News Updates
RAJKOT

આ બાપા 21 મિનિટમાં 21 લાડુ ઝાપટી ગયા:રાજકોટમાં સરપદડ ગામના 73 વર્ષના વૃદ્ધે શરૂઆતની 3 મિનિટમાં જ 5 લાડુ ખાધા, એક લાડુ 100 ગ્રામનો

Spread the love

રાજકોટમાં ઠેર-ઠેર ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રેસકોર્સમાં શહેર ભાજપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં રોજ વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી રહી છે. ગઈકાલે ભાજપ આયોજિત ગણેશ મહોત્સવમાં લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સરપદડના 73 વર્ષના લાડુવીર ગોવિંદભાઈ લુણાગરીયા 21 મિનિટમાં 21 લાડું આરોગીને વિજેતા થયા હતા. ગોવિંદભાઈએ શરૂઆતની 3 મિનિટમાં જ 5 ને પાછળની 17 મિનિટમાં બીજા 16 લાડુ ચટ કર્યા હતા. એક લાડુનું વજન 100 ગ્રામ હતું. એટલે 2 કિલો 100 ગ્રામ લાડુ આરોગ્યા હતા. જ્યારે 10 લાડુ ચટ કરી જનાર મહિલાએ પણ જીત મેળવી હતી.

મહિલાઓએ પ્રિતીબેન રૂપારેલિયાએ મેદાન માર્યું
પ્રાપ્ત વિગત મુજબ ગત વર્ષે 23 લાડુ જમી જનાર ગોવિંદભાઈ આ વખતે ફરી વિજેતા થયા હતા. બીજા ક્રમે આવેલા મોકાસણના માવજીભાઈ ઓળકિયા સાડા 13 લાડુ ખાઈ ગયા હતા. લાડુ સ્પર્ધામાં મહિલાઓમાં પ્રિતીબેન રૂપારેલીયા 10 લાડુ ખાઈ પ્રથમ ક્રમે રહ્યા હતા. રેસકોર્સમાં લાડુ સ્પર્ધા યોજાતા તેમાં 100 ગ્રામનો એક લાડુ દાળ અને પાણી સાથે પિરસાયા હતા. પ્રથમ 5 મિનીટમાં 5 લાડુ ખાઈ શકનાર કવોલિફાઈડ થતા હતા.

માવજીભાઈ સાડા તેર લાડુ ખાઈ બીજા ક્રમે રહ્યા
ત્યારબાદ બીજા ક્રમે રહેલા માવજીભાઈએ સાડા તેર લાડુએ અટકી જતા સરપદડના ગોવિંદભાઈ તેમના ગત સાલના વિક્રમ 23 લાડુથી 2 લાડુ ઓછા ખાવા છતા વિજેતા થયા હતા. ત્રીજા ક્રમે આવેલ રમેશભાઈ પાંચાણી અને કમલેશ ચૌહાણ 13 લાડુ પણ જમી શક્યા નહોતા. મહિલાઓમાં પ્રિતિબેન રૂપારેલિયાએ 10 લાડુ અને વૈશાલીબેને આશરે 7 લાડુ ખાધા હતા. શ્રદ્ધાબેન બાવળિયા નામની મહિલાએ 11 લાડુ ખાઈ લીધા હતા. પણ તેમને ઊલટી થઈ જતા સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા.

લાડુ સ્પર્ધા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની
આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, એકમાત્ર રાજકોટ શહેર ભાજપ દ્વારા દર વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન અહીં દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે જ અનેક સ્પર્ધાઓ પણ યોજાઇ છે. જેમાં ખાસ લાડુ સ્પર્ધા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. ગઈકાલે પણ અહીં લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી.


Spread the love

Related posts

રાજકોટમાં રોગચાળાનો કહેર યથાવત:ડેન્ગ્યુનાં 9, મેલેરિયા 1 અને ચીકનગુનિયાનાં વધુ 8 કેસ, શરદી-ઉધરસ-તાવનાં 876 સહિત કુલ 1074 દર્દીઓ નોંધાયા

Team News Updates

બિપોરજોય અંગે મેયરની અધ્યક્ષતામાં બેઠક:રાજકોટમાં 14-15 જૂને રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલો, ગાંધી મ્યુઝિયમ, પ્રદ્યુમન પાર્ક અને રામવન બંધ રાખવાનો નિર્ણય, 24 કલાક કંટ્રોલરૂમો કાર્યરત

Team News Updates

ખીચોખીચ ભરેલા પેસેન્જર ને લટકતું ભવિષ્ય!:રાજકોટ સ્વામિનારાયણ ચોક નજીક સિટીબસનાં દરવાજા પર લટકી જોખમી મુસાફરીનો વીડિયો વાઇરલ, સાઈડકટ લેતા જાનહાની થાય તો જવાબદાર કોણ?

Team News Updates