News Updates
NATIONAL

બાગમતી એક્સપ્રેસની ટક્કર તમિલનાડુમાં માલગાડી સાથે : મેઇન લાઈનથી લૂપ લાઈનમાં ઉતરી ગઈ ટ્રેન,12 કોચ પાટા પરથી ઉતરી ગયા, 19 મુસાફરો ઘાયલ

Spread the love

તમિલનાડુમાં ચેન્નાઈ નજીક મૈસૂર-દરભંગા બાગમતી એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ. 11 ઓક્ટોબરે રાત્રે 8:30 વાગ્યે થયેલા અકસ્માતમાં 12 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા, એક કોચ અને એક પર્સનલ વાનમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 19 લોકો ઘાયલ થયા છે. ટ્રેનમાં 1360 મુસાફરો સવાર હતા.

સધર્ન રેલવેના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ચેન્નઈથી 41 કિમી દૂર કાવરાઈપેટ્ટાઈ રેલવે સ્ટેશન પાસે થયો હતો. આ સમયગાળા દરમિયાન બાગમતી એક્સપ્રેસની સ્પીડ 75 કિમી પ્રતિ કલાક હતી.

રેલવેએ જણાવ્યું કે રાત્રે 8.27 વાગ્યે પોનેરી સ્ટેશન પાર કર્યા બાદ બાગમતી એક્સપ્રેસને મુખ્ય લાઇન પર દોડવા માટે લીલી ઝંડી મળી ગઈ હતી. કાવરાઈપેટ્ટાઈ રેલ્વે સ્ટેશન પહોંચતા પહેલા જ લોકો પાઈલટ અને ટ્રેનના ક્રૂને જોરદાર આંચકો લાગ્યો હતો.

આંચકા બાદ ટ્રેન મુખ્ય લાઇન છોડીને લૂપ લાઇનમાં ગઈ હતી. અહીં એક માલગાડી પહેલેથી જ ઊભી હતી. બાગમતી એક્સપ્રેસ તેની સાથે અથડાઈ હતી. રેલવે તપાસ કરી રહી છે કે ટ્રેન કેવી રીતે લૂપ લાઈનમાં ગઈ.

તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું કે સરકાર ઝડપથી રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. સ્થળ પર હાજર મુસાફરોની મદદ માટે અને તેમની આગળની મુસાફરી માટે એક અલગ ટીમ બનાવવામાં આવી છે.

તમિલનાડુના ડેપ્યુટી સીએમ ઉધયનિધિ સ્ટાલિને કહ્યું- અમે વ્યક્તિગત રીતે ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા મુસાફરોને મળ્યા હતા. તમામની સ્ટેનલી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અમે ડીનને ઘાયલોની માહિતી વિશે પૂછ્યું છે. અમે તિરુવલ્લુરના જિલ્લા કલેક્ટર પાસેથી સ્થળ પર હાજર મુસાફરોના રહેવાની વ્યવસ્થા અંગે પણ માહિતી લીધી છે.


Spread the love

Related posts

આ દિવસથી ખુલશે બદ્રીનાથ ધામના કપાટ, જાણો તારીખ અને સમય

Team News Updates

Knowledge:દારૂ લગ્નમાં પીરસવા માટે ક્યાંથી પરવાનગી લેવી પડે? જાણી  નિયમોને 

Team News Updates

ગુજરાતમાં ચોમાસુ શરુ થશે મોડુ, જાણો આ વર્ષે કેટલો વરસાદ રહેવાની છે શક્યતા

Team News Updates