News Updates
GUJARAT

સોમવાર શા મહાદેવને સમર્પિત, સોમવારને ચંદ્રદેવ સાથે શું સંબંધ છે, વાંચો સંપૂર્ણ વિગત

Spread the love

હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. તેવી જ રીતે, સોમવાર ભગવાન ભોલેનાથને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે સોમવારે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે ,એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારના દિવસે પૂર્ણ વિધિથી તેમની પૂજા કરવી જોઈએ. પરંતુ સવાલ એ છે કે સોમવારને મહાદેવની પૂજા માટે આટલો શુભ કેમ માનવામાં આવે છે?

ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે, માન્યતા છે કે મહાદેવને પ્રસન્ન કરવા માટે સૌથી સરળ છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે શિવ શંભુના આશીર્વાદ પ્રાપ્ત થાય. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે ભોલેનાથની પૂજા કરવાથી જે તમારા ભાગ્યમાં નથી તે પણ પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. તેવી જ રીતે, સોમવાર ભગવાન ભોલેનાથને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે સોમવારે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ આનું કારણ શું છે? સોમવાર વિશે શું ખાસ છે કે આ દિવસ શિવ શંભુની પૂજા માટે સમર્પિત છે.

સોમવાર એટલે કે ભોલેનાથનો દિવસ, આ દિવસે મહાદેવની પૂજા કરવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની ઝોળીઓ ખુશીઓથી ભરી દે છે. અઠવાડિયાના સાત દિવસોમાં સોમવાર શા માટે ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે? તેનું અડધું રહસ્ય આ દિવસના નામમાં જ છુપાયેલું છે. સોમવારમાં સોમ એટલે ચંદ્ર જે સ્વયં ભગવાન શિવના જટામાં છે. સોમનો બીજો અર્થ પણ સૌમ્ય છે અને ભોલેનાથ સૌમ્ય સ્વભાવના માનવામાં આવે છે.

સોમવારના નામમાં એક અન્ય ખૂબ જ મહત્વપૂર્ણ રહસ્ય છુપાયેલું છે. જ્યારે આપણે સોમવારનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે તેમાં ऊँ (om) પણ આવે છે. સોમવારમાં ઓમનો પણ સમાવેશ થાય છે અને શિવ શંભુ સ્વયં ઓમકાર છે તેથી આ દિવસ વધુ મહત્વનો બની જાય છે.

આ છે દંતકથા

તેની પાછળ સનાતન ધર્મની પૌરાણિક કથા પણ છે. કથા મુજબ આ દિવસે ચંદ્રદેવે મહાદેવની પૂજા કરી હતી અને મહાદેવે પ્રસન્ન થઈને ચંદ્રદેવને ક્ષય રોગમાંથી મુક્ત કર્યા હતા. આ કારણોસર, સોમવાર ભોલેનાથની પૂજા માટે સમર્પિત છે. અન્ય એક વાર્તામાં એવું કહેવામાં આવે છે કે માતા પાર્વતીએ ભોલેનાથને મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી અને 16 સોમવારનું વ્રત પણ રાખ્યું હતું. તેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે માતા પાર્વતીને પત્ની તરીકે અપનાવ્યા હતા. ત્યારથી આ દિવસે વ્રત રાખવાની ઘણી માન્યતા છે.

પૂજા પદ્ધતિ

ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે સોમવારે શિવલિંગનો અભિષેક કરો. આ પછી ચંદનનો લેપ લગાવો અને બીલીપત્ર, ફૂલ, ધતુરો ચઢાવો અને પ્રસાદ અને ફળ વગેરે ધરાવો. આ પછી ભોલેનાથની સામે દીવો પ્રગટાવો અને શિવ ચાલીસા અને શિવ સ્તુતિનો પાઠ કરો. ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પૂજા કરો અને પાર્વતી ચાલીસાનો પાઠ કરો. અંતે ભગવાન શિવની આરતી કરો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.


Spread the love

Related posts

ગીર સોમનાથના ખેડૂતો પર્યાવરણનું જતન કરી અપનાવી રહ્યાં છે પ્રાકૃતિક ખેતી

Team News Updates

‘SINGHAM’ મામલતદાર CHINTAN VAISHNAVની ડેપ્યુટી કલેકટર તરીકે બઢતી

Team News Updates

RAJKOTથી પોલીસ કમિશ્નર તો ગયા, પરંતુ પોતાના અંગત વહીવટદારને સાથે લઇ જવાનું ભુલી ગયા??

Team News Updates