News Updates
BUSINESS

2000ની નોટ પર પ્રતિબંધના સમાચારથી ગુજરાતમાં સોનું મોંઘુ!:વેપારીઓ 10 ગ્રામ માટે 70 હજાર તો એક કિલો ચાંદીના 80 હજાર લઈ રહ્યા છે

Spread the love

RBI 2000ની નોટને ચલણમાંથી બહાર કાઢી રહી છે. આ સમાચાર મળતાં જ ગુજરાતમાં જ્વેલર્સે 2000ની નોટથી સોનું ખરીદનારાઓ માટેના દરમાં વધારો કર્યો છે. તેઓ 10 ગ્રામ માટે 70,000 રૂપિયા સુધી ચાર્જ કરી રહ્યા છે, જ્યારે રાજ્યમાં શનિવારે તેનો દર 60,275 રૂપિયા છે.

બજારના જાણકારોએ ઓળખ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે શુક્રવારે અહીં 10 ગ્રામ સોનું ખરીદવા માટે 5થી 10 હજાર રૂપિયા વધુ લેવામાં આવ્યા હતા. એટલે કે સોનું 70 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામમાં વેચાયું હતું. તો, એક કિલો ચાંદીની કિંમત 80 હજાર રૂપિયા થઈ ગઈ છે.

લોકો સોનું કેમ ખરીદે છે?
IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાનું કહેવું છે કે જે લોકો પાસે 2 હજારની મોટી નોટ છે, જો તેઓ તેને બેંકમાં જમા કરાવવા જાય છે, તો તેમણે તેમની વાર્ષિક કમાણીના આધારે તેના પર ટેક્સ ચૂકવવો પડશે.

આ સિવાય સરકાર વધુ રોકડ રાખવા માટે તેમની પૂછપરછ પણ કરી શકે છે. આવી સ્થિતિમાં લોકો આ બધી પરેશાનીઓથી બચવા માટે સોના તરફ વળ્યા છે. આ સિવાય સોનું રાખવું પણ સરળ છે. અનુજ ગુપ્તા કહે છે કે 2016માં પણ નોટબંધીના સમયે સોનામાં આવી જ તેજી જોવા મળી હતી. તે સમયે સોનું 30 હજારથી 50 હજાર સુધી પહોંચી ગયું હતું.

આ મહિનાના અંત સુધીમાં સોનું 65 હજારને પાર કરી શકે છે
અનુજ ગુપ્તાનું કહેવું છે કે શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવને કારણે સોનાને પહેલેથી જ સપોર્ટ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં 2 હજારની નોટને ચલણમાંથી બહાર કરવાના નિર્ણય બાદ લોકો પોતાની પાસે રાખેલી નોટોમાંથી સોનું ખરીદી રહ્યા છે.

તેમનું કહેવું છે કે RBIના નિર્ણયથી સોનાના ભાવને વધુ સમર્થન મળશે અને આ મહિનાના અંત સુધીમાં તે 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી શકે છે. ચાંદીની વાત કરીએ તો તે 80,000 રૂપિયા પ્રતિ કિલોને પાર જઈ શકે છે.

આ વર્ષે સોનામાં 4000 રૂપિયાથી વધુનો વધારો થયો
આ વર્ષે અત્યાર સુધીમાં સોનામાં શાનદાર તેજી જોવા મળી છે. આ વર્ષની શરૂઆતમાં એટલે કે 1 જાન્યુઆરીએ તે 54,867 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે હવે 60,275 રૂપિયા પર પહોંચી ગયો છે. એટલે કે તેની કિંમતમાં 5,408 રૂપિયાનો વધારો થયો છે.

જ્યાં પણ દરોડા પડે ત્યાં 2000ના બંડલમાં કાળું નાણું
સાત વર્ષ પહેલા નોટબંધી કરવામાં આવી હતી, તેથી એક ઉદ્દેશ્ય કાળા નાણાંને કાબૂમાં લેવાનો હતો. જોકે, કાળી કમાણી કરનારાઓએ આમાંથી પણ રસ્તો શોધી કાઢ્યો હતો. તાજેતરના વર્ષોમાં, જ્યાં ED, આવકવેરા વિભાગ, CBI અથવા રાજ્ય પોલીસે દરોડા પાડ્યા છે, મોટાભાગે 2000 રૂપિયાના બંડલ કાળા નાણા તરીકે જપ્ત કરવામાં આવ્યા છે.

તાજેતરના 6 મોટા ઓપરેશનમાં 600 કરોડથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે. કાનપુરમાં પરફ્યુમ બિઝનેસમાંથી 284 કરોડ અને હૈદરાબાદમાં ફાર્માસ્યુટિકલ કંપનીના બેઝમાંથી રૂ. 142.87 કરોડ. મળ્યા હતા

2000ની નોટ અંગે રિઝર્વ બેંકે શું આદેશ આપ્યા?
રિઝર્વ બેંક 2000ની નોટને ચલણમાંથી પરત ખેંચી લેશે, પરંતુ હાલની નોટો અમાન્ય રહેશે નહીં. 2 હજારની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટ બંધ કરી દીધી હતી. તેના બદલે નવી પેટર્નમાં 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. RBIએ વર્ષ 2018-19થી 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું છે.

RBIએ હાલમાં 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં 2000ની નોટ બદલવા અથવા ખાતામાં જમા કરાવવા માટે કહ્યું છે, પરંતુ એમ પણ કહ્યું છે કે આ પછી પણ તે કાયદેસર રહેશે. આ માત્ર લોકોને આ નોટો બેંકોમાં પરત કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે છે.


Spread the love

Related posts

400 કરોડ રૂપિયાનું રોકાણ કરશે ડાબર તમિલનાડુમાં,250+ લોકોને મળશે નોકરી,મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે MOU પર હસ્તાક્ષર

Team News Updates

શેરબજાર ઓલ ટાઈમ હાઈ:સેન્સેક્સ 65,500 ને પાર, બજાજ ફાઇનાન્સના શેર 7% થી વધુ વધ્યા

Team News Updates

બિલ ગેટ્સ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે, એકતાનગર હેલિપેડ ખાતે કરાયું ઉષ્માભર્યું સ્વાગત

Team News Updates