News Updates
GIR-SOMNATHGUJARAT

સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં કાયમી ધોરણે થર્ડ એસી ઇકોનોમી કોચ લગાડવવામાં આવશે

Spread the love

યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વેએ ભાવનગર રેલ્વે મંડળ થઇને દોડતી સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં એક સ્લીપર કોચને એક થર્ડ એસી ઈકોનોમી કોચ સાથે બદલવાનો નિર્ણય કર્યો છે.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, જબલપુરથી વેરાવળ સ્ટેશન સુધી દોડતી ટ્રેન નંબર 11464 (જબલપુર-સોમનાથ એક્સપ્રેસ)માં 18 ઓકટોબર ,2023 થી એક થર્ડ એસી ઇકોનોમી કોચ લગાડવવામાં આવશે.જ્યારે વેરાવળથી જબલપુર સ્ટેશન સુધી દોડતી ટ્રેન નંબર 11463 (સોમનાથ-જબલપુર એક્સપ્રેસ)માં 20 ઓકટોબર, 2023થી એક થર્ડ એસી ઇકોનોમી કોચ લગાવવામાં આવશે.

ઉપરાંત વેરાવળથી જબલપુર સ્ટેશન સુધી દોડતી ટ્રેન નંબર 11465 (સોમનાથ-જબલપુર એક્સપ્રેસ)માં 21 ઓકટોબર,2023થી એક થર્ડ એસી ઇકોનોમી કોચ લગાવવામાં આવશે.જ્યારે જબલપુરથી વેરાવળ સ્ટેશન સુધી દોડતી ટ્રેન નંબર 11466 (જબલપુર-સોમનાથ એક્સપ્રેસ)માં 23 ઓકટોબર, 2023થી એક થર્ડ એસી ઇકોનોમી કોચ લગાવવામાં આવશે.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)


Spread the love

Related posts

patan:પરિવાર માતાના મઢથી દર્શન કરીને પરત ફરતાં ઇક્કો અને ટેન્કર ભટકાતા ત્રણના મોત,8 ઇજાગ્રસ્ત

Team News Updates

ડાકોરમાં પણ હવે VIP એન્ટ્રી:ભગવાનની નજીક જવાનો ચાર્જ 500 રૂપિયા, ટેમ્પલ કમિટીની મિટિંગમાં નિર્ણય લેવાયો

Team News Updates

AI Features:હોમ સ્ક્રીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ, કૉલ રેકોર્ડિંગ અને કસ્ટમાઇઝ્ડ,સેટેલાઇટથી SMS મોકલી શકશો

Team News Updates