News Updates
GUJARAT

PHOTOSમાં જુઓ ચક્રવાત બિપરજોયનું ખતરનાક સ્વરૂપ:સૌરાષ્ટ્રનાં ગામડાંમાં દરિયાનાં પાણી ઘૂસ્યાં, માછીમારોનાં ગામો ખાલી થઈ ગયાં; 15 જૂને રેડ એલર્ટ

Spread the love

અરબી સમુદ્રમાંથી ઉદભવેલો ચક્રવાત બિપરજોયે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે એ પહેલાં જ ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ભારે પવન સાથે વરસાદ ચાલુ છે. આનાથી લગભગ 100 ટ્રેન પ્રભાવિત થઈ છે. 10 કિમી સુધીના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.

આ વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાનું કામ પણ ચાલી રહ્યું છે. હવામાન વિભાગના મહાનિર્દેશક ડો.મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જામનગર અને વલસાડમાં પવનની ઝડપ વધી રહી છે. અહીં બુધવાર સુધીમાં પવનની ઝડપ 70થી 75 કિમી સુધી પહોંચી શકે છે.

સોમવારે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 51 તાલુકામાં સાડાત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાળિયામાં સાડાત્રણ ઈંચ, મેંદરામાં અઢી ઈંચ, ઉપલેટા અને જૂનાગઢમાં બે-બે ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલી અને જામનગરમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે.

સાવચેતીના પગલા રૂપે પશ્ચિમ રેલવેએ 16 જૂન સુધી ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં 67 ટ્રેન રદ કરી છે. સૌરાષ્ટ્રના ઓખા, પોરબંદર અને જામનગરથી દોડતી 25 ટ્રેનને હવે રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદથી દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.


Spread the love

Related posts

લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી આવશે ગુજરાત, ત્રણ દિવસની મુલાકાતમાં ગુજરાતને મળશે અનેક ભેટ, જાણો કાર્યક્રમ

Team News Updates

Horoscope:રાશિફળ તમારૂ જાણો,આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી

Team News Updates

કાયદો અને વ્યવસ્થા અંગે સેમીનાર:ભાવનગરના વલ્લભી વિદ્યાપીઠ ખાતે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા અંગે સેમીનાર યોજાયો

Team News Updates