News Updates
NATIONAL

વર્લ્ડ કલાસ રેસિડેન્શિયલ સ્કુલોમાં ભણશે અનાથ બાળકો, UP સરકારનો મોટો નિર્ણય

Spread the love

આમાં ઓગસ્ટના અંત સુધીમાં ધોરણ 6 માટે વાંચન શરૂ કરવાની તૈયારીઓ છે અને બાકીની 2 શાળાઓને પણ આ વર્ષના અંત સુધીમાં કાર્યરત કરી શકાશે. 1189.88 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલી આ 18 રેસિડેન્શિયલ સ્કૂલોમાં તમામ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ શાળાઓમાં ધોરણ 6 થી 12 ભણાવવામાં આવશે.

 ઉત્તર પ્રદેશ સરકાર  ગરીબો, અનાથ અને મજૂરોના હોંશિયાર બાળકોને શ્રેષ્ઠ સુવિધાઓ સાથે રેસિડેન્શિયલ સ્કુલોમાં ભણાવવાની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. અટલ રેસિડેન્શિયલ સ્કૂલો રાજ્યના 18 જિલ્લામાં ચલાવવાની છે. તેમાં પણ 16 જિલ્લામાં નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે.

આમાં ઓગસ્ટના અંત સુધીમાં ધોરણ 6 માટે વાંચન શરૂ કરવાની તૈયારીઓ છે અને બાકીની 2 શાળાઓને પણ આ વર્ષના અંત સુધીમાં કાર્યરત કરી શકાશે. 1189.88 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલી આ 18 રેસિડેન્શિયલ સ્કૂલોમાં તમામ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ શાળાઓમાં ધોરણ 6 થી 12 ભણાવવામાં આવશે.

આ જગ્યા પર બની રહી છે અટલ રેસિડેન્શિયલ સ્કૂલ

આઝમગઢ, બસ્તી, લખનૌ, અયોધ્યા, બુલંદશહર (મેરઠ), ગોંડા, ગોરખપુર, લલિતપુર (ઝાંસી), પ્રયાગરાજ, સોનભદ્ર (મિર્ઝાપુર), મુઝફ્ફરનગર (સહારનપુર), બાંદા, અલીગઢ, આગ્રા, વારાણસી, કાનપુર, મોરાદાબાદ અને બરેલીમાં અટલ રેસિડેન્શિયલ સ્કૂલનું સંચાલન થવાનું છે.

ભરતી પ્રક્રિયા લગભગ પૂર્ણ

અટલ રેસિડેન્શિયલ સ્કૂલ માટે ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની નિમણૂકની પ્રક્રિયા પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં આચાર્યોની નિમણૂંક 5 એપ્રિલ સુધીમાં જ્યારે વહીવટી અધિકારીઓની નિમણૂકની પ્રક્રિયા 22મી જૂને પૂર્ણ કરવામાં આવી છે.

તેવી જ રીતે શિક્ષકોની નિમણૂક પ્રક્રિયા 26મી જૂને પૂર્ણ કરવામાં આવી છે. બીજી તરફ નોન ટીચિંગ સ્ટાફ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા ચાલી રહી છે જે અંતિમ તબક્કામાં છે. આ સાથે તમામ શાળાઓ માટે ફર્નિચર, મેસ સર્વિસ, ફેકલ્ટી મેનેજમેન્ટ, યુનિફોર્મ અને અન્ય એસેસરીઝની ઉપલબ્ધતા પણ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. આ કામ પણ અંતિમ તબક્કામાં છે.

શાળાઓને આ સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે

આ શાળાઓમાં મફત હોસ્ટેલની સુવિધા હશે. બાળકો માટે યુનિક શૈક્ષણિક અભ્યાસક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે અહીં કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, મેથેમેટિક્સ લેબ, સોશિયલ સાયન્સ લેબ, અટલ થિંકીંગ લેબ અને એક્સપેરીમેન્ટલ લેબની સુવિધા પણ ઉપલબ્ધ હશે. બાળકોના પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.


Spread the love

Related posts

કર્ણાટકને સાર્વભૌમ કહેવા પર સોનિયા સામે ફરિયાદ:ભાજપે ચૂંટણી પંચને કહ્યું- કોંગ્રેસની નજરમાં કર્ણાટક દેશથી અલગ, FIR નોંધવી જોઈએ

Team News Updates

વૈશાખ માસની માસિક શિવરાત્રી પર સોમનાથ તીર્થ શિવમય બન્યું

Team News Updates

ફેડરેશન ઓફ એકેડેમિક એસો.ની માગ:ગુજરાત શિક્ષણ બોર્ડ પૂરક પરીક્ષામાં બે વિષયને બદલે ત્રણ વિષયની પરીક્ષા લે

Team News Updates