News Updates
GUJARAT

નેશનલ લોકઅદાલત જામનગરમાં:પેન્ડિંગ રહેલા 8 હજાર કેસોનું નિરાકરણ લાવવામાં આવ્યું,ન્યાયની અપેક્ષા સાથે અનેક લોકોએ ભાગ લીધો

Spread the love

જામનગરમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં હજારો લોકોએ ન્યાયની અપેક્ષા સાથે ભાગ લીધો હતો. આ અદાલતમાં વવિધ પ્રકારના કાયદાકીય વિવાદોનું શાંતિપૂર્ણ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડિસ્ટ્રિક્ટ જ્જ એન.આર. જોશીની અધ્યક્ષતામાં યોજાયેલી આ અદાલતમાં પ્રેમેસ્ટિક વાયલન્સ, પીજીવીસીએલ વિવાદો અને બેંક સંબંધિત કેસો સહિતના અનેક પ્રકારના કેસોની સુનાવણી કરવામાં આવી હતી.

જેમણે વિવિધ પ્રકારના કાયદાકીય મુદ્દાઓનું નિરાકરણ કરાવવા માટે અરજીઓ કરી હતી. આ અદાલતમાં ડોમેસ્ટિક વાયલન્સ, પીજીવીસીએલ અને બેંક તકરાર જેવા સંવેદનશીલ મુદ્દાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ જજએન.આર.જોશીએ આ લોક અદાલતનું નિરીક્ષણ કરીને તેની કાર્યપ્રણાલીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોક અદાલત એ ન્યાયિક પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાનું એક અસરારક માધ્યમ છે. આ અદાલતમાં કુલ 16 હજાર કેસોને આઈડન્ટિકાય કરવામાં આવ્યા હતા, જેમાંથી આજે આઠ હજાર કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. જોકે, હજુ પણ બે હજાર પાંચસો પચાવન કેસ પેન્ડિંગ છે. આ કેસોનો નિકાલ કરવા માટે આગામી દિવસોમાં વધુ લોક અદાલતોનું આયોજન કરવામાં આવશે.


Spread the love

Related posts

રૂ. 2.30 લાખનો મુદ્દામાલ જપ્ત, વિદેશી દારૃ ભરેલી ઈકો ગાડી ઝડપાઈ ગાંધીનગરના ઈન્દ્રપુરા વાગોસણા રોડ પરથી

Team News Updates

GROW FLAX SEED:અળસી  અઢળક ગુણ ધરાવતી ઘરે કૂંડામાં ઉગાડો

Team News Updates

જુનો નેશનલ હાઇવે Accident Zone બન્યો, 6 કલાકમાં અકસ્માતની 3 ઘટનાઓમાં 2 ST બસ સહીત 7 વાહનો ટકરાયા

Team News Updates