News Updates
GUJARAT

Jamnagar:કપડા સુકવવા જતાં જામનગરના આમરામાં પરિણીતાને વીજ આંચકો લાગ્યો, સારવારમાં મોત

Spread the love

જામનગરના આમરા ગામમાં રહેતી એક પરિણીતાને પોતાના ઘેર કપડા સુકવવા જતાં વીજ આંચકો લાગ્યો હતો. જેથી તેનું અપમૃત્યુ થયું છે. આ બનાવની વિગત એવી છે કે, આમરા ગામમાં રહેતી મંજુલાબેન નરોત્તમભાઈ ધારવીયા નામની 44 વર્ષની પરિણીતા ગઈકાલે પોતાના ઘેર કપડાં સુકવવા જતી હતી, તે દરમિયાન તેણીને એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બની હતી.

આથી 108ની ટીમને બોલાવતાં 108 ની ટુકડી ઘેર આવી પહોંચી હતી અને મંજુલાબેનને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી, જયાં ટૂંકી સારવાર દરમિયાન મંજુલાબેનનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ નરોતમભાઈ ભવાનભાઈ ધારવીયા એ પોલીસને જાણ કરતાં સિક્કાના એ.એસ.આઈ.સી.ટી. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.


Spread the love

Related posts

રાજસ્થાનમાં ગજબનો ચમત્કાર! અહીં ‘રીંછ-સિંહ’ પણ પેન્શન લઈ રહ્યા છે, કૌભાંડ બહાર આવતા ખળભળાટ

Team News Updates

ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યા કારે પિતા-પુત્રને:ત્રણ ગુલાટી ખાતા 5 સેકન્ડમાં જ પિતાનું મોત, આણંદમાં બાઈક પર રોડ ક્રોસ કરતાં કારે ટક્કર મારી

Team News Updates

વરસાદ અને તોફાનનો બીજો રાઉન્ડ ગુરુવારે પૂર્વી આયોવા તરફ આગળ વધશે, હવામાન વિભાગે કરી આગાહી

Team News Updates