News Updates
AHMEDABAD

Doctor’s Day:ડોક્ટર્સ ડે ની ઉજવણી કરાઇ અમદાવાદ સ્થિત CBSE સારથી પ્રાયમરી દિવ્યપથ સ્કૂલમાં

Spread the love

અમદાવાદ સ્થિત CBSE સારથી પ્રાયમરી દિવ્યપથ સ્કૂલમાં 1લી જુલાઈ 2024ના રોજ 9માં અને 10માં ધોરણના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કાર્યક્રમ સહિત આનંદથી ડૉક્ટર્સ ડેની ઉજવણી કરી. અનૂપ ગુપ્તા, જાણીતા ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ. ડો. ગુપ્તાએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું અને “તણાવ કેવી રીતે ઘટાડવો” વિષય પર જ્ઞાનપ્રદ વક્તવ્ય આપ્યું હતું.

ડો. ગુપ્તાએ તેમના વક્તવ્યમાં, ખાસ કરીને શૈક્ષણિક દબાણનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ માટે તણાવને ઘટાવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે તણાવ ઘટાડવા માટે વ્યવહારુ ઉપયોગીતા અને તકનીકો શેર કરી, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: જેમ કે

નિયમિત વ્યાયામ: એન્ડોર્ફિન(હોર્મોન)અને મૂડ સુધારવા માટે શારીરિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું.

સ્વસ્થ આહાર: શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ટેકો આપવા માટે સંતુલિત આહાર જાળવો.

પર્યાપ્ત ઊંઘ: મન અને શરીરને કાયાકલ્પ કરવા માટે પર્યાપ્ત આરામની ખાતરી કરવી.

માઇન્ડફુલનેસ અને મેડિટેશન: ધ્યાન કેન્દ્રિત અને શાંત રહેવા માટે માઇન્ડફુલનેસ તકનીકોનો અભ્યાસ કરવો.

દિવ્યપથ શાળા ડો. અનૂપ ગુપ્તાનો તેમના સમય અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે સમર્પણ કરવા બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.


Spread the love

Related posts

મજાકે જીવ લીધો! એક કર્મચારીએ બીજાના શરીરના ગુપ્ત ભાગે એર કંમ્પ્રેશરની પાઈપ ભરાવી દેતા મોત

Team News Updates

નબળા વિદ્યાર્થીઓને નહી રહે બોર્ડની પરીક્ષાનો ડર, વિદ્યાર્થીઓનું પરિણામ સુધારવા અમદાવાદ ગ્રામ્ય DEOએ શરુ કર્યો નવતર પ્રયોગ

Team News Updates

વસ્ત્રાપુરમાં ગાંઠિયા રથમાં આરોગ્ય વિભાગની તપાસ, રોગચાળો વધવાની ભીતિએ આરોગ્ય વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ

Team News Updates