News Updates
JUNAGADHSAURASHTRA

સાઇકલ ચલાવવા પ્રેરીત કરતો સાઇકલ યાત્રી:સોમનાથ મહાદેવના દર્શનાર્થે અનોખો સાઇકલ યાત્રી પહોંચ્યો; ભારતના ગામો ગામ સાઇકલ લઈ પ્રકૃતી જતનનો સંદેશ આપી રહેલો છે

Spread the love

ભારતના ગામો ગામ સાઇકલ લઈ સાઇકલ યાત્રી પ્રકૃતી જતનનો સંદેશ આપી રહેલો છે. યાત્રા માટે અનોખી સાઇકલ પણ બનાવી. જેમાં જીવન જરૂરી વસ્તુઓ પણ સામીલ કરી છે. વાપીના પરમવીર ભારતીએ સાઇકલ પર સોમનાથ પહોંચી મહાદેવના દર્શન કર્યા હતા. તેઓ ભારત દેશના ગામડાઓ તથા શહેરોની સાઇકલ યાત્રા કરવા નીકળ્યા છે. ગઈકાલે તેઓ સોમનાથ આવી પહોંચેલા અને સોમનાથ મહાદેવના દર્શન કરી તેઓએ સોમનાથ આવતા યાત્રીઓને સાઇકલ ચલાવવા પ્રેરીત કરેલા.

વિશેષમાં સાઇકલ ચલાવવાના ફાયદાઓ અંગે તેઓએ જણાવેલું કે, સાઇકલ ચલાવી આપણે પ્રકૃતિ અને અર્થતંત્ર માટે વિશેષ યોગદાન આપી શકીએ. સાથે જ સ્વાસ્થયને લગતા ફાયદાઓ પણ ખુબ મહત્વના છે. યાત્રી પરમવીર ભારતીએ સુંદર આવાસ-ભોજન સહિતની સુંદર યાત્રી સેવા બદલ સોમનાથ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરેલ હતો.


Spread the love

Related posts

JUNAGADH:8 લાખથી વધુના દાગીના જુનાગઢમાં દીવાન ચોક ખાતે સોનાની પેઢીમાં ગીરવે મુકેલા બે વેપારીઓ ઓળવી ગયાની ફરિયાદ નોંધાઈ

Team News Updates

પિતાનું વહાલ મોતનું કારણ બન્યું:લિંબાયતમાં ત્રણ માસની પુત્રીને પિતાએ રમાડતાં રમાડતાં હવામાં ઉછાળતાં પંખા સાથે ટકરાઈ, બાળકીના મોતથી પરિવારમાં શોક

Team News Updates

ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Team News Updates