News Updates
ENTERTAINMENT

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન Imran Khan બાદ, આ પ્રખ્યાત ક્રિકેટરોએ ક્રિકેટ બાદ રાજકારણના મેદાનમાં ઈનિંગ્સ રમી જુઓ લિસ્ટ

Spread the love

ભારત ઉપરાંત વિશ્વના ઘણા ક્રિકેટરોએ પણ રાજકારણમાં હાથ અજમાવ્યો છે. ઈમરાન ખાન જે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન છે. આ સિવાય સનથ જયસૂર્યા, તિલકરત્ને અને અર્જુન રણતુંગાએ પણ રાજકીય ઈનિંગ્સ રમી છે.

ક્રિકેટ દેશની સૌથી લોકપ્રિય રમત છે. ક્રિકેટ રમતા આ દિગ્ગજોની લોકપ્રિયતા સાતમા આસમાને છે. આમાંથી કેટલાક ક્રિકેટરોએ રમતના મેદાનમાં બધાનું મનોરંજન કર્યા બાદ રાજકારણની પીચ પર લોકોની સેવા કરવાનું નક્કી કર્યું. આજે અમે તમને એવા જ કેટલાક ક્રિકેટરોનો પરિચય કરાવી રહ્યા છીએ જેમણે રાજકારણની બેટિંગ પસંદ કરી છે.

વર્લ્ડ કપ વિજેતા અને મહાન ઓલરાઉન્ડર કહેવાતા ઈમરાન ખાને પોતાના સમયમાં ક્રિકેટના મેદાનમાં જબરદસ્ત ઈનિગ્સ રમી હતી. ઈમરાન ખાન ક્રિકેટ બાદ રાજકારણમાં પ્રવેશ્યા અને વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા હતા.આજે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રાજધાની ઈસ્લામાબાદમાં ધરપકડ કરવામાં આવી છે.

અશોક ડિંડા, જેમના નામે 420 ફર્સ્ટ ક્લાસ વિકેટ છે, તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2013માં રમી હતી. પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 22 મેચ રમી ચૂકેલા ડિંડાએ આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, પુણે વોરિયર્સ ઈન્ડિયા અને રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ માટે પણ બોલિંગ કરી છે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, આ ખેલાડી ભારતીય જનતા પાર્ટીનો ભાગ બન્યો અને પશ્ચિમ બંગાળના મોયનાથી 2021માં વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન ચેતન ચૌહાણ ભાજપના દિગ્ગજ નેતા છે. એક સમયે સુનીલ ગાવસ્કરના ઓપનિંગ પાર્ટનર ચેતન હાલમાં ઉત્તર પ્રદેશ સરકારમાં રમતગમત મંત્રી છે. ચેતન બે વખત અમરોહાથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન કોંગ્રેસના નેતા છે. તેઓ તેલંગાણા કોંગ્રેસ વર્કિંગ કમિટીના કાર્યકારી અધ્યક્ષ છે. 2009માં પહેલીવાર અઝહરુદ્દીન કોંગ્રેસની ટિકિટ પર મુરાદાબાદ બેઠક પરથી ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા હતા.

ભારતીય ટીમના સૌથી લોકપ્રિય ફિલ્ડર અને નેટવેસ્ટ ટ્રોફી ફાઈનલના હીરો મોહમ્મદ કૈફે પણ રાજકારણમાં હાથ અજમાવ્યો છે. 2014 માં, તેમણે કોંગ્રેસની ટિકિટ પર ઉત્તર પ્રદેશના ફૂલપુરથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપના દિગ્ગજ નેતા કેશવ પ્રસાદ મૌર્ય સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નવજોત સિંહ સિદ્ધુ ભારતીય રાજકારણનો જાણીતો ચહેરો છે. નવજોત માત્ર સક્રિય રાજકારણ માટે જ નહીં પરંતુ તેમની કુશળતા માટે પણ જાણીતા છે. ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રહેલા સિદ્ધુએ બીજેપી સાથે રાજકારણની શરૂઆત કરી હતી. 2004માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર અમૃતસરથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા. તેઓ 2016માં રાજ્યસભાના સાંસદ પણ બન્યા હતા. 2017માં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. નવજોત તેની સિક્સ ફટકારવાની કુશળતા માટે જાણીતો હતો. તે દિવસોમાં લોકો તેમને સિક્સર સિંહ કહીને બોલાવતા હતા.

ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. ગંભીર, કે જેઓ ભારતના 2007 ICC વર્લ્ડ T20 અને 2011 વર્લ્ડ કપની જીતના મુખ્ય ખેલાડી હતા,


Spread the love

Related posts

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત:રાહુલ-બુમરાહ અને શ્રેયસનું કમબેક, ચહલ ટીમમાંથી આઉટ; તિલકને મળ્યું સ્થાન, સેમસન સ્ટેન્ડબાય પ્લેયર

Team News Updates

T20 World Cup 2024:આંસુ નહોતા રોકાતા,  ભારત સામે હાર બાદ પાકિસ્તાની ખેલાડીની આંખમાંથી

Team News Updates

શું છે પાકિસ્તાનની હીરામંડીનો ઈતિહાસ? જેના પર સંજય લીલા ભણસાલી બનાવી રહ્યા છે વેબ સિરીઝ

Team News Updates