News Updates
RAJKOT

10 ફૂટ ઊંચો ઊછળી 20 ફૂટ દૂર ફેંકાયો:રાજકોટમાં રોંગ સાઈડમાં આવતા બાઈકચાલકને ફૂટબોલની જેમ સ્કોર્પિયોએ ઉડાડ્યો; ઘટનાસ્થળે જ મોત, શ્વાસ થંભાવી દેતા CCTV

Spread the love

રાજકોટ-જામનગર હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રવિવારની મોડી રાત્રે બનેલ ઘટનામાં એક યુવાને જીવ ગુમાવ્યા બાદ સતત બીજા દિવસે અકસ્માતની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડી રાત્રે રોંગ સાઈડમાં આવતા ડબલ સવારી બાઇકને સ્કોર્પિયો કારે હડફેટે લેતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રોંગ સાઈડમાં આવતા બાઈકચાલકને ફૂટબોલની જેમ સ્કોર્પિયો ઉડાડે છે. આ શ્વાસ થંભાવી દેતા અકસ્માતમાં બાઈકચાલક 10 ફૂટ ઊંચો ઊછળીને 20 ફૂટ દૂર ફેંકાઈ જાય છે.

એક્ટિવા અને સ્કોર્પિયો વચ્ચે ગમખ્વાર અકસ્માત
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ-જામનગર હાઇવે પર ગઇકાલે રાત્રિના 11 વાગ્યે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઘંટેશ્વરથી માધાપર જતી સ્કોર્પિયો કાર હડફેટે એક્ટિવા ચાલક આવતા ગમખ્વાર અકસમાત સર્જાયો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક્ટિવા સવાર યુવકને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાત્રિના 11 વાગ્યે સ્કોર્પિયો કાર ઘંટેશ્વરથી માધાપર ચોક તરફ પસાર થઇ રહી હતી. આજ સમયે ડબલ સવારી બાઈકચાલકો રોંગ સાઈડમાં આવતા પોતે ધડાકાભેર કાર સાથે અથડાયા હતા અને 20 ફૂંટ ઊછળીને બાઈક સાથે ફંગોળાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ સુરજસિંહ દાસ નામના યુવકનું મોત નીપજ્યું હતું.

સ્કોર્પિયો ચાલક ગાડી સ્થળ પર મુકી ફરાર
મૃતક સુરજસિંહ લાલસિંહ દાસ (ઉં.વ.28) વાળો જામનગર રોડ ઘંટેશ્વર પાર્ક હોટલમાં કામ કરતો હતો અને ત્યાંજ રહેતો હતો. સુરજસિંહ તથા તેની સાથે કામ કરતો તેનો મિત્ર કમલ થાપા બંન્ને એક્ટિવા જીજે.03.સીએફ.6438નું લઇને ઘંટેશ્વર પાર્ક હોટલથી તેનો મોબાઇલ ફોન લેવા માટે બહાર જતા હતાં. ત્યારે હોટલની સામે જામનગર રોડ ઉપર એક કાળા કલરની સ્કોર્પિયો કાર જેના નંબર જીજે.03.એમએલ.8245ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી એક્ટિવા સહિત બંન્ને યુવકોને હડફેટે લેતા બન્નેને માથે અને શરીરે ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક તેની ગાડી સ્થળ પર મુકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક્ટિવાનો બુકડો બોલી ગયો છે, જ્યારે સ્કોર્પિયોના આગળના ભાગને પણ ભારે નુકસાન થયું છે.

મૃકતના જીજાએ પોલીસ ફરિયાદ નોંધાવી
ઉલ્લેખનીય છે કે, રાત્રે બનેલી અકસ્માતની ઘટના બાદ હાલ મૃતકના જીજાજીની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે આઇ.પી.સી. કલમ 279, 337, 338, 304(અ) તથા એમ. વી. એક્ટ કલમ 134, 177, 184 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Spread the love

Related posts

RAJKOT:400થી વધુ લોકોને પોઈઝનિંગ,રાજકોટના ગોખલાણા ગામમાં

Team News Updates

રાજકોટ મનપા દ્વારા રન ફોર યુનિટીનું આયોજન, રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવા સાંસદ, ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા

Team News Updates

મચ્છરજન્ય એ મજા બગાડવાની માજા મૂકી:રાજકોટમાં ડેન્ગ્યુ, શરદી-ઉધરસ અને તાવના 577 સહિત રોગચાળાના કુલ 830 કેસ નોંધાયા, પ્રજાને સાવચેતી રાખવા તંત્ર એ આપ્યો મેસેજ

Team News Updates