News Updates
GUJARAT

Jamnagar:કપડા સુકવવા જતાં જામનગરના આમરામાં પરિણીતાને વીજ આંચકો લાગ્યો, સારવારમાં મોત

Spread the love

જામનગરના આમરા ગામમાં રહેતી એક પરિણીતાને પોતાના ઘેર કપડા સુકવવા જતાં વીજ આંચકો લાગ્યો હતો. જેથી તેનું અપમૃત્યુ થયું છે. આ બનાવની વિગત એવી છે કે, આમરા ગામમાં રહેતી મંજુલાબેન નરોત્તમભાઈ ધારવીયા નામની 44 વર્ષની પરિણીતા ગઈકાલે પોતાના ઘેર કપડાં સુકવવા જતી હતી, તે દરમિયાન તેણીને એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બની હતી.

આથી 108ની ટીમને બોલાવતાં 108 ની ટુકડી ઘેર આવી પહોંચી હતી અને મંજુલાબેનને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી, જયાં ટૂંકી સારવાર દરમિયાન મંજુલાબેનનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ નરોતમભાઈ ભવાનભાઈ ધારવીયા એ પોલીસને જાણ કરતાં સિક્કાના એ.એસ.આઈ.સી.ટી. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.


Spread the love

Related posts

Knowledge:માઇલસ્ટોન્સના રંગનો અર્થ જાણો,રસ્તાની બાજુમાં લાગેલા માઇલસ્ટોન્સ શા માટે જુદા જુદા રંગો ધરાવે છે?

Team News Updates

362 બિયારણ-ખાતરની પેઢી પર તપાસ હાથ ધરી,ઉત્તર ગુજરાતમાં કૃષિ વિભાગે

Team News Updates

બદામ અને અખરોટ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક

Team News Updates