News Updates
ENTERTAINMENT

1989ની કોલસા દુર્ઘટના પર આધારિત ફિલ્મ ‘મિશન રાનીગંજ’નું ટ્રેલર રિલીઝ:જસવંત સિંહ ગિલની ભૂમિકા ભજવશે અક્ષય કુમાર, લગ્ન પછી પરિણીતીની આ પહેલી ફિલ્મ હશે

Spread the love

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘મિશન રાનીગંજ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ રેસ્ક્યુ થ્રિલર ફિલ્મ વાસ્તવિક જીવનની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા પણ છે. આ ફિલ્મ 6 ઓક્ટોબર 2023ના રોજ રિલીઝ થશે.

આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ખાણમાં કામ કરતા મજૂરોનો જીવ જોખમમાં છે. એક તરફ, લોકો માની લે છે કે કામદારો મરી ગયા છે. બીજી તરફ, જસવંત સિંહ ગિલ તરીકે અક્ષય કુમાર લોકોનો જીવ બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરે છે. જ્યારે તે મદદ લેતા થાકી જાય છે, ત્યારે તે પોતે ખાણમાં જવાનું નક્કી કરે છે.

આ ફિલ્મમાં પરિણીતી ચોપરા જસવંત સિંહ ગિલની પત્નીનો રોલ કરી રહી છે.

સત્ય ઘટના પર આધારિત મિશન રાનીગંજ
આ ફિલ્મ એક વાસ્તવિક વાર્તા પર આધારિત છે. 34 વર્ષ પહેલા નવેમ્બર 1989માં પશ્ચિમ બંગાળના રાનીગંજની કોલસાની ખાણમાં એક મોટી દુર્ઘટના થઈ હતી જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ અત્યાર સુધીનો સૌથી ખતરનાક કોલસા અકસ્માત હતો, આ અકસ્માતમાં અમૃતસરના એન્જિનિયર જસવંત સિંહ ગીલે એકલા હાથે 65 લોકોને મોતના મુખમાંથી બચાવ્યા હતા. ‘મિશન રાનીગંજ – ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ’ આ અકસ્માતની વાર્તા કહે છે.

ફિલ્મ કાસ્ટિંગ
અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા ઉપરાંત આ ફિલ્મમાં કુમુદ મિશ્રા, પવન મલ્હોત્રા, રવિ કિશન, વરુણ બડોલા, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય, રાજેશ શર્મા, વીરેન્દ્ર સક્સેના, શિશિર શર્મા, અનંત મહાદેવન, જમીલ ખાન, સુધીર પાંડે, બચન પાચેરા, મુકેશ ભટ્ટ અને અન્ય કલાકારો છે. ઓમકાર.દાસ માણિકપુરી જોવા મળશે.


Spread the love

Related posts

હૈદરાબાદ ટેસ્ટના પહેલો દિવસ ભારતના નામે:ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં 246 રન ઓલઆઉટ; ભારત 119/1, જયસ્વાલ 76 રન બનાવીને અણનમ પરત ફર્યો

Team News Updates

રિંકુની સિક્સથી સ્ટેડિયમનો કાચ તૂટ્યો; ભારત અને સાઉથ આફ્રિકા મેચની મોમેન્ટ્સ અને રેકોર્ડ

Team News Updates

આ ભારતીય ક્રિકેટરે રાત્રે 2 વાગ્યે તેની ગર્લફ્રેન્ડને મળવા માટે 300 કિલોમીટરની સફર કરી, કેન્ડલ લાઈટ ડિનર પર પ્રપોઝ કર્યું

Team News Updates