News Updates
JUNAGADHSAURASHTRA

સાઇકલ ચલાવવા પ્રેરીત કરતો સાઇકલ યાત્રી:સોમનાથ મહાદેવના દર્શનાર્થે અનોખો સાઇકલ યાત્રી પહોંચ્યો; ભારતના ગામો ગામ સાઇકલ લઈ પ્રકૃતી જતનનો સંદેશ આપી રહેલો છે

Spread the love

ભારતના ગામો ગામ સાઇકલ લઈ સાઇકલ યાત્રી પ્રકૃતી જતનનો સંદેશ આપી રહેલો છે. યાત્રા માટે અનોખી સાઇકલ પણ બનાવી. જેમાં જીવન જરૂરી વસ્તુઓ પણ સામીલ કરી છે. વાપીના પરમવીર ભારતીએ સાઇકલ પર સોમનાથ પહોંચી મહાદેવના દર્શન કર્યા હતા. તેઓ ભારત દેશના ગામડાઓ તથા શહેરોની સાઇકલ યાત્રા કરવા નીકળ્યા છે. ગઈકાલે તેઓ સોમનાથ આવી પહોંચેલા અને સોમનાથ મહાદેવના દર્શન કરી તેઓએ સોમનાથ આવતા યાત્રીઓને સાઇકલ ચલાવવા પ્રેરીત કરેલા.

વિશેષમાં સાઇકલ ચલાવવાના ફાયદાઓ અંગે તેઓએ જણાવેલું કે, સાઇકલ ચલાવી આપણે પ્રકૃતિ અને અર્થતંત્ર માટે વિશેષ યોગદાન આપી શકીએ. સાથે જ સ્વાસ્થયને લગતા ફાયદાઓ પણ ખુબ મહત્વના છે. યાત્રી પરમવીર ભારતીએ સુંદર આવાસ-ભોજન સહિતની સુંદર યાત્રી સેવા બદલ સોમનાથ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરેલ હતો.


Spread the love

Related posts

ઠગ કાળાં વસ્ત્રોમાં ‘માતાજી’ બની પ્રગટ થતો:મુસ્લિમ યુવકે કહ્યું- મારા પિતાને સાક્ષાત્ માતાજી આવે છે, 500 કરોડનો વરસાદ કરશે; ઢોંગીએ મોડસ ઓપરેન્ડીથી કરોડો ઠગ્યા

Team News Updates

વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા ‘મોક્ષરથ’ તેમજ ‘નાગરિક સુવિધા કેન્દ્ર’નું કરાયું લોકાર્પણ

Team News Updates

લોકોની આતુરતાનો હવે આવશે અંત:જૂનાગઢની શાન ગણાતા ઉપરકોટના કિલ્લાને આવતીકાલે મુખ્યમંત્રી ખુલ્લો મુકશે, વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ પણ કરશે

Team News Updates