News Updates
GUJARAT

Jamnagar:કપડા સુકવવા જતાં જામનગરના આમરામાં પરિણીતાને વીજ આંચકો લાગ્યો, સારવારમાં મોત

Spread the love

જામનગરના આમરા ગામમાં રહેતી એક પરિણીતાને પોતાના ઘેર કપડા સુકવવા જતાં વીજ આંચકો લાગ્યો હતો. જેથી તેનું અપમૃત્યુ થયું છે. આ બનાવની વિગત એવી છે કે, આમરા ગામમાં રહેતી મંજુલાબેન નરોત્તમભાઈ ધારવીયા નામની 44 વર્ષની પરિણીતા ગઈકાલે પોતાના ઘેર કપડાં સુકવવા જતી હતી, તે દરમિયાન તેણીને એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બની હતી.

આથી 108ની ટીમને બોલાવતાં 108 ની ટુકડી ઘેર આવી પહોંચી હતી અને મંજુલાબેનને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી, જયાં ટૂંકી સારવાર દરમિયાન મંજુલાબેનનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ નરોતમભાઈ ભવાનભાઈ ધારવીયા એ પોલીસને જાણ કરતાં સિક્કાના એ.એસ.આઈ.સી.ટી. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.


Spread the love

Related posts

એક એવું ઝાડ જેને મળે છે Z+ સુરક્ષા, જાળવણી પાછળ દર વર્ષે 15 લાખનો ખર્ચ, જાણો કેમ છે આટલું ખાસ

Team News Updates

WhatsAppમાં એડ થશે સ્ક્રીનશોટ બ્લોકિંગ-પ્રોફાઇલ ફોટો ફીચર:યુઝર્સની પરમિશન વિના પ્રોફાઇલ ફોટાનો સ્ક્રીનશોટ લઈ શકાશે નહીં

Team News Updates

આલ્બર્ટ આઈન્સ્ટાઈનની જીભ બહાર રહેલો ફોટો ખૂબ જ પ્રખ્યાત છે, તેની પાછળની શું છે સ્ટોરી?

Team News Updates