News Updates
GUJARAT

Weather:અંબાલાલ પટેલની મોટી આગાહી:અવિરત વરસાદથી પાકમાં પડશે જીવાત,ભાદરવામાં પણ મેઘરાજા કરશે ભરપૂર જમાવટ

Spread the love

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના ખેડૂતોને લઈને મોટી આગાહી કરી છે. સતત અવિરત વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ છે. સતત વરસાદને કારણે પાક નષ્ટ થઈ શકે છે. સપ્ટેમ્બરના અવિરત વરસાદથી ખેતરોના પાકમાં જીવ-જંતુ પડવાની શક્યતા રહેલી છે. આ તરફ મેઘરાજા હજુ પણ વિરામ લેવાના મૂડમાં નથી અને ભાદરવામાં પણ જમાવટ કરતા જોવા મળશે.

હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરી છે. અંબાલાલે ભીતિ વ્યક્ત કરી છે કે જો રાજ્યમાં આ પ્રકારે અવિરત વરસાદ શરૂ રહેશે તો ખેડૂતોના પાકને નુકસાન થશે. પાક નષ્ટ થઈ શકે છે. પાક બળી જવાની તેમજ જીવાત પડવાની ભીતિ રહેલી છે. આ તરફ વરસાદને લઈને અંબાલાલે જણાવ્યુ છે કે હાલ રાજ્ય પર જે એક બાદ એક વરસાદી સિસ્ટમ બની રહી છે તેને જોતા ભાદરવા મહિનામાં પણ મેઘરાજા ભરપૂર જમાવટ કરે તેવુ લાગી રહ્યુ છે.

આગામી ત્રણ દિવસ અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલના ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાવી વકી છે. જેમા અરવલ્લી, સાબરકાંઠા, ઈડરના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. ભાવનગર કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં હવે વરસાદ માત્ર ઝાપટા સ્વરૂપે આવશે.

બંગાળના સાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી બિહાર અને મધ્યપ્રદેશ થઈ ગુજરાતના સરહદી વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. 22 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાથી 22,23,24 રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે.


Spread the love

Related posts

 સ્નાન, દાન અને વ્રત-પૂજા કરવાથી થશે અખૂટ પુણ્યની પ્રાપ્તિ,4-4 મોટા શુભ યોગોમાં, કાલે શનિ જયંતિ

Team News Updates

Knowledge: ઉંદર જ કેમ છે? ભગવાન ગણેશજીનું વાહન

Team News Updates

વલસાડમાં વાવાઝોડાની અસર, વાતાવરણમાં પલટો,જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ

Team News Updates