News Updates
RAJKOT

રેલ વ્યવહાર પૂર્વવત થયો:રાજકોટ રેલવે ડિવિઝનની તમામ ટ્રેનો શરૂ, કાલે કોઈમ્બતુર એકસપ્રેસ પોણા ત્રણ કલાક મોડી ઉપડશે

Spread the love

બિપોરજોય વાવાઝોડાની અસરને ધ્યાને લઈ રાજકોટ ડિવિઝન દ્વારા વેરાવળ-પોરબંદર સહિતની અનેક ટ્રેનો કેન્સલ કરી હતી.સાથોસાથ રેલ્વે સ્ટેશનો, રેલ્વે ટ્રેક, સિગ્નલને નુકશાન થતું અટકાવવા પગલાં લેવામાં આવ્યા હતાં. વાવાઝોડાની અસર નહીવત થતા આજે રાજકોટ ડિવિઝનની તમામ ટ્રેનો લેતા નિર્ધારિત સમય અને રૂટો પર દોડતી થતા મુસાફરોએ રાહત અનુભવી છે. તકેદારી અને સાવચેતીના લીધે રાજકોટ ડિવિઝનના રેલ્વે સ્ટેશનો પ્લેટફોર્મોને કોઈ નુકશાની થવા પામી નથી. જોકે કાલે રાજકોટ-કોઈમ્બતુર એકસપ્રેસ ટ્રેન પોણા ત્રણ કલાક મોડી ઉપડશે.

ટ્રેનો તેના નિર્ધારિત સમય અનુસાર શરૂ
આવતીકાલ તા.તા.18 જૂનની રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ રાજકોટથી 2 કલાક 45 મિનિટ મોડી ઉપડશે. પશ્ચિમ રેલવેના સુરત-વડોદરા રેલ સેક્શનમાં સાયણ યાર્ડ ખાતે આવેલા બ્રિજ નંબર 471 ના મેઈન્ટેનન્સના કામ માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનથી જતી રાજકોટ- કોઈમ્બતુર એક્સપ્રેસ ને રિશેડયુલ કરવામાં આવી છે. આ સિવાય તમામ ટ્રેનો તેના નિર્ધારિત સમય અનુસાર શરૂ કરવામાં આવી છે.

જેથી કોઈ અસુવિધા થાય નહીં
​​​​​​​રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 16613 રાજકોટ- કોઈમ્બતુર એક્સપ્રેસ 18ના રોજ રાજકોટથી 2 કલાક 45 મિનિટના મોડી ઉપાડશે. એટલે કે સવારે 05.30 કલાકના તેના નિર્ધારિત સમયને બદલે સવારે 08.15 કલાકે ઉપડશે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ આ ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે જેથી કોઈ અસુવિધા થાય નહીં.


Spread the love

Related posts

દેશી દારૂનાં ધમધમતા અડ્ડા પર દરોડા:રાજકોટમાં 10 મહિલા સહિત 16 શખસ સામે 18 ગુના નોંધાયા, આથા સાથે 7,300 લિટર જથ્થાનો નાશ

Team News Updates

મવડી વિસ્તારમાં ફર્નિચરના શો રૂમમાં લાગી ભીષણ આગ, 5 થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા

Team News Updates

‘કાળિયા’ રોગથી ઘઉંમાં કાળો કેર:વાતાવરણમાં બદલાવથી ઉપદ્રવ વધ્યો, વીઘે 50 મણની જગ્યાએ માત્ર 15 મણ ઉત્પાદન થશે, શું છે રોગના લક્ષણો, અટકાવવા શું કરવું?

Team News Updates