News Updates
SURAT

નોનવેજ સિઝલરના ધુમાડાથી એક પછી એક મહિલાઓ પડવા લાગી:સુરતમાં બેઝમેન્ટના AC હોલમાં,ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું, સફોગેશનથી 20થી વધુ મહિલા બેભાન થઈ

Spread the love

સુરતના ઝાંપાબજાર દેવડી પાછળ આવેલા નુરપુરાનાં બેઝમેન્ટમાં આવેલા હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં 20થી વધુ મહિલાઓ બેભાન થઈ જતાં મોડીરાત્રે અફરાતફરી મચી ગઈ હતી. દાઉદી વોરા સમાજના રાત્રિ ભોજન માટે AC હોલમાં નોનવેજ સિઝલર આરોગવા આવેલી 20થી 30 મહિલાઓ એક પછી એક પડવા લાગતા ટાવર રોડની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

નુરપુરામાં આવેલી ઇમારતના બેઝમેન્ટમાં બિલ્ડરે ગેરકાયદે AC હોલ બનાવી દઈ ભાડે આપવાનું શરૂ કર્યું છે. આજે દાઉદી વોરા સમાજની મહિલાઓ માટે મીઠી સિતાબીનાં જમણમાં નોનવેજ સિઝલર પીરસવામાં આવ્યું હતું. અહીં હોલમાં 1-1 ટનના ચારથી પાંચ એસી હોવા સાથે સિઝલરનો ધુમાડો ગેરકાયદે બેઝમેન્ટનાં હોલમાં ફરી વળતાં ઓક્સિજન લેવલ ઘટી જવાને લીધે 20થી વધુ મહિલાઓ ભોજન દરમિયાન ચક્કર ખાઈ બેભાન થઈ જતાં નાસભાગ મચી જવા પામી હતી.

108 બોલાવવાને બદલે મહિધરપુરા ટાવર રોડ પાસેની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સ મોકલી બેભાન મહિલાઓને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાઓને તાત્કાલિક સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેટલીક મહિલાઓ હોલની અંદર તો કેટલીક મહિલાઓ હોલની બહાર ચક્કર ખાઈ બેભાન થઈ ગઈ હતી.

સફોગેશન અને ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં મહિલાઓ સાથે ઘટના બની હોવાનું બુરહાની હોસ્પિટલના તબીબોએ પરિવારના સભ્યોને જણાવ્યું હતું. નવાઈની વાત એ છે કે, આવી ગંભીર ઘટના બની છતાં મહિલાઓ માટે રાત્રિ ભોજનનું આયોજન કરનાર આયોજકોએ પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી ન હતી. હોસ્પિટલમાં 20 મહિલાઓને સારવાર આપવામાં આવી રહી છે. 10 મહિલાઓને પ્રાથમિક સારવાર પછી રજા આપવામાં આવી છે.


Spread the love

Related posts

કપાળ-બંને હાથમાં ચકામાનાં નિશાન મળ્યાં,સુરતના કાપડના વેપારીનું બોથડ પદાર્થથી મોત થયાનું ખૂલ્યું:કસ્ટોડિયલ ડેથમાં ફોરેન્સિક PM કરાયું

Team News Updates

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સેવાનો મહાયજ્ઞઃ 58મા જન્મદિવસે દેશભરમાં 58થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Team News Updates

SURAT:1 હજાર કંડક્ટર અને ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કર્યા સીટી બસમાં ટિકિટ ચોરીના મામલે 

Team News Updates