદિરમાં દેવોને ભક્તો દ્વારા ઋતુ પ્રમાણે ફળો ધરાવવામાં આવે છે.

મહત્વનું છે કે આ અંતર્ગત ઉનાળાની ઋતુમાં ફળોનો રાજા કેરીનો અમદાવાદ એસજીવીપી ગુરૂકુળ પરિવારના સ્વામી માધવપ્રિયદાસજી અને પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી દ્વારા 10 ટન કેસર કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

મંદિરના પૂજારીઓ દ્વારા કેરીની કમાનો ઉભી કરવામાં આવી હતી. ત્યારબાદ દેવો સમક્ષ કેરી ધરાવવામાં આવી હતી. રવિવારના રોજ હજ્જારો હરિભક્તોએ આમ્રોત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સવારે 8 થી 12 વાગ્યા સુધીમાં અંદાજીત 75 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

સમગ્ર આમ્રોત્સવના આયોજક ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા કોઠારી ડો.સંતસ્વામી હતા. આમ્રોત્સવની સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભસ્વામી તથા સ્વયંસેવકોની ટીમે સંભાળી હતી. અન્નકૂટ બાદ આ કેરીનો પ્રસાદનું વૃદ્ધાશ્રમ, અનાથઆશ્રમ, મહિલા આશ્રમ તથા દિવ્યાંગોને વડતાલધામના સંતો તથા સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.


Spread the love

Related posts

બે વર્ષમાં બીજી વખત જગતમંદિરનો ધ્વજાદંડ તૂટ્યો:દ્વારકા મંદિર પર રોજની 6 ધજા ચડાવવાના વિવાદ વચ્ચે ધ્વજાદંડ તૂટતાં વૈકલ્પિક જગ્યાએ ધ્વજારોહણ કરાયું

Team News Updates

JETPUR:શ્રી મોટી હવેલી જેતપુર દ્વારા શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીના ૫૪૭માં પ્રાકટ્ય મહોત્સવનું ભવ્ય આયોજન

 Weather:હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો

Team News Updates