News Updates
GUJARAT

Jamnagar:કપડા સુકવવા જતાં જામનગરના આમરામાં પરિણીતાને વીજ આંચકો લાગ્યો, સારવારમાં મોત

Spread the love

જામનગરના આમરા ગામમાં રહેતી એક પરિણીતાને પોતાના ઘેર કપડા સુકવવા જતાં વીજ આંચકો લાગ્યો હતો. જેથી તેનું અપમૃત્યુ થયું છે. આ બનાવની વિગત એવી છે કે, આમરા ગામમાં રહેતી મંજુલાબેન નરોત્તમભાઈ ધારવીયા નામની 44 વર્ષની પરિણીતા ગઈકાલે પોતાના ઘેર કપડાં સુકવવા જતી હતી, તે દરમિયાન તેણીને એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બની હતી.

આથી 108ની ટીમને બોલાવતાં 108 ની ટુકડી ઘેર આવી પહોંચી હતી અને મંજુલાબેનને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી, જયાં ટૂંકી સારવાર દરમિયાન મંજુલાબેનનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ નરોતમભાઈ ભવાનભાઈ ધારવીયા એ પોલીસને જાણ કરતાં સિક્કાના એ.એસ.આઈ.સી.ટી. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.


Spread the love

Related posts

Jamnagar:યુવકને નાસ્તો કરવા બોલાવી છરી વડે હુમલો કર્યો,જામનગરના ઈન્દિરા કોલોની વિસ્તારમાં બે ભાઈઓએ,યુવકની હાલત ગંભીર

Team News Updates

ધાર્મિક દૃષ્ટિએ ડિસેમ્બર મહિનો ખૂબ જ ખાસ:આ મહિનામાં ઉજવાશે ગીતા જયંતિ અને દત્તાત્રેય પૂર્ણિમા જેવા મોટા તહેવારો, જાણો આ તહેવારો પર કયા-કયા શુભ કાર્યો કરવા

Team News Updates

કેળાની ખેતી કરી ખેડૂત બન્યો અમીર, જાણો કેવી રીતે થયો એક વર્ષમાં 81 લાખ રૂપિયાનો નફો

Team News Updates