News Updates
GUJARAT

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પસનાલ ગ્રામ પંચાયતમાં 77માં સ્વાતંત્રદિન નિમિત્તે પસનાલ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો

Spread the love

જેમાં શાળા આચાર્ય,શિક્ષકગણ ગામમાંથી ઉપસ્થિત એસએમસી અધ્યક્ષ શિક્ષકવિદ સુરેશભાઈ પરમાર SMC સદસ્યો પંચાયત સદસ્યો,ગામના વડીલો અને વિદ્યાર્થીઓ હાજર રહી ધ્વજવંદન કરવામાં આવ્યું.શાળા તરફથી બાળકોએ અલગ અલગ વિષયો પર જેમ કે સ્વચ્છતા,પાણી, દેશના શહીદવીરો વિશે સંબોધન આપ્યું ગામમાંથી શિક્ષકવિદ સુરેશભાઈ પરમારે ગામમાં બાળકોના અભ્યાસ માટે તથા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં દેશને આગળ વધારવા તથા પીવાના પાણીની વિશે તેમજ લોકોના સરકાર દ્વારા મંજૂર કરાયેલા કામો તથા બાળકોના અભ્યાસ વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું.

નવા આચાર્ય સુશીલાબેન તથા સ્ટાફને પણ સારી કામગીરી વિશે અભ્યર્થના આપી શાળા આચાર્ય સુશીલાબેને પણ ગામનો અને શાળા પરિવારનો સાથ અને સહકાર મળી રહે.બાળકોને અભ્યાસ બાળક વાલી અને શિક્ષક ત્રણની એક વિચારથી આગળ વધવાનું જણાવ્યું. ગામના જાગૃત નાગરિક આરતસિંહે પણ સ્કૂલનું સારા અભ્યાસ વિશે ખુશી બતાવી અને સત્ય માટે એકલા હાથે લડવું કહી બાળકોને ચોકલેટ વિતરણ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો.

અહેવાલ : ગણપત મકવાણા (પંચમહાલ)


Spread the love

Related posts

જે લોકોને આ બિમારી છે તેણે ક્યારે પણ ન ખાવા જોઈએ અંજીર, પથરીની સમસ્યા થઈ શકે છે

Team News Updates

બે સગા ભાઇઓએ અશક્યને શક્ય કરી બતાવ્યું, સફરજનની સફળ ખેતી કરી બન્યા ઉદાહરણરૂપ

Team News Updates

બીપરજોય વાવાઝોડા માંથી રાજ્ય સકુશળ બહાર આવતા પ્રવાસન મંત્રી મુળુ બેરાએ ગુજરાત સરકાર વતી સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું

Team News Updates