News Updates
NATIONAL

ખંભાળિયાનું વહાણ યમનમાં ભસ્મીભૂત:તમામ ખલાસીઓ સહી સલામત બહાર નીકળ્યા; 1100 ટન જેટલી કેપેસિટીનું આ વહાણ મકલા પોર્ટ ખાતે હતું ત્યારે આગ લાગી; મોટી જાનહાની ટળી

Spread the love

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા આસિફ અબ્દુલ્લા ભાયા નામના એક વહાણવટીનું “સુલતાને ઓલિયા” નામનું અને બીડીઆઈ 1482 રજીસ્ટ્રેશન નંબર ધરાવતું વહાણ આજરોજ યમન ખાતે કોઈ કારણોસર આગની ઝપેટમાં આવી ગયું હતું.

આશરે 1100 ટન જેટલી કેપેસિટીનું આ જનરલ કાર્ગો વહાણ આજરોજ સવારે યમનના મકલા પોર્ટ ખાતે હતું. ત્યારે કોઈ કારણોસર તેમાં અકસ્માતે આગ લાગી હતી અને થોડીવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે આ વહાણ મહદઅંશે બળીને ખાખ થઈ ગયું હતું. આ આગના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.

જોકે આ વહાણમાં રહેલા તમામ ખલાસીઓ સહી સલામત હોવાનું અને કોઈ મોટી જાનહાની ન થયાનું માહિતગાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પરંતુ વહાણમાં નોંધપાત્ર નુકસાની થવા પામી હતી. આગનું કોઈ ચોક્કસ કારણ હાલ બહાર આવ્યું નથી. ખંભાળિયા પંથકના વહાણમાં આગ લાગવાના આ બનાવથી સલાયા તથા ખંભાળિયા પંથકના વહાણવટીઓમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.


Spread the love

Related posts

DELHI:2000 કરોડનું ડ્રગ્સ દિલ્હીમાંથી ઝડપાયું :પોલીસે સાઉથ દિલ્હીમાં દરોડા પાડીને 560 KG કોકેઇન સાથે 4 લોકોની ધરપકડ કરી

Team News Updates

9 લોકોના કરુણ મોત;કારનો કચ્ચરઘાણ, જાનૈયાઓ ભરેલી કારને ટ્રકે ટક્કર મારી:એકસાથે 7 મિત્રોની અંતિમયાત્રા નીકળી

Team News Updates

રાજસ્થાનમાં PM બોલ્યા, કોંગ્રેસે વોટની રાજનીતિ કરી:કોંગ્રેસ ઈચ્છતી હતી કે કર્ણાટકમાં લોકોને ગોળી વાગે પણ અમે બચાવતા હતા

Team News Updates